ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુંદર-૪

From Ekatra Wiki
Revision as of 12:30, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુંદર-૪ [ઈ.૧૭૩૫માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની નવભવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ કવિને લોંકાગચ્છના હોવાનું જણાવે છે પરંતુ મુદ્રિત કૃતિમાં ગચ્છનામ મળતું નથી. કૃતિ : જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [કી.જો.]