ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વર્જિત દ્રશ્ય


વર્જિત દૃશ્ય : પ્રેક્ષકના મનમાં જુગુપ્સા જન્માવે કે ઘૃણા ઊભી કરે એવાં દૃશ્યોને સંસ્કૃત નાટ્યાચાર્યોએ રંગમંચ પર રજૂ કરવા માટે નિષેધ ફરમાવ્યો છે. આ પ્રમાણે નક્કી નિયમાનુસાર એવાં ઘણાં દૃશ્યો છે જેને ‘વર્જિત દૃશ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે વધ, મૃત્યુ, રતિક્રીડા, સ્નાન, મળમૂત્ર ત્યાગ વગેરે અનેક દૃશ્યોની સૂચિ આપવામાં આવી છે. ચં.ટો.