ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવેગ(Emotion)'''</span> : જીવમનોવિજ્ઞાનમાંથી સાહિત્યમાં આવ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ}}.
{{Right|હ.ત્રિ}}.
<br>
<br>
{{HeaderNav2
|previous = સંવિદના વિવેચકો
|next = સંવેગાત્મક ભાષા
}}

Latest revision as of 16:11, 8 December 2021


સંવેગ(Emotion) : જીવમનોવિજ્ઞાનમાંથી સાહિત્યમાં આવેલી સંજ્ઞા. સંવેગ એ સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ છે. ‘અનુભૂતિ’, ‘અનુભૂતિની સચ્ચાઈ’ જેવા પ્રયોગો આ કારણે જ નીપજેલા છે. સાહિત્ય જે ભાષાનો સર્જનઅર્થે પ્રયોગ કરે છે તે સંવેગપરક (emotive) છે. કોઈ ઘટના કે પ્રસંગ પ્રત્યેનો સર્જકનો પ્રતિભાવ અને તેથી સર્જાતું સાહિત્ય એ સંવેગની પ્રક્રિયાનું જ પરિણામ છે. કાવ્ય એ સાહિત્યનો સૌથી મોટો સંવેગપરક પ્રકાર છે. હ.ત્રિ.