ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવદર્શનરીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવદર્શનરીતિ'''</span> : રમણભાઈ નીલકંઠે ‘કવિતા અને સાહ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવક
|next = ભાવનાવાદ
}}

Latest revision as of 11:19, 1 December 2021


ભાવદર્શનરીતિ : રમણભાઈ નીલકંઠે ‘કવિતા અને સાહિત્ય’ ભાગ-૧માં કાવ્યરીતિની ચર્ચા કરતાં સ્પષ્ટ કર્યું છે કે શબ્દરીતિ અને વાક્યરીતિ એ બંનેથી જુદી જ, એ બંનેને ગૌણતામાં નાખી ઉત્તમ રૂપે રહેલી બીજી ખરેખર કાવ્યરીતિ છે. આ રીતિને એમણે ‘ભાવદર્શનરીતિ’ સંજ્ઞા આપી છે. શબ્દમાં ભાવનો ક્રમશ : ઉલ્લાસ, કડીઓમાં ઉત્તરોત્તર ભાવનો વેગ અને સર્વ કડીઓ મળી એક અદ્ભુત કલા – એ પ્રકારે ‘ભાવદર્શન રીતિ’ને જોઈ શકાય છે. આ પછી રમણભાઈ ઉમેરે છે કે ભાવદર્શનની રીતિ સર્વ કવિઓમાં એની એ જ નથી હોતી. કુશળ કવિને પોતાની એકથી વધારે રીતિ હોય છે. કેટલાક કવિની શક્તિ એવી વિરલ હોય છે કે તે જે રીતિ અનુસરે તેમાં તેનું કૌશલ સંપૂર્ણ જણાય છે. ચં.ટો.