ગુજરાતી નિબંધ-સંપદા/નરેશ શુક્લ/ડુંગરદેવની જાત્રા: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ડુંગરદેવની જાત્રા'''}} ---- {{Poem2Open}} આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''ડુંગરદેવની જાત્રા'''}}
{{SetTitle}}
----
{{Heading|ડુંગરદેવની જાત્રા | નરેશ શુક્લ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવેલું છે. ત્યાંથી ૧૨ કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૌદશ કે પૂનમની રાત્રિએ આ સ્થળે ઊજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા – અહીંના આદિવાસીઓનો બહુ મહત્ત્વનો તહેવાર છે. ડાંગમાં આવાં કુલ ચાર વધારે મહત્ત્વ ધરાવતાં સ્થળ છે: કનસર્યા ગઢ, સંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડધિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઊમટી પડે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવપત્ની પાર્વતીજી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઈ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઈ જાય અને એનું વર્ણન ક્યારેય ન કરી શકાય એવો રહ્યો.
આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવેલું છે. ત્યાંથી ૧૨ કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૌદશ કે પૂનમની રાત્રિએ આ સ્થળે ઊજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા – અહીંના આદિવાસીઓનો બહુ મહત્ત્વનો તહેવાર છે. ડાંગમાં આવાં કુલ ચાર વધારે મહત્ત્વ ધરાવતાં સ્થળ છે: કનસર્યા ગઢ, સંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડધિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઊમટી પડે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવપત્ની પાર્વતીજી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઈ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઈ જાય અને એનું વર્ણન ક્યારેય ન કરી શકાય એવો રહ્યો.
Line 24: Line 24:
આ દરમિયાન નૃત્યો તો ચાલતાં જ હતાં. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાંક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સૂવા લાગેલા. યુવાનો તો રાતભર સૂવાનું નામ પણ લેવાના નહોતા. અમારી હિંમત નહોતી એટલે આહવા નીકળી પડ્યાં. અડધી રાતે ઘરે પહોંચ્યાં ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતા એ ડુંગરદેવના દીવડા!
આ દરમિયાન નૃત્યો તો ચાલતાં જ હતાં. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાંક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સૂવા લાગેલા. યુવાનો તો રાતભર સૂવાનું નામ પણ લેવાના નહોતા. અમારી હિંમત નહોતી એટલે આહવા નીકળી પડ્યાં. અડધી રાતે ઘરે પહોંચ્યાં ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતા એ ડુંગરદેવના દીવડા!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/શરીફા વીજળીવાળા/તૂ કહાઁ યે બતા|તૂ કહાઁ યે બતા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અજયસિંહ ચૌહાણ/ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...|ગાડી, મિત્રો, હું અને પાવાગઢ...]]
}}
18,450

edits