ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જૈનસાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''જેલસાહિત્ય'''</span> : ‘જેલસાહિત્ય’ એવી સંજ્ઞા કથાની માત્ર સ્થાનગત વિશેષતા દર્શાવતી સંજ્ઞા જ નથી પરંતુ સ્થાનની ખુદની સમક્ષતા અને શક્યતાને કારણે વિષયાનુસારી વર્ગીકરણ માટે અભ્યાસમાં ઉપયોગી બનતી સંજ્ઞા છે. જે જે કથામાં સ્થળ રૂપે જેલ આવે તે તે કથાની કૃતિને જેલસાહિત્યમાં સમાવી ન શકાય, પરંતુ જે કથામાં કે અન્ય પ્રકારમાં ‘જેલ’ એક સ્થાનવિશેષ તરીકે આનુષંગિક નહીં પરંતુ આધિકારિક હોય એને આ પ્રકાર કે વિષયસંજ્ઞા લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘જેલ’ સ્થળ રૂપે જ્યાં ઘટકરૂપ છે, તેવી રચનાઓનો સમાવેશ જેલસાહિત્યમાં થઈ શકે. જેલસાહિત્યનું સગપણ એક રીતે જોઈએ તો જાનપદી કથા સાથે છે, કેમકે બન્ને પ્રકારો કથાના ‘સ્થળ’ સાથે સંકળાયેલા છે અને જેમ જે જે નવલકથામાં ગામડું સ્થળ રૂપે આવે તે તે નવલકથાને જાનપદી કે આંચલિક કહી ન શકાય તે રીતે જે સાહિત્યમાં જેલ સ્થળ રૂપે આવે તે સઘળાને જેલસાહિત્ય કહી શકીશું નહીં પરંતુ જેના આંતરનો ઉઘાડ અને આકાર જેલને કારણે છે એવા સાહિત્યને જ જેલસાહિત્ય કહી શકાશે.
<span style="color:#0000ff">'''જૈનસાહિત્ય'''</span> :
સ્થળ તરીકે કારાવાસની કથાત્મક પરિસ્થિતિ સર્જવાની શક્તિ તો વિશ્વસાહિત્યના પ્રાચીન-મધ્યકાલીન બધા કથાકારોએ પિછાણી છે. કૃષ્ણકથામાં એનું જે સ્થાન છે તે સર્વવિદિત છે. ઉપરાંત અનેક કથાઓએ વિઘ્ન રૂપે જેલનો ઉપયોગ કર્યો છે. યુરોપમાં પણ નવલકથાના પ્રારંભના તબક્કામાં રોમાન્સની જે કૃતિઓ રચાઈ, કે મધ્યકાલથી તે આજ સુધી જે થ્રિલરપ્રકારની રોમાંચક વાર્તાઓ રચાતી આવી તેમાં ‘જેલ’નો ઘટક રૂપે વિનિયોગ થયો છે. બોકાસિયોનું ‘ડેકામેરોન’ હોય, એલેક્ઝાન્ડર ડૂમાની ખ્યાત નવલકથા ‘ટેલ ઑફ ટુ સિરીઝ’ હોય કે આધુનિકયુગમાં વિશ્વસ્તરે વંચાતા સીડની સેલ્ડન જેવા લેખકની ‘ઈફ ટુમોરો કમ્સ’ જેવી નવલકથા હોય, ‘જેલ’ રહસ્ય, ચમત્કારનું નિમિત્ત પૂરી પાડતી આવે છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સાથે આ સાહિત્યના જન્મને સીધો સંબંધ છે. કારણ વગર પરિસ્થિતિના સકંજાનો ભોગ બનીને લડવું પડે ને કારાવાસનો ભોગ બનવું પડે ત્યારે અદમ્ય ઉત્કટ એવી ચૈતસિક પરિસ્થિતિ જન્મે છે. આવી પરિસ્થિતિનો ભોગ બનનારે પોતે પણ લખ્યું અને અન્ય લેખકોએ પણ આવી સ્થિતિનું આલેખન કર્યું. આમાંથી વિશ્વસાહિત્યની જાણીતી યુદ્ધકથાઓ રચાઈ. જર્મનોએ યહૂદીઓ પર અત્યાચારો કર્યાં અને કેમ્પરૂપ જેલમાં નાખ્યા તે અસહ્ય અમાનુષી અત્યાચારથી ઉદ્વિગ્ન બનતી સંવેદન ચેતનાએ આવા અનુભવોને વાચા આપી એમાંથી જેલસાહિત્ય જન્મ્યું.
આજથી અઢી હજાર વર્ષ અગાઉ મહાવીરસ્વામીએ એમના જીવનકાળ દરમ્યાન આપેલા ઉપદેશને એમના ગણધર ભગવંતોએ દ્વાદશાંગી આગમસૂત્રોમાં ગૂંથી લીધાં. એ પછી પાટલીપુત્ર-પરિષદમાં મુખપાઠથી ભુલાઈ રહેલાં આગમોની જાળવણીનું કામ હાથ ધરાયું. સ્કંદિલાચાર્યની નિશ્રામાં મથુરામાં મળેલી પરિષદમાં એની મથુરા-વાચના તૈયાર થઈ. ૪૫૪માં દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં ભરેલી સાધુઓની પરિષદમાં આગમપાઠોનું કરાયેલું સંકલન વલભી-વાચના તરીકે ઓળખાયું.
ગુજરાતી સાહિત્યમાં જેલસાહિત્યના ઉદ્ભવ કે પ્રવેશનો અનુબંધ અસહકારની સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિઓ સાથે છે. આ યુગના સત્યાગ્રહીઓને અંગ્રેજ સરકારે સજા રૂપે કારાવાસની સજા કરી. આવા સત્યાગ્રહીઓમાં નેતા અને અનુયાયીઓનો મોટો વર્ગ બૌદ્ધિકોનો હતો, જેમાં કવિઓ, સાહિત્યકારો અને લેખન દ્વારા સમાજનું ઘડતર કરવાની નેમવાળા પ્રબોધકો અને સંતો પણ હતા. આ વર્ગ અહિંસક, કાયદાપાલન કરનારો, બિનઉપદ્રવી, સામાજિક અને પ્રજામાન્ય નેતાઓ, સમાજસેવકો અને દેશની આઝાદી કાજે અભ્યાસ છોડીને પણ લડતમાં જોડાયેલા સંવેદનશીલ નવયુવકોનો હતો. આથી અન્ય ગુનેગાર કેદીઓને મુકાબલે આવા કેદીઓને પરસ્પર મળવાની, રાજનૈતિક ગુનો ન ગણાય એવાં સંભાષણો-વ્યાખ્યાનો-ગોષ્ઠીઓ યોજવાની, પત્રડાયરી કે બીજું કશું લખવાની, એ માટેની જરૂરી સામગ્રી મેળવવાની અને રાખવાની નિયંત્રિત પ્રમાણમાં છૂટ હતી અને એ માટેની તેમનામાં અભિરુચિ અને સમયની ફુરસદ પણ હતી. આથી આવા વર્ગના બૌદ્ધિકોએ જેલમાં રહીને કે જેલમાંથી છૂટ્યા પછી જેલજીવનના અનુભવ પર આધારિત એવું સાહિત્ય સર્જ્યું, જેમાંથી ગુજરાતી જેલસાહિત્યનો જન્મ થયો.  
ઉમાસ્વાતિએ જૈનદર્શનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર’ની રચના કરી. તો સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર ગ્રન્થ’ દ્વારા જૈનપ્રમાણનો પાયો સ્થિર કર્યો અને પ્રાકૃતમાં ‘સન્મતિ પ્રકરણ’ રચી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. ચોથી સદીમાં વિમલસૂરિની રચના ‘પઉમચરિયમ્’ પાછળથી રામકથાની જૈનધારાની મહત્ત્વની કૃતિ ગણાઈ. ૪૭૪માં થયેલ હરિભદ્રસૂરિની પ્રાકૃતમાં રચાયેલ ‘સમરાઈચ્ચકણ’ અત્યંત સુપ્રસિદ્ધ કથા બની. હરિભદ્રસૂરિએ અનેક ગ્રન્થો દ્વારા જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપ્યો. ધનેશ્વરસૂરિ નામના જૈનાચાર્યે વડનગરના ધ્રુવસેન રાજાનો પુત્રશોક સમાવવા કરેલી કલ્પસૂત્રની રચનાનું વાચન હજુ સુધી પર્યુષણપર્વમાં સંઘ સમક્ષ કરવામાં આવે છે. ઉદ્યોતનસૂરિ નામના જૈનાચાર્યે નોંધપાત્ર ‘કુવલયમાલા’ નામની પ્રાકૃત કથા આપી, તો સંઘદાસ ક્ષમાશ્રમણે ‘વસુદેવ હીંડી’ નામનો ચરિતગ્રન્થ પ્રાકૃતમાં લખવો શરૂ કર્યો. જે પાછળથી ધર્મસેનગણિએ પૂરો કર્યો. ૧૦૮૯માં જન્મેલા હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજના શાસનકાળમાં ‘સિદ્ધહૈમ’નામે અપભ્રંશ વ્યાકરણગ્રન્થની રચના કરી. એ જ રીતે તેમણે કુમારપાળના શાસનમાં ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય સમેત અનેક ગ્રન્થો રચ્યાં. ‘સિદ્ધહૈમ’ના ૮મા અધ્યાયના અપભ્રંશ દુહાઓ તત્કાલીન પ્રચલિત અપભ્રંશ સાહિત્યનો પરિચય આપે છે. જેમાંથી ગુજરાતી ભાષાના સંભવિત ઉદ્ભવનો અણસાર સાંપડે છે.
જેલસાહિત્યની કૃતિઓ ગણાય એવી ગુજરાતી સાહિત્યની રચનાઓ તો ‘જેલ ઓફિસની બારી’(૧૯૩૪) જેવી રચનાથી થાય છે, જેમાં ઝવેરચંદ મેઘાણીએ જેલની સજા પામેલા ગુનેગારો અને તેમનાં સ્વજનોના જીવનની વેદનાનું આલેખન કર્યું છે. એ સાથે જ જયમલ્લ પરમાર અને નિરંજન વર્માના સાહિત્યના અંશોમાં, વિશેષત : ‘ખંડિત ક્લેવરો’(૧૯૪૨)માં પણ જેલજીવન અને મનુષ્યસહજ નબળાઈઓનો નિર્દેશ મળી શકે છે. ગુજરાતી સાહિત્યમાં એક નિવૃત્ત જેલરના અનુભવને આધારે હસુ યાજ્ઞિકે ‘દીવાલ પાછળની દુનિયા’(૧૯૮૪), ‘ધૂંધળી ક્ષિતિજની પાર’(૧૯૯૧) અને ‘જેલરની ડાયરી’ (૧૯૯૪) ત્રણ રચનાઓ આપી છે તેમાં ‘દીવાલ પાછળની દુનિયા’માં સત્યઘટનાને જાળવીને વાર્તા કે ચરિત્રનિબંધ લખવાનો પ્રયાસ થયો છે.  
ગુજરાતી ભાષા-સાહિત્યનો પ્રારંભ બારમા શતકથી જૈનોના હાથે થયેલો જણાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં જૈન સાધુ કવિઓનું પ્રદાન ઘણું વ્યાપક રહ્યું છે.
{{Right|.યા.}}
૧૧૮૫માં રચાયેલા શાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલી રાસ’ અપભ્રંશમાંથી ગુજરાતીમાં સંક્રાંત થતી ભાષાની પહેલી કૃતિ ગણાય છે, જે જૈન સાહિત્યની રચના છે. નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે જૈન સાહિત્ય જ છે. રાસા, ફાગુ, બારમાસી જેવાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનાં ખેડાણ અને વિકાસ જૈન સાધુ કવિઓને હાથે થયો છે. તે ઉપરાંત કેટલાક બાલાવબોધો અને ઔક્તિકો પણ જૈનકવિઓને હાથે આ ગાળામાં લખાયા છે.  
નરસિંહ પૂર્વે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ ઉપરાંત એ કવિનો ‘બુદ્ધિરાસ’, ધર્મસૂરિનું ‘જંબુસામિચરિય’, વિજયસેનસૂરિનો ‘રેવંતગિરિરાસ’, અજ્ઞાત કવિનો ‘સપ્તક્ષેત્રિરાસુ’ જેવા રાસાઓ રચાયા છે. તો ફાગુરચનાઓમાં જિનપદ્મસૂરિકૃત ‘શ્રી સ્થૂલિભદ્રફાગુ’, મલધારી રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગ’ અને અજ્ઞાત કવિની ‘જંબુસ્વામીફાગ’ જેવી રચનાઓ મળે છે. ઉપરાંત વિનયચંદ્રરચિત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ જેવું બારમાસીકાવ્ય, જયશેખરસૂરિરચિત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવું રૂપક-કાવ્ય છે. નરસિંહ પૂર્વેના જૈન ગદ્યસાહિત્યમાં માણિક્યસુંદરસૂરિકૃત ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી નોંધપાત્ર ગદ્યકથાઓ તેમજ તરુણપ્રભસૂરિના ‘ષડાવશ્યક બાલાવબોધ’ જેવા બાલાવબોધોનો સમાવેશ થાય છે.  
પંદરમી સદીથી શરૂ કરીને ક્રમશ : નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ જેવા આગવી પ્રતિભાવાળા કવિઓને હાથે જૈનેતર સાહિત્યનો વ્યાપ વધતો આવે છે. પણ આ સમગ્ર મધ્યકાળમાં સમાંતરે અને પછી અર્વાચીનકાળમાં અનેક નાનામોટા જૈન સાધુકવિઓ અને ક્વચિત્ શ્રાવકકવિઓને હાથે વિપુલ પ્રમાણમાં જૈનસાહિત્ય સર્જાવું ચાલુ રહ્યું છે.  
લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશલલાભ, જયસુંદર, સમયસુંદર, ઋષભદાસ, આનંદઘન, યશોવિજય, ઉદયરત્ન, જિનહર્ષ, દીપવિજય, પદ્મવિજય વીરવિજય, ઉત્તમવિજય જેવા જૈનકવિઓને હાથે જૈનસાહિત્યનો મોટો ફાલ પ્રાપ્ત થયો છે. લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’, સહજસુંદરનો ‘ગુણરત્નાકર છંદ’, જયંવતસૂરિની ‘શૃંગારમંજરી’, કુશલલાભની ‘માધવાનલચોપાઈ’ જયસુંદરકૃત ‘ઢોલા-મારુચોપાઈ’, સમયસુંદરનો ‘નળદમયંતીરાસ’, ઋષભદાસનો ‘હીરવિજયસૂરિરાસ, આનંદઘનનાં પદો, યશોવિજયનાં ‘સમુદ્રવહાણસંવાદ’ અને ચોવીસીઓ, ઉદયરત્નનાં સ્તવનો-સઝાયો, જિનહર્ષનો ‘શત્રુંજયમાહાત્મ્યરાસ, પદ્મવિજયનો ‘સમરાદિત્યકેવળીરાસ’, વીરવિજયની પૂજાઓ, ઉત્તમવિજયની ‘નેમિનાથની રસવેલી’ વગેરે આ બધા કવિઓએ સર્જેલા વિપુલ સાહિત્યરાશિમાંથી કેટલીક નોંધપાત્ર કૃતિઓના નામોલ્લેખો માત્ર જ છે.  
મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનો મોટો ભાગ તો પરલક્ષી કથનાત્મક કવિતાએ રોક્યો છે. એમાં આ જૈન કવિઓએ જૈનકથાઓ તો આપી છે તે ઉપરાંત, રામાયણ-મહાભારત આદિનાં કથાવસ્તુઓને પણ ઉપયોગમાં લીધાં છે અને ‘બૃહત્ક્થા’ની પરંપરાનાં લૌકિક કથાવસ્તુને પ્રયોજ્યાં છે. જૈનકવિઓના આ કથનાત્મક સાહિત્યમાં ‘નળદમયંતી રાસ’ કે ‘શાકુંતલરાસ’, જેવી પૌરાણિકકથાઓ છે. ‘વિક્રમ ચારિત્રકુમારરાસ’, ‘વિદ્યાવિલાસચોપાઈ’, ‘આરામશોભારાસ’, ‘માધવાનલ કામકંદલારાસ’ જેવી લૌકિક કથાઓ છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ જેવી રૂપકકથાઓ છે, તો ‘વસ્તુપાલ-તેજપાલરાસ’ ‘કુમારપાલપ્રબંધ’, ‘વિમલપ્રબંધ’, ‘હીરવિજયસૂરિરાસ’ જેવી ઐતિહાસિક – ચરિત્રાત્મક કથાઓનો પણ એમાં સમાવેશ થાય છે. જિનહર્ષ જેવા કવિએ ૩૫ અને ઋષભદાએ ૩૨ રાષ્ટ્રકૃતિઓ રચી છે. ધર્મોપદેશ કે જૈનધર્મના સિદ્ધાન્તોને વણી લેતા રાસાઓ પણ લખાયા છે. જેમકે યશોવિજયનો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’.
મધ્યકાલીન જૈનસાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું વૈવિધ્ય અસાધારણ છે. એક જ પ્રકારની કૃતિ જુદે જુદે નામે પણ ઓળખાય છે. જેમકે કથાત્મક કૃતિ રાસ, ચોપાઈ-ચરિતચરિત્ર-પ્રબંધ-કથા વગેરે નામોથી ઓળખાઈ છે. જૈનકવિઓએ ઉપરાંત ફાગુ, બારમાસી, છંદ, સ્તવન, સઝાય, સ્તુતિ, સ્તોત્ર, સંવાદ, વિવાહલું, આરતી, કક્કો, માતૃકા, તિથિ, વાર, ઢાળ, સવૈયા, ચંદ્રાવળા, હરિયાળી, વીસી, ચોવીસી, પચીસી, બહોતેરી વગેરે નાનામોટા પ્રકારો ખેડ્યા છે, આ બધાં પ્રકારનામો ક્યારેક વિષય, પ્રયોજન, રચનારીતિ, છંદબંધ, કડીસંખ્યા વગેરેનો સંકેત કરવા માટે પ્રયોજાયાં જણાય છે. ધ્યાન રહે કે આ બધા જ પ્રકારો કેવળ જૈનકવિઓને હાથે જ ખેડાયા છે એમ નથી, આમાંના ઘણા પ્રકારો જૈન-જૈનેતર બંને પરંપરાઓમાં વિકસ્યા છે.
જૈનસાહિત્યનું સર્જન મુખ્યત્વે સાધુકવિઓને હાથે થયેલું હોઈ તે ધર્મબોધના પ્રયોજનથી ભાગ્યે જ મુક્ત રહ્યું છે બલ્કે વધુ ચુસ્તપણે અને ધર્માભિનિવેશપૂર્વક એ પ્રયોજનને વળગી રહ્યું છે. એટલે અંશે લોકરંજનનું પ્રયોજન એમાં ગૌણ બન્યું છે પણ એથી ફલિત થતું નથી કે ધર્મબોધના પ્રયોજનવાળું આ સાહિત્ય સદંતર કાવ્યતત્ત્વની ઊણપવાળું રહ્યું છે. જયવંતસૂરિની ‘શૃંગારમંજરી’માં કથાનકની રસિકતા અને સ્નેહવિષયક સુભાષિતોની પ્રચુરતા, સહજસુંદરતા, ‘ગુણકરત્નાકર છંદ’માં કૃતિના બહિરંગની માવજત અને નાયકનાયિકાનાં ભાવનિરૂપણની પ્રબળતા, શ્રાવકકવિ, ઋષભદાસની ભાષાભિવ્યકિત આનાં કેટલાંક ઉદાહરણો છે.  
પદ્યસ્વરૂપો ઉપરાંત, બાલાવબોધો તેમજ સ્તબક કે ટબોને નામે ઓળખાતી ગદ્યરચનાઓ પણ જૈનસાહિત્યમાં પ્રચુરપણે ઉપલબ્ધ છે.
પ્રાચીન જૈનસાહિત્ય જૈનજ્ઞાનભંડારોમાં સચવાયેલું રહેવાને કારણે એ ઉપલબ્ધ બની શક્યું અને વહેલુંમોડું એમાંનું ઘણું પ્રગટ થઈ શક્યું. તેમ છતાં જૈનસાહિત્યની ઢગલાબંધ હસ્તપ્રતો હજીય અપ્રગટ જ રહી છે.  
{{Right|કા.શા.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
18,450

edits