ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહવિનય


સિંહવિનય [ઈ.૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ‘ઉત્તરાધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]