ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુક્ત સાહચર્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મુક્ત પરોક્ષઉક્તિ
|next = મુખપૃષ્ઠ
}}

Latest revision as of 08:27, 2 December 2021


મુક્ત સાહચર્ય(Free Association) : માનસશાસ્ત્ર અનુસાર શબ્દો કે વિચારોની દીર્ઘ શ્રેણી. કોઈપણ એક પદાર્થ કે વિચાર તેની સાથે સંબંધિત અન્ય પદાર્થ કે વિચારનું સાહચર્ય જગવે છે. આ પ્રક્રિયાનું એકથી વધુ વાર પુનરાવર્તન થતાં સાહચર્યોની દીર્ઘ શ્રેણી અસ્તિત્વમાં આવે, જેનો અંતિમ વિચાર કે જેનું અંતિમ કલ્પન, શ્રેણીના પ્રથમ વિચાર કે પ્રથમ કલ્પન સાથે સીધો સંબંધ સૂચવતાં ન હોય. મુક્ત વિચાર સાહચર્યની આ પ્રક્રિયા નવલકથા અને નાટ્યલેખનમાં અનેક રીતે પ્રયોજાય છે. નવલકથા સંદર્ભે આંતરચેતનાપ્રવાહ(Stream of consciousness) અને નાટક સંદર્ભે મનોગત એકોક્તિ(interior monologue)માં આ પ્રવિધિ વિશેષ અર્થમાં પ્રયોજાય છે. હ.ત્રિ.