ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મારકગ્રન્થ

From Ekatra Wiki
Revision as of 11:52, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્મારકગ્રન્થ'''</span> : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્મારકગ્રન્થ : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સાંભરણ કે યાદગીરી રૂપે તૈયાર થયેલો ગ્રન્થ. એમાં એનાં અ-પ્રકાશિત લખાણોનો તેમજ એની પ્રભાવક કૃતિઓ પરના અન્ય દ્વારા થયેલા આસ્વાદ-અભ્યાસોનો સંચય હોઈ શકે છે. આ ગ્રન્થ જે તે સાહિત્યકારના પ્રભાવને અને એની ઐતિહાસિક મહત્તાને પ્રગટ કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠી પર તૈયાર થયેલો ‘ગોવર્ધનરામ શતાબ્દી સ્મારકગ્રન્થ’ એનું ઉદાહરણ છે. ચં.ટો.