ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાજોક્તિ'''</span> : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના...")
(No difference)

Revision as of 09:35, 1 December 2021


વ્યાજોક્તિ : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના હેઠળ છુપાવવામાં આવે ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને. જેમકે “પ્રિયાનો વ્રણયુક્ત અધર જોઈને કોને રોષ ન ચડે? વારવા છતાં ભ્રમરયુક્ત કમળને સૂંઘનારી વામા! ભોગવ હવે!” જ.દ.