ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુક્ત સાહચર્ય

Revision as of 10:07, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્ત સાહચર્ય(Free Association)'''</span> : માનસશાસ્ત્ર અનુસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુક્ત સાહચર્ય(Free Association) : માનસશાસ્ત્ર અનુસાર શબ્દો કે વિચારોની દીર્ઘ શ્રેણી. કોઈપણ એક પદાર્થ કે વિચાર તેની સાથે સંબંધિત અન્ય પદાર્થ કે વિચારનું સાહચર્ય જગવે છે. આ પ્રક્રિયાનું એકથી વધુ વાર પુનરાવર્તન થતાં સાહચર્યોની દીર્ઘ શ્રેણી અસ્તિત્વમાં આવે, જેનો અંતિમ વિચાર કે જેનું અંતિમ કલ્પન, શ્રેણીના પ્રથમ વિચાર કે પ્રથમ કલ્પન સાથે સીધો સંબંધ સૂચવતાં ન હોય.

મુક્ત વિચાર સાહચર્યની આ પ્રક્રિયા નવલકથા અને નાટ્યલેખનમાં અનેક રીતે પ્રયોજાય છે. નવલકથા સંદર્ભે આંતરચેતનાપ્રવાહ(Stream of consciousness) અને નાટક સંદર્ભે મનોગત એકોક્તિ(interior monologue)માં આ પ્રવિધિ વિશેષ અર્થમાં પ્રયોજાય છે. 

હ.ત્રિ.