ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/અદ્વૈતજીવન: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''અદ્વૈતજીવન'''}}
{{SetTitle}}
----
{{Heading|અદ્વૈતજીવન | મણિલાલ નભુભાઈ દ્વિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે વસ્તુનો દીર્ઘ કાલથી પરિચય હોય તે સત્વર ભુલાતી નથી તો જેનો પરિચય અનન્ત યુગથી છે એવા ઊલટા વ્યવહારની છાપ હૃદયમાંથી ખસી કેમ શકે? તેમાં પણ બાલકનો જન્મ થતાની સાથે જ તેને દ્વૈતબુદ્ધિ વધે તેવું પેટભર શિક્ષણ, મોંએથી બોલીને તેમ અનેક ઇતિવૃત્તથી સૂચવીને, આપવામાં કસર રખાતી નથી. આવો આગ્રહ શરીરના રુધિરમાં પ્રવેશ કરી જાય છે, જીવનરૂપ જ થઈ રહે છે. જેમ જેમ બુદ્ધિ વિચાર કરવાને સમર્થ થતી ચાલે છે તેમ તેમ હું અને તુંનો વિભાગ સ્પષ્ટ થઈ બહુ રીતે જુદો પડતો જાય છે; અને સાદૃશ્યને આધારે તર્ક કરતાં મનુષ્ય એમ વિચાર ઠરાવે છે કે મારાથી અમુક મોટું છે—શરીરે, બુદ્ધિએ, ઉત્કર્ષે—તેનાથી કોઈ ત્રીજું વધારે છે; એમ છેવટ કોઈક સર્વથી મોટું પણ હોવું જ જોઈએ. તે સર્વશક્તિમાન, કર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ, ને સર્વને ઘડનાર પણ હોવું, કે હોવો, જોઈએ. કારણ વિના કાર્ય છે જ નહિ, એટલે જે જે છે તે સર્વનું કારણ તે જ. મૂલથી જ હું અને તું બે વસ્તુ તો હતી જ તેમાં એ સર્વનો એક ઉપરી ઉમેરાઈને ત્રણ થઈ. એ ત્રીજાના ભયથી જ હું ને તું ઉભય સીધાં ચાલે છે, ને તેને ખુશી રાખવા માટે અમુક રસ્તો, જેને સન્માર્ગ, નીતિ ધર્મ કહેવાય છે, તે ગ્રહણ કરવામાં આવે છે. બની શકે તો તે ત્રીજાને જરાવાર ભુલવણીમાં પણ નાખવાનો યત્ન કરવાનું મન તો ખરું પણ તેનો ડર વધારે એટલે જેમતેમ પણ નિભાવ કરવો પડે.
જે વસ્તુનો દીર્ઘ કાલથી પરિચય હોય તે સત્વર ભુલાતી નથી તો જેનો પરિચય અનન્ત યુગથી છે એવા ઊલટા વ્યવહારની છાપ હૃદયમાંથી ખસી કેમ શકે? તેમાં પણ બાલકનો જન્મ થતાની સાથે જ તેને દ્વૈતબુદ્ધિ વધે તેવું પેટભર શિક્ષણ, મોંએથી બોલીને તેમ અનેક ઇતિવૃત્તથી સૂચવીને, આપવામાં કસર રખાતી નથી. આવો આગ્રહ શરીરના રુધિરમાં પ્રવેશ કરી જાય છે, જીવનરૂપ જ થઈ રહે છે. જેમ જેમ બુદ્ધિ વિચાર કરવાને સમર્થ થતી ચાલે છે તેમ તેમ હું અને તુંનો વિભાગ સ્પષ્ટ થઈ બહુ રીતે જુદો પડતો જાય છે; અને સાદૃશ્યને આધારે તર્ક કરતાં મનુષ્ય એમ વિચાર ઠરાવે છે કે મારાથી અમુક મોટું છે—શરીરે, બુદ્ધિએ, ઉત્કર્ષે—તેનાથી કોઈ ત્રીજું વધારે છે; એમ છેવટ કોઈક સર્વથી મોટું પણ હોવું જ જોઈએ. તે સર્વશક્તિમાન, કર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ, ને સર્વને ઘડનાર પણ હોવું, કે હોવો, જોઈએ. કારણ વિના કાર્ય છે જ નહિ, એટલે જે જે છે તે સર્વનું કારણ તે જ. મૂલથી જ હું અને તું બે વસ્તુ તો હતી જ તેમાં એ સર્વનો એક ઉપરી ઉમેરાઈને ત્રણ થઈ. એ ત્રીજાના ભયથી જ હું ને તું ઉભય સીધાં ચાલે છે, ને તેને ખુશી રાખવા માટે અમુક રસ્તો, જેને સન્માર્ગ, નીતિ ધર્મ કહેવાય છે, તે ગ્રહણ કરવામાં આવે છે. બની શકે તો તે ત્રીજાને જરાવાર ભુલવણીમાં પણ નાખવાનો યત્ન કરવાનું મન તો ખરું પણ તેનો ડર વધારે એટલે જેમતેમ પણ નિભાવ કરવો પડે.