ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાઘાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાઘાત'''</span> : કોઈક વડે કોઈક વસ્તુ જે રીતે સિદ્ધ થઈ...")
(No difference)

Revision as of 09:34, 1 December 2021


વ્યાઘાત : કોઈક વડે કોઈક વસ્તુ જે રીતે સિદ્ધ થઈ હોય તે જ વસ્તુને તે જ રીતે બીજો કોઈ નિષ્ફળ બનાવી દે કે ફોક કરી નાખે તે વ્યાઘાત અલંકાર કહેવાય. જેમકે “(શિવનાં) નેત્રોથી દગ્ધ કામદેવને પોતાનાં નેત્રોથી જ પુનર્જીવિત કરનાર અને (એ રીતે) શિવનો પરાજય કરનાર તે સુંદરીઓની હું સ્તુતિ કરું છું.” જ.દ.