ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંગકલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">{{SetTitle}}'''વ્યંગકલા(Satire)'''</span> : પાત્રવિશેષ કે વસ્તુવ...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યવહારવિજ્ઞાન
|next = વ્યંગચિત્ર
}}

Latest revision as of 12:24, 3 December 2021


વ્યંગકલા(Satire) : પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમજ સુધારક વલણનું પણ સૂચન કરે છે. હાસ્ય-નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યારબાદ હૉરિસ, ડ્રાય્ડન, રેબલેઈ, સ્વિફ્ટ, હક્સલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઓ નિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હક્સલીકૃત ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ તથા જોર્જ ઑરવલકૃત ‘ઍનિમલ ફાર્મ’ આનાં ઉત્તમ ઉદાહરણો છે. પ.ના