ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous= સહજિયા સંપ્રદાય
|previous= સહજિયા સંપ્રદાય
|next= સહસંબંધકવસ્તુઓ
|next= સહસંબંધક વસ્તુઓ
}}
}}

Latest revision as of 09:12, 8 December 2021


સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર(Participatory poetics) : સાહિત્ય એના પ્રાથમિક તબક્કામાં મૌખિક પ્રયોગ સાથે સંકળાયેલું હતું. એનો અર્થ એ કે સાહિત્યનો પ્રાગિતિહાસ મૌખિક શબ્દકરણમાં પડેલો છે. આવી મૌખિક સંસ્કૃતિમાં રોપાયેલું કાવ્યશાસ્ત્ર સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર હતું. એમાં વક્તા, શ્રોતા અને વિષયનું એક પ્રકારનું સાતત્ય હતું. આજે પણ આ કાવ્યશાસ્ત્રને લક્ષમાં રાખી સાહિત્યની સમજનો પ્રારંભ કરી શકાય. આ સમજના કેન્દ્રમાં પ્રશ્ન છે : ‘કોણ કોને શું કહે છે?’ ચં.ટો.