ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાસશૈલી


વ્યાસશૈલી(Periphrasis, Circumlocution) : કવિ અભીષ્ટાર્થ કે વિવક્ષિતાર્થ સીધી રીતે રજૂ ન કરતાં ફેરવી ફેરવીને રજૂ કરે એ વ્યાસશૈલીનું ઉદાહરણ છે. જેમકે પિનાકિન ઠાકોરના ‘રસાયણ’ કાવ્યનો પ્રારંભ જુઓ : “શો આ પ્રચંડ જલનો જબરો જુવાળ!/કંઠાર ફોડી સહુ સાંકડી પાળ જાળ/ વેગે જતો ધસમસ્યો શું ફલંગ ફાળ/ઘુર્રાટતો ઝૂલવી કેસરી મત્ત યાળ.” ચં.ટો.