ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગચેતના

From Ekatra Wiki
Revision as of 08:39, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યુગચેતના(Zeitgeist ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા કોઈ ચોક્કસ યુગ કે ગાળાના મહત્ત્વના મિજાજને કે એના અભિગમને નિર્દેશે છે; જેમાં રુચિ કે સંસ્કૃતિનો સર્વસામાન્ય પ્રવાહ કે એની લાક્ષણિકતા પ્રગટ હોય. જેમકે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ વિશ્વબંધુત્વની અને સત્ય-અહિંસાની ભાવના કેન્દ્રસ્થ રહી. ચં.ટો.