ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 50. બાબુ સુથાર | (1.6.1955)}}
{{Heading| 50. બાબુ સુથાર | (1.6.1955)}}
[[File:50. Babu suthar.jpg|thumb|center|150px]]
[[File:50. Babu suthar.jpg|thumb|center|150px]]
<center>  '''અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ''' </center>
<center>  '''{{larger|અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અનુઆધુનિકતાવાદ’ શું છે? શું એ કોઈ શૈલીનું નામ છે? કે પછી એ કોઈ વિચારપદ્ધતિનું નામ છે? કે પછી આ સંજ્ઞા કોઈ ચોક્કસ એવા સમયગાળાનો નિર્દેશ કરે છે? અલગઅલગ ક્ષેત્રોમાં અલગઅલગ વિદ્વાનો આ સંજ્ઞાની પ્રસ્તુતતા અંગે પણ શંકા સેવે છે. આવા વૈવિધ્યને કારણે આ સંજ્ઞાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે આરંભે કેવળ કળા અને સ્થાપત્ય તથા સિનેમા પૂરતી જ સીમિત રહેલી આ સંજ્ઞા જોતજોતામાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિવિજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પ્રવેશી ગઈ. એને કારણે આ સંજ્ઞાની ઉપયોગિતા વધી ગઈ. એટલું જ નહીં, આ સંજ્ઞાની અનિવાર્યતાને પણ એક પ્રકારનો ટેકો મળ્યો. એમાં પ્રમાણભૂતતા પણ વધી. બધાં જ શાસ્ત્રો / વિજ્ઞાનોને પ્રતીતિ થઈ કે વાસ્તવિકતાનાં પોત બદલાઈ ગયાં છે અને એ બદલાયેલાં પોતને ઓળખવા તથા નાણવા માટે જૂનો શબ્દભંડોળ કામ લાગે તેમ નથી. નુકસાન એ રીતે કે, આ સંજ્ઞા ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ હોવાથી એનો અર્થ ઘણોબધો વિસ્તૃત બની ગયો. એટલે સુધી કે આ સંજ્ઞા મૂળે જે અર્થમાં પ્રયોજાઈ હતી એ અર્થ એના ઘણાબધા અર્થોમાંનો એક બની ગયો છે. માનવવિદ્યાઓમાં કોઈ એક સંજ્ઞા એના પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે એનો મૂળ અર્થ સાથેનો સંબંધ થોડોક પાતળો પડી જતો હોય છે. પણ, એની સાથોસાથ એને જે નવો અર્થ પ્રાપ્ત થતો હોય છે એને પગલે ગુમાવી દીધેલા અર્થનું સૌંદર્યમંડિત વળતર પણ મળી જતું હોય છે. ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાના સંદર્ભમાં પણ આવું જ કંઈક બન્યું છે. માઈકલ ડીયર અને ક્રિસ્તેન સિમોન્સને અનુઆધુનિકતાવાદને ત્રણ પ્રકાર(type)માં વહેંચી નાખ્યો છે. તેમના મતે અનુઆધુનિકતાવાદ એક શૈલી પણ છે. ખાસ કરીને સ્થાપત્ય અને સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાંના સંદર્ભે. એ જ રીતે અનુઆધુનિકતાવાદ એક વિચારપદ્ધતિ પણ છે. જેમ કે, અનુસંરચનાવાદ અને વિઘટન. અને અનુઆધુનિકતાવાદ ચોક્કસ એવા સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ દલીલો કરનારાઓમાં ફેડરિક જેમ્સન અને ડેવિડ હાર્વેનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકારોની વચ્ચે કોઈ ચોક્કસ એવી ભેદરેખા દોરી શકાય એમ નથી. માનવવિદ્યાઓમાં એવી અપેક્ષા રાખવી પણ ન જોઈએ.
‘અનુઆધુનિકતાવાદ’ શું છે? શું એ કોઈ શૈલીનું નામ છે? કે પછી એ કોઈ વિચારપદ્ધતિનું નામ છે? કે પછી આ સંજ્ઞા કોઈ ચોક્કસ એવા સમયગાળાનો નિર્દેશ કરે છે? અલગઅલગ ક્ષેત્રોમાં અલગઅલગ વિદ્વાનો આ સંજ્ઞાની પ્રસ્તુતતા અંગે પણ શંકા સેવે છે. આવા વૈવિધ્યને કારણે આ સંજ્ઞાને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ. ફાયદો એ રીતે કે આરંભે કેવળ કળા અને સ્થાપત્ય તથા સિનેમા પૂરતી જ સીમિત રહેલી આ સંજ્ઞા જોતજોતામાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃતિવિજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પ્રવેશી ગઈ. એને કારણે આ સંજ્ઞાની ઉપયોગિતા વધી ગઈ. એટલું જ નહીં, આ સંજ્ઞાની અનિવાર્યતાને પણ એક પ્રકારનો ટેકો મળ્યો. એમાં પ્રમાણભૂતતા પણ વધી. બધાં જ શાસ્ત્રો / વિજ્ઞાનોને પ્રતીતિ થઈ કે વાસ્તવિકતાનાં પોત બદલાઈ ગયાં છે અને એ બદલાયેલાં પોતને ઓળખવા તથા નાણવા માટે જૂનો શબ્દભંડોળ કામ લાગે તેમ નથી. નુકસાન એ રીતે કે, આ સંજ્ઞા ઘણાંબધાં ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ હોવાથી એનો અર્થ ઘણોબધો વિસ્તૃત બની ગયો. એટલે સુધી કે આ સંજ્ઞા મૂળે જે અર્થમાં પ્રયોજાઈ હતી એ અર્થ એના ઘણાબધા અર્થોમાંનો એક બની ગયો છે. માનવવિદ્યાઓમાં કોઈ એક સંજ્ઞા એના પોતાના ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે એનો મૂળ અર્થ સાથેનો સંબંધ થોડોક પાતળો પડી જતો હોય છે. પણ, એની સાથોસાથ એને જે નવો અર્થ પ્રાપ્ત થતો હોય છે એને પગલે ગુમાવી દીધેલા અર્થનું સૌંદર્યમંડિત વળતર પણ મળી જતું હોય છે. ‘અનુઆધુનિકતાવાદ’ સંજ્ઞાના સંદર્ભમાં પણ આવું જ કંઈક બન્યું છે. માઈકલ ડીયર અને ક્રિસ્તેન સિમોન્સને અનુઆધુનિકતાવાદને ત્રણ પ્રકાર(type)માં વહેંચી નાખ્યો છે. તેમના મતે અનુઆધુનિકતાવાદ એક શૈલી પણ છે. ખાસ કરીને સ્થાપત્ય અને સાહિત્ય તેમ જ સંસ્કૃતિમાંના સંદર્ભે. એ જ રીતે અનુઆધુનિકતાવાદ એક વિચારપદ્ધતિ પણ છે. જેમ કે, અનુસંરચનાવાદ અને વિઘટન. અને અનુઆધુનિકતાવાદ ચોક્કસ એવા સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ દલીલો કરનારાઓમાં ફેડરિક જેમ્સન અને ડેવિડ હાર્વેનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકારોની વચ્ચે કોઈ ચોક્કસ એવી ભેદરેખા દોરી શકાય એમ નથી. માનવવિદ્યાઓમાં એવી અપેક્ષા રાખવી પણ ન જોઈએ.
1,026

edits