ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષમારણ

From Ekatra Wiki
Revision as of 12:12, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિષમારણ(Pharmakon) : દેરિદાના વિવેચનવિચારમાં લેખનને આ સંજ્ઞા દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આ સંજ્ઞા ‘વિષ’ અને ‘મારણ’ બંનેનો અર્થસંકેત કરે છે. લેખનની શોધ એ મારણ છે પરંતુ સાથે સાથે એ ભયંકર રસાયણ પણ છે. દેરિદાની વિચારવ્યવસ્થામાં આ દ્વિધા તાણગ્રસ્ત છે. સારું/નરસું; આંતર/બાહ્ય; સ્મૃતિ/વિસ્મૃતિ; વાણી/લેખન – જેવા વિરોધોને એ ઉપસાવે છે. આમ આ સંજ્ઞા વિરોધોની લીલા છે. ચં.ટો.