ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમામાણિક્ય


ક્ષમામાણિક્ય [ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ગદ્યકાર. ખરતરગચ્છના જૈન સાધુ. ‘સમ્યક્ત્વભેદ’ (ર.ઈ.૧૭૭૮), ‘ગણધરવાદ-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૮૨) અને ‘ક્ષેત્રસમાસ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]