ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રવાનુકરણ-અનુકરણધ્વનિ

Revision as of 11:58, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)


રવાનુકરણ/અનુકરણધ્વનિ(Onomatopoeia) : ધ્વનિ કે નાદમાંથી ઊભું થતું શબ્દનું સ્વરૂપ, શબ્દના અર્થને સૂચવે અથવા વધુ સ્થાપિત કરે ત્યારે એ ઘટના રવાનુકરણની છે. ખાસ કરીને કવિતામાં થતી શબ્દની પસંદગીમાં નાદ અર્થને પ્રતિધ્વનિત કરે ત્યારે જ એનું મહત્ત્વ. જેમકે ‘કાન્ત’ના ‘ચક્રવાકમિથુન’ની પંક્તિઓ : ‘ઉદધિને રવિબિંબ હવે અડે,/અતિસમુચ્છિત તેય હવે ચડે.’ ચં.ટો.