ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/લોકવાઙ્મયનો સામાજિક સંદર્ભ – કનુભાઈ જાની, 1925: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
<center>  '''1''' </center>
<center>  '''1''' </center>
સાહિત્ય વિષે જેટલી ચર્ચા થઈ છે ને પરિણામે વિચારની જેટલી સ્પષ્ટતા પ્રવર્તે છે તેટલી લોકસાહિત્ય વિષે નથી. વળી, ‘લોકસાહિત્ય’માંનો ‘સાહિત્ય’ શબ્દ પણ થોડો આડમાર્ગે દોરે એવો છે. અને લોકમાહિત્યનો અભ્યાસ તો માંડ દોઢસોક વર્ષ પહેલાં શરૂ થયો ને તે પછી તો લોકસાહિત્ય પ્રત્યેના અભિગમમાં પણ ત્રણેક મોટા પક્ષો પડ્યા છે. મુખ્યત્વે આ ત્રણ કારણોથી, ‘લોકસાહિત્યમાં સમાજ’ એવો સહેલો લાગતો વિષય કેટલીક અનિવાર્ય સ્પષ્ટતા માગી લે છે.
સાહિત્ય વિષે જેટલી ચર્ચા થઈ છે ને પરિણામે વિચારની જેટલી સ્પષ્ટતા પ્રવર્તે છે તેટલી લોકસાહિત્ય વિષે નથી. વળી, ‘લોકસાહિત્ય’માંનો ‘સાહિત્ય’ શબ્દ પણ થોડો આડમાર્ગે દોરે એવો છે. અને લોકમાહિત્યનો અભ્યાસ તો માંડ દોઢસોક વર્ષ પહેલાં શરૂ થયો ને તે પછી તો લોકસાહિત્ય પ્રત્યેના અભિગમમાં પણ ત્રણેક મોટા પક્ષો પડ્યા છે. મુખ્યત્વે આ ત્રણ કારણોથી, ‘લોકસાહિત્યમાં સમાજ’ એવો સહેલો લાગતો વિષય કેટલીક અનિવાર્ય સ્પષ્ટતા માગી લે છે.
સ્પષ્ટતા પહેલી તો આ કે, ‘લોકસાહિત્ય’માં ભલે ‘સાહિત્ય’ શબ્દ આવ્યો, એ અભિજાત1 સાહિત્યનો એક પ્રકાર તો નથી જ. શ્રી રા. વિ. પાઠક જેવા સાહિત્યમર્મજ્ઞે પણ, આ બાબતમાં, એક વાત સ્પષ્ટ કરી છે, તો બીજી ન સ્વીકારી શકાય તેવી કરી છે. કહે છે: ‘જેમ લોકસાહિત્ય તે સાહિત્ય નથી, પણ સાહિત્યની સામગ્રી છે, તેમ લોકસાહિત્ય તે શુદ્ધ ઇતિહાસની સામગ્રી છે. એ ખરી રીતે તો માત્ર (મધ્યકાલીન) માનસનું જ પ્રતિબિંબ આપે છે.’ (‘કાવ્યની શક્તિ’, પૃ. 184) આમ કહેવું એ બરાબર નથી. લોકસાહિત્ય એ લોકસંસ્કૃતિને પ્રગટ કરતા લોકમાનસનું પ્રતિબિંબ અવશ્ય છે. ભારત જેવા દેશમાં એક સંસ્કૃતિ સતત આજ સુધી ઊતરીને ચાલુ રહી છે. એટલે એનું લોકસાહિત્ય પણ, માત્ર મધ્યકાળને નહિ પણ ભૂત-વર્તમાન-ભાવિ ત્રણેયને જુએ આલેખે છે.2
સ્પષ્ટતા પહેલી તો આ કે, ‘લોકસાહિત્ય’માં ભલે ‘સાહિત્ય’ શબ્દ આવ્યો, એ અભિજાત<ref>1. સામાન્ય રીતે ‘લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય’ એમ પ્રયોગ છે; પણ ‘શિષ્ટ’ શબ્દ ‘કલાસિકલ’ના અર્થમાં ગુજરાતીમાં રૂઢ થયે હોઈ, અહીં ‘અભિજાત’ ઉચિત માન્યો છે. ‘લોકસાહિત્ય’ને સ્થાને ‘લોકવાઙ્મય’ શબ્દનો હું આગ્રહી છું; ‘લોકસાહિત્ય’ રૂઢ થઈ ગયો છે ને મૂળ લેખમાં એ હતો એ કારણે જ રહેવા દીધો છે. જ્યાં જ્યાં ‘લોકસાહિત્ય’ છે ત્યાં ત્યાં ‘લોકવાઙ્મય’ વાંચવું.</ref> સાહિત્યનો એક પ્રકાર તો નથી જ. શ્રી રા. વિ. પાઠક જેવા સાહિત્યમર્મજ્ઞે પણ, આ બાબતમાં, એક વાત સ્પષ્ટ કરી છે, તો બીજી ન સ્વીકારી શકાય તેવી કરી છે. કહે છે: ‘જેમ લોકસાહિત્ય તે સાહિત્ય નથી, પણ સાહિત્યની સામગ્રી છે, તેમ લોકસાહિત્ય તે શુદ્ધ ઇતિહાસની સામગ્રી છે. એ ખરી રીતે તો માત્ર (મધ્યકાલીન) માનસનું જ પ્રતિબિંબ આપે છે.’ (‘કાવ્યની શક્તિ’, પૃ. 184) આમ કહેવું એ બરાબર નથી. લોકસાહિત્ય એ લોકસંસ્કૃતિને પ્રગટ કરતા લોકમાનસનું પ્રતિબિંબ અવશ્ય છે. ભારત જેવા દેશમાં એક સંસ્કૃતિ સતત આજ સુધી ઊતરીને ચાલુ રહી છે. એટલે એનું લોકસાહિત્ય પણ, માત્ર મધ્યકાળને નહિ પણ ભૂત-વર્તમાન-ભાવિ ત્રણેયને જુએ આલેખે છે.<ref>2. આ બાબતમાં રૅને વેલેકનો અભિગમ નોંધપાત્ર છે: “the study of oral literature is an integral part of literary scholarship, for it cannot be divorced from the study of written works... Though the study of oral literature has its own peculiar problems, those of transmission and social setting, its fundamental problems” without doubt, are shared with written literature’. ‘Theory of Literature’, p. 46-47.</ref>
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં, હજારેક માઈલને અંતરે પડેલાં ગામાડાં વચ્ચે કેવું સાંસ્કૃતિક સામ્ય છે તે ડૉ. શ્રીવાસ્તવે, એવાં બે ગામડાં પસંદ કરીને તેના લોકસાહિત્ય અને સમાજજીવનના અભ્યાસ દ્વારા, ‘ફોક કલ્ચર ઍન્ડ ઓરલ ટ્રેડિશન’ પુસ્તકમાં, દર્શાવ્યું છે. યંત્રોદ્યોગ, વીજળી, વિજ્ઞાન, રાજકીય આર્થિક પ્રવાહો, પલટાતાં સામાજિક મૂલ્યો, વગેરેને કારણે થતાં સામાજિક પરિવર્તનની વચ્ચે પણ કે પરિવર્તનનાં પરિબળો પ્રત્યેનો પોતાનો પ્રતિભાવ પ્રગટાવતું પ્રગટાવતું, એ લોકસાહિત્ય હજી વહી રહ્યું છે. યુરોપમાં આથી જુદું જ બન્યું, ત્યાં એ રામ થઈ ગયું!! સેસિલ શાર્પ ફરિયાદ કરે છે: “The English Ballad is moribund; its ccount is wellnigh closed.” બૅલડ તો મરી પરવાર્યું. હિસાબ ચૂકતે થઈ ગયો! છેલ્લાં સો વર્ષમાં એક પણ બૅલડ રચાયું નથી. ભારતમાં સ્થિતિ જુદી છે. દૂરનાં ગામડામાંના અભણને ત્યાં, તેમજ નગરમાંના ભણેલાગણેલા નાગરને ત્યાં લગ્ન જેવે ટાણે હજી ગીતો ગવાતાં અટક્યાં નથી. હજ રીતરિવાજો છે, વ્રતોઉત્સવ છે. કથા-વારતા-કહેવતો-વરત-ઉખાણાં છે. ત્યાં સુધી તો આ બધું વત્તાઓછા પ્રમાણમાં પણ જિવાતા જીવનનો એક ભાગ છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં, હજારેક માઈલને અંતરે પડેલાં ગામાડાં વચ્ચે કેવું સાંસ્કૃતિક સામ્ય છે તે ડૉ. શ્રીવાસ્તવે, એવાં બે ગામડાં પસંદ કરીને તેના લોકસાહિત્ય અને સમાજજીવનના અભ્યાસ દ્વારા, ‘ફોક કલ્ચર ઍન્ડ ઓરલ ટ્રેડિશન’ પુસ્તકમાં, દર્શાવ્યું છે. યંત્રોદ્યોગ, વીજળી, વિજ્ઞાન, રાજકીય આર્થિક પ્રવાહો, પલટાતાં સામાજિક મૂલ્યો, વગેરેને કારણે થતાં સામાજિક પરિવર્તનની વચ્ચે પણ કે પરિવર્તનનાં પરિબળો પ્રત્યેનો પોતાનો પ્રતિભાવ પ્રગટાવતું પ્રગટાવતું, એ લોકસાહિત્ય હજી વહી રહ્યું છે. યુરોપમાં આથી જુદું જ બન્યું, ત્યાં એ રામ થઈ ગયું!! સેસિલ શાર્પ ફરિયાદ કરે છે: “The English Ballad is moribund; its ccount is wellnigh closed.” બૅલડ તો મરી પરવાર્યું. હિસાબ ચૂકતે થઈ ગયો! છેલ્લાં સો વર્ષમાં એક પણ બૅલડ રચાયું નથી. ભારતમાં સ્થિતિ જુદી છે. દૂરનાં ગામડામાંના અભણને ત્યાં, તેમજ નગરમાંના ભણેલાગણેલા નાગરને ત્યાં લગ્ન જેવે ટાણે હજી ગીતો ગવાતાં અટક્યાં નથી. હજ રીતરિવાજો છે, વ્રતોઉત્સવ છે. કથા-વારતા-કહેવતો-વરત-ઉખાણાં છે. ત્યાં સુધી તો આ બધું વત્તાઓછા પ્રમાણમાં પણ જિવાતા જીવનનો એક ભાગ છે.
‘લોેકસાહિત્ય’ એ નામમાંનો ‘લોક’ સૂચવે છે તેમ એ સમાજ સાથે નામથી ને કામથી પણ સંકળાયેલ છે. લોકે ઊભું કરેલું, લોક માટેનું અને લોક વડે લોકકંઠે,-કોઠે, કાગળે નહિ) પેઢી દર-પેઢી ઊતરી આવેલું ને રચાતું રહેલું એવું આ લોકસાહિત્ય તે અભિજાત સાહિત્યનો નહિ પણ ‘ફોકલોર’નો, લોકવિદ્યાનો એક પ્રકાર છે. ઈ.સ. 1846માં વિલિયમ જ્હોન ટૉમસે સૌપ્રથમ એ નામ – ‘ફૉકલોર’ આ વિદ્યાશાખાને આપ્યું એ જાણીતી હકીકત છે. હવે તો ડોર્સન જેવા ‘લોર’તે સ્થાને ‘લાઈફ’ શબ્દની હિમાયત કરે છે. એ સૂચવે છે કે લોકસાહિત્યને ‘લોક’ એટલે ‘જીવન’ કે સમાજ સાથે, દેહને આત્મા સાથે હોય એવો, અતૂટ સંબંધ છે.
‘લોેકસાહિત્ય’ એ નામમાંનો ‘લોક’ સૂચવે છે તેમ એ સમાજ સાથે નામથી ને કામથી પણ સંકળાયેલ છે. લોકે ઊભું કરેલું, લોક માટેનું અને લોક વડે લોકકંઠે,-કોઠે, કાગળે નહિ) પેઢી દર-પેઢી ઊતરી આવેલું ને રચાતું રહેલું એવું આ લોકસાહિત્ય તે અભિજાત સાહિત્યનો નહિ પણ ‘ફોકલોર’નો, લોકવિદ્યાનો એક પ્રકાર છે. ઈ.સ. 1846માં વિલિયમ જ્હોન ટૉમસે સૌપ્રથમ એ નામ – ‘ફૉકલોર’ આ વિદ્યાશાખાને આપ્યું એ જાણીતી હકીકત છે. હવે તો ડોર્સન જેવા ‘લોર’તે સ્થાને ‘લાઈફ’ શબ્દની હિમાયત કરે છે. એ સૂચવે છે કે લોકસાહિત્યને ‘લોક’ એટલે ‘જીવન’ કે સમાજ સાથે, દેહને આત્મા સાથે હોય એવો, અતૂટ સંબંધ છે.
અભિજાત સાહિત્યને એવો—એટલો સંબંધ નથી. કારણ કે અભિજાત સાહિત્ય અને લોકસાહિત્ય બન્નેનાં કુળ અને મૂળ જુદાં થાય છે. અભિજાત સાહિત્યનું કુળ છે કળાનું અને એનું મૂળ છે વૈયક્તિક રસાનુભૂતિ; જ્યારે લોકસાહિત્યનું કુળ છે ‘લોકવિદ્યા’ (ફોકલોર) તેનું મૂળ છે સંઘોર્મિ કે સંઘ-અનુભૂતિ. અભિજાત સાહિત્યમાં લેખક પોતાની—એટલે કે વૈયક્તિક અનુભૂતિને રસરૂપ આપવા તાકતો હોય છે. એટલે એ ‘એસ્થેટિક્સ’નો, રસમીમાંસાનો વિષય છે. એટલે એ દૃષ્ટિએ અભિજાત સાહિત્ય અવલોકાય તે સ્વભાવિક છે. લોકસાહિત્ય લોકવિદ્યાનો એક પ્રકાર હોવાથી લોકવિદ્યાશાસ્ત્ર (ફોકલોરિસ્ટિક્સ)ની દૃષ્ટિએ અવલોકાય તે ઇષ્ટ છે. બંનેમાં વાણી હોય, પણ વાણીની કળાએ લોકસાહિત્યના બધા પ્રકારોમાં એકમાત્ર કે મુખ્ય પ્રયોજન પણ ન હોવાથી, લોકસાહિત્યના કેટલાક પ્રકારો અભિજાત સાહિત્યની લગોલગના તો કેટલાક ઠીકઠીક દૂરના. આમ છતાં આ બંને વચ્ચે આદાનપ્રદાન ચાલુ જ હોય છે. સગોત્રી હોવા છતાં બંને વચ્ચે લેવડદેવડનો મીઠો સંબંધ છે જ. એ સંબંધની વિગતે ચર્ચા નથી થઈ, એટલું જ.
અભિજાત સાહિત્યને એવો—એટલો સંબંધ નથી. કારણ કે અભિજાત સાહિત્ય અને લોકસાહિત્ય બન્નેનાં કુળ અને મૂળ જુદાં થાય છે. અભિજાત સાહિત્યનું કુળ છે કળાનું અને એનું મૂળ છે વૈયક્તિક રસાનુભૂતિ; જ્યારે લોકસાહિત્યનું કુળ છે ‘લોકવિદ્યા’ (ફોકલોર) તેનું મૂળ છે સંઘોર્મિ કે સંઘ-અનુભૂતિ. અભિજાત સાહિત્યમાં લેખક પોતાની—એટલે કે વૈયક્તિક અનુભૂતિને રસરૂપ આપવા તાકતો હોય છે. એટલે એ ‘એસ્થેટિક્સ’નો, રસમીમાંસાનો વિષય છે. એટલે એ દૃષ્ટિએ અભિજાત સાહિત્ય અવલોકાય તે સ્વભાવિક છે. લોકસાહિત્ય લોકવિદ્યાનો એક પ્રકાર હોવાથી લોકવિદ્યાશાસ્ત્ર (ફોકલોરિસ્ટિક્સ)ની દૃષ્ટિએ અવલોકાય તે ઇષ્ટ છે. બંનેમાં વાણી હોય, પણ વાણીની કળાએ લોકસાહિત્યના બધા પ્રકારોમાં એકમાત્ર કે મુખ્ય પ્રયોજન પણ ન હોવાથી, લોકસાહિત્યના કેટલાક પ્રકારો અભિજાત સાહિત્યની લગોલગના તો કેટલાક ઠીકઠીક દૂરના. આમ છતાં આ બંને વચ્ચે આદાનપ્રદાન ચાલુ જ હોય છે. સગોત્રી હોવા છતાં બંને વચ્ચે લેવડદેવડનો મીઠો સંબંધ છે જ. એ સંબંધની વિગતે ચર્ચા નથી થઈ, એટલું જ.
‘પુસ્તકસ્થાતુ યા વિદ્યા’ એ તો ‘કાર્યકાલે સમુત્પન્ને’ બરાબર ખરેટાણે જ દગો દે! જ્યારે લોકહૈયે જેનું જતન થયું હોય એ તો કોઠામાંથીયે જવાબ દે. ‘લખ્યું વંચાય અને બોલ્યું ફોક’ એ કહેવત તો પછી થઈ પણ, થઈ ત્યારેય એનો જવાબ તો લોકે વાળ્યો છે જ: ‘પોથું ઈ થોથું, ને ડાચું ઈ હાચું.’
‘પુસ્તકસ્થાતુ યા વિદ્યા’ એ તો ‘કાર્યકાલે સમુત્પન્ને’ બરાબર ખરેટાણે જ દગો દે! જ્યારે લોકહૈયે જેનું જતન થયું હોય એ તો કોઠામાંથીયે જવાબ દે. ‘લખ્યું વંચાય અને બોલ્યું ફોક’ એ કહેવત તો પછી થઈ પણ, થઈ ત્યારેય એનો જવાબ તો લોકે વાળ્યો છે જ: ‘પોથું ઈ થોથું, ને ડાચું ઈ હાચું.’
જેનું જતન સમાજે જાતે-સ્વેચ્છાએ, પ્રેમથી કર્યું છે, જે શબ્દ એવો પોતીકો ને કામનો લાગ્યો છે કે એને પેઢી-દર-પેઢી ઊતરતો-તરતો રાખ્યો છે એ શબ્દને જેવું સામાજિક પ્રયોજન હોય તેવું અભિજાત સાહિત્યના શબ્દને નથી હોતું. અભિજાત સાહિત્યનાં પ્રયોજનો જાણીતાં છે–‘યશસે, અર્થકૃતે...’ વગેરે, અને તેમાંય ‘સકલપ્રયોજન-મૌલિભૂતમ્’ એવું આનંદનું પ્રયોજન; જ્યારે લોકસાહિત્યનું મૌલિભૂત પ્રયોજન લોક-જીવન, સમાજોપયોગિતા. ડૉકટર શ્રીવાસ્તવ લોકસાહિત્યનાં પ્રયોજનો આટલાં ગણાવે છે: ‘These may be broadly grouped into the functions of recreation or amusement, education, socialization, social control, social protest, propaganda media, communication of knowledge, and ritual functions’3 સમાજ જાણે એને પોતાનાં બધાં પ્રયોજનો માટે વાપરે છે.
જેનું જતન સમાજે જાતે-સ્વેચ્છાએ, પ્રેમથી કર્યું છે, જે શબ્દ એવો પોતીકો ને કામનો લાગ્યો છે કે એને પેઢી-દર-પેઢી ઊતરતો-તરતો રાખ્યો છે એ શબ્દને જેવું સામાજિક પ્રયોજન હોય તેવું અભિજાત સાહિત્યના શબ્દને નથી હોતું. અભિજાત સાહિત્યનાં પ્રયોજનો જાણીતાં છે–‘યશસે, અર્થકૃતે...’ વગેરે, અને તેમાંય ‘સકલપ્રયોજન-મૌલિભૂતમ્’ એવું આનંદનું પ્રયોજન; જ્યારે લોકસાહિત્યનું મૌલિભૂત પ્રયોજન લોક-જીવન, સમાજોપયોગિતા. ડૉકટર શ્રીવાસ્તવ લોકસાહિત્યનાં પ્રયોજનો આટલાં ગણાવે છે: ‘These may be broadly grouped into the functions of recreation or amusement, education, socialization, social control, social protest, propaganda media, communication of knowledge, and ritual functions’<ref>3. Folk-Culture and Oral Tradition p. 276.</ref> સમાજ જાણે એને પોતાનાં બધાં પ્રયોજનો માટે વાપરે છે.
આમાંનું એક પછી એક પ્રયોજન લઈને, ડૉક્ટર શ્રીવાસ્તવે કર્યું છે તેમ એ લોકસાહિત્યમાં કેવી રીતે સધાયું છે એનાં દૃષ્ટાન્તો જોવાં અત્યંત રસપ્રદ થઈ પડે. મેઘાણીભાઈ જેવાએ એ રસ પીતાં ન ધરાઈએ એટલો પાયો છે. શ્રી જયમલ્લ પરમારે પણ આપણી લોકસંસ્કૃતિનો આ રીતે, પણ જરા વધારે વ્યવસ્થિત, પરિચય કરાવ્યો છે.
આમાંનું એક પછી એક પ્રયોજન લઈને, ડૉક્ટર શ્રીવાસ્તવે કર્યું છે તેમ એ લોકસાહિત્યમાં કેવી રીતે સધાયું છે એનાં દૃષ્ટાન્તો જોવાં અત્યંત રસપ્રદ થઈ પડે. મેઘાણીભાઈ જેવાએ એ રસ પીતાં ન ધરાઈએ એટલો પાયો છે. શ્રી જયમલ્લ પરમારે પણ આપણી લોકસંસ્કૃતિનો આ રીતે, પણ જરા વધારે વ્યવસ્થિત, પરિચય કરાવ્યો છે.
<center>  '''2''' </center>
<center>  '''2''' </center>
Line 50: Line 50:
એ કવિતા નથી, પણ એટલું બોલતાં તો આખો દિવસ બહેનને ઉપવાસ કરવો પડે, અડાયાં વીણી સાંજે ચાનકી કરવી પડે. એમાં વચ્ચે કાણું પાડવું પડે, એમાંથી ચાંદાને જોતાંજોતાં ભાઈસાહેબને આમ પૂછવું પડે. આ શબ્દો તોે આખી પ્રક્રિયાનો એક અવિચ્છેદ્ય અંશ છે. આવાં વ્રત-અનુષ્ઠાનમાં ચિત્ર, શિલ્પ, કથા, ગીત, રમત, નૃત્ય, પૂજન-અર્ચન, મંત્ર-તંત્ર, વહેમ, શુકન-અપશુકન, ઘણુંબધું એકસાથે આવે. માટીની ગોર્ય કરવી પડે, સાથિયા કે ચાંલ્લાની દેડગી કરવી પડે. રૂનો એક નાગલિયો કરી કંકુએ એને પવિતર કરી ચડાવવો પડે, ઉપવાસાદિ પણ કરવા પડે; પછી વારતા કે ગીત, નિયત ક્રમમાં આવે. વનસ્પતિ પણ આવે. અષાઢની અજવાળી પાંચમે જવેરા વાવતાં ગવાય.
એ કવિતા નથી, પણ એટલું બોલતાં તો આખો દિવસ બહેનને ઉપવાસ કરવો પડે, અડાયાં વીણી સાંજે ચાનકી કરવી પડે. એમાં વચ્ચે કાણું પાડવું પડે, એમાંથી ચાંદાને જોતાંજોતાં ભાઈસાહેબને આમ પૂછવું પડે. આ શબ્દો તોે આખી પ્રક્રિયાનો એક અવિચ્છેદ્ય અંશ છે. આવાં વ્રત-અનુષ્ઠાનમાં ચિત્ર, શિલ્પ, કથા, ગીત, રમત, નૃત્ય, પૂજન-અર્ચન, મંત્ર-તંત્ર, વહેમ, શુકન-અપશુકન, ઘણુંબધું એકસાથે આવે. માટીની ગોર્ય કરવી પડે, સાથિયા કે ચાંલ્લાની દેડગી કરવી પડે. રૂનો એક નાગલિયો કરી કંકુએ એને પવિતર કરી ચડાવવો પડે, ઉપવાસાદિ પણ કરવા પડે; પછી વારતા કે ગીત, નિયત ક્રમમાં આવે. વનસ્પતિ પણ આવે. અષાઢની અજવાળી પાંચમે જવેરા વાવતાં ગવાય.
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો!
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો!
એમાં વનસ્પતિ, જળ, સ્થળ, ગામ, દેશ, પરદેશ, કુટુમ્બ, સગાં-સ્નેહી, વેરી, ઈશ્વર, દેવ-દેવી, નિસર્ગ, પશુ-પંખી, જીવજંતુ, બધાં પ્રત્યેના ભાવો-અભિગમો પ્રગટ થાય. લોકસમાજના માનસમાં સંઘરાયેલો ખજાનો ઠલવાય. આ ખજાનો અત્યંત મૂલ્યવાન છે. એ મૂલ્ય, આજે જ્યારે સમાજ ‘સુધરતો’ જાય છે ત્યારે ઘટવાને બદલે વધારે સમજાય છે. કાકાસાહેબ કહે છે, “માણસ જેમ જેમ આગળ વધે છે તેમતેમ કૃત્રિમ વિવેક અને નિયમોથી પોતાનું સ્વરૂપ ઢાંકી દે છે. તેથી જ કોઈપણ સમાજનું સાચું સ્વરૂપ જોવું હોય તો તેનાં લોકગીત તરફ જોવું પડે છે.”4
એમાં વનસ્પતિ, જળ, સ્થળ, ગામ, દેશ, પરદેશ, કુટુમ્બ, સગાં-સ્નેહી, વેરી, ઈશ્વર, દેવ-દેવી, નિસર્ગ, પશુ-પંખી, જીવજંતુ, બધાં પ્રત્યેના ભાવો-અભિગમો પ્રગટ થાય. લોકસમાજના માનસમાં સંઘરાયેલો ખજાનો ઠલવાય. આ ખજાનો અત્યંત મૂલ્યવાન છે. એ મૂલ્ય, આજે જ્યારે સમાજ ‘સુધરતો’ જાય છે ત્યારે ઘટવાને બદલે વધારે સમજાય છે. કાકાસાહેબ કહે છે, “માણસ જેમ જેમ આગળ વધે છે તેમતેમ કૃત્રિમ વિવેક અને નિયમોથી પોતાનું સ્વરૂપ ઢાંકી દે છે. તેથી જ કોઈપણ સમાજનું સાચું સ્વરૂપ જોવું હોય તો તેનાં લોકગીત તરફ જોવું પડે છે.”<ref>4. ર. મહેતા – સંપાદિત ‘લોકગીત’ની ‘રસાસ્વાદ’ નામે પ્રસ્તાવના</ref>
<center>  '''4''' </center>
<center>  '''4''' </center>
નિખાલસતા, નિર્દંભતા એ લોકઅભિવ્યક્તિનું એક અત્યંત આગવું લક્ષણ હોવાથી, આવી અભિવ્યક્તિમાંથી સહજભાવે સાચી ઊર્મિઓ પ્રગટ થઈ જાય.
નિખાલસતા, નિર્દંભતા એ લોકઅભિવ્યક્તિનું એક અત્યંત આગવું લક્ષણ હોવાથી, આવી અભિવ્યક્તિમાંથી સહજભાવે સાચી ઊર્મિઓ પ્રગટ થઈ જાય.
Line 71: Line 71:
શ્રી રણજિતરામ કહે છે: “રાસડા રચનારાઓ નિખાલસ અને મર્મભેદી હોય છે. આપણા સમાજમાં ચાલતી અંધાધૂંધી કે અનીતિ, બૈરાંઓ વગેરે ગરબા-રાસડાથી, ટેલિયાઓ ટેલથી, માણભટો કથાથી ને ભાટો વાર્તાથી ખંખેરતા.”
શ્રી રણજિતરામ કહે છે: “રાસડા રચનારાઓ નિખાલસ અને મર્મભેદી હોય છે. આપણા સમાજમાં ચાલતી અંધાધૂંધી કે અનીતિ, બૈરાંઓ વગેરે ગરબા-રાસડાથી, ટેલિયાઓ ટેલથી, માણભટો કથાથી ને ભાટો વાર્તાથી ખંખેરતા.”
ચૂનીલાલ મોજણીવાળા, તારાં બાણાંનો નાયો પાર!
ચૂનીલાલ મોજણીવાળા, તારાં બાણાંનો નાયો પાર!
એમાં એ ત્રાસ આપનારને બરાબરનો લીધો છે.5 એમ જ પ્રેમશૌય–ત્યાગને બિરદાવે છે. ખંભાતની જેલમાંથી નાસી જનાર સૈદુ મિયાણાનો ગરબો શ્રી હીરાલાલ ત્રિ. પારેખે અમદાવાદમાંથી મેળવેલો. એને હજી ઝાઝાં વરસ નથી થયાં.
એમાં એ ત્રાસ આપનારને બરાબરનો લીધો છે.<ref>5. ‘લોકગીત’ પૃ. 26.</ref> એમ જ પ્રેમશૌય–ત્યાગને બિરદાવે છે. ખંભાતની જેલમાંથી નાસી જનાર સૈદુ મિયાણાનો ગરબો શ્રી હીરાલાલ ત્રિ. પારેખે અમદાવાદમાંથી મેળવેલો. એને હજી ઝાઝાં વરસ નથી થયાં.
લોકસમાજની આવી સર્જકસંવેદના અર્વાચીન કાળ સુધી જાગતી રહી છે. ગાયકવાડ સરકારે પીલવઈ ગામ ઉજ્જડ કર્યું તેનો ગરબો, સુરતની આગના ગરબા, રેલના, રેલવેના, બહારવટિયાઓને બહાદુરીના, રેટિંયાના, અંગ્રેજના, સરદાર તે ગાંધીજીનાં ગીતો–ગરબાઓ થતાં રહ્યાં છે:
લોકસમાજની આવી સર્જકસંવેદના અર્વાચીન કાળ સુધી જાગતી રહી છે. ગાયકવાડ સરકારે પીલવઈ ગામ ઉજ્જડ કર્યું તેનો ગરબો, સુરતની આગના ગરબા, રેલના, રેલવેના, બહારવટિયાઓને બહાદુરીના, રેટિંયાના, અંગ્રેજના, સરદાર તે ગાંધીજીનાં ગીતો–ગરબાઓ થતાં રહ્યાં છે:
<poem>
<poem>
Line 78: Line 78:
બડો રે ટોપીવાળો રે સુજાણ,  
બડો રે ટોપીવાળો રે સુજાણ,  
એણે ધૂમસે ગાડી ચલાવી રે!
એણે ધૂમસે ગાડી ચલાવી રે!
ભૂંકણગાડીનો રાસડો પાલીતાણાની સ્ત્રીઓએ ગાયો છે. હેલિકોપ્ટર જોઈને હજી હમણાં જ કાઠિયાવાડી ગ્રામસમાજમાં એનું નામ પડ્યું છે અદ્ધરિયું!6
ભૂંકણગાડીનો રાસડો પાલીતાણાની સ્ત્રીઓએ ગાયો છે. હેલિકોપ્ટર જોઈને હજી હમણાં જ કાઠિયાવાડી ગ્રામસમાજમાં એનું નામ પડ્યું છે અદ્ધરિયું!<ref>6. એજન, ગીત 33.</ref>
</poem>
</poem>
<center>  '''7''' </center>
<center>  '''7''' </center>
Line 106: Line 106:
બીજું ગીત છે “જેસંગ ઝીણી પિયાલી જળે ભરી રે!” ત્રીજું છે. “લાલ પિયારો રે ભાણેજડો.” એ વાંચીને મુંબઈ યુનિવર્સિટીના પ્રો. જી. એસ. ઘુર્યેએ મેઘાણીને પત્ર લખ્યો: “આપણા સામાજિક ઇતિહાસના વિકાસમાં ‘દેર-ભોજાઈ’ ને ‘મામી-ભાણેજ’ નામની બે ગ્રંથિઓ છે. તેના પુરાવા લોકગીતો, લોકકથાઓ અને લાકકહેવતોમાંથી મળી આવે છે. ‘દેર-ભોજાઈ’ ગ્રંથિ તો ઉત્તર હિન્દ અને રાજપૂતાના પર પણ પથરાયેલ પડી છે, જ્યારે મામી-ભાણેજ કૉમ્પ્લેક્સના અંશો કેવળ ગુજરાત-કાઠિયાવાડની જ વિશિષ્ટતા છે.” (પૃ. 26)
બીજું ગીત છે “જેસંગ ઝીણી પિયાલી જળે ભરી રે!” ત્રીજું છે. “લાલ પિયારો રે ભાણેજડો.” એ વાંચીને મુંબઈ યુનિવર્સિટીના પ્રો. જી. એસ. ઘુર્યેએ મેઘાણીને પત્ર લખ્યો: “આપણા સામાજિક ઇતિહાસના વિકાસમાં ‘દેર-ભોજાઈ’ ને ‘મામી-ભાણેજ’ નામની બે ગ્રંથિઓ છે. તેના પુરાવા લોકગીતો, લોકકથાઓ અને લાકકહેવતોમાંથી મળી આવે છે. ‘દેર-ભોજાઈ’ ગ્રંથિ તો ઉત્તર હિન્દ અને રાજપૂતાના પર પણ પથરાયેલ પડી છે, જ્યારે મામી-ભાણેજ કૉમ્પ્લેક્સના અંશો કેવળ ગુજરાત-કાઠિયાવાડની જ વિશિષ્ટતા છે.” (પૃ. 26)
<center>  '''8''' </center>
<center>  '''8''' </center>
લોકસાહિત્યમાં સમાજનાં જે ચિત્રો મળે છે એના અભ્યાસ પર ભાર મૂકતાં, શ્રી ઇન્દ્રદેવ કહે છે કે સામાજિક સંશોધનની નિયત પદ્ધતિઓથી જે ખર્ચ ને કાળવ્યય થાય ને તે પછી પણ જે ન મળે એ પ્રમાણમાં ઓછે ખર્ચે, ઓછા સમયમાં, મૌખિક લાોકસાહિત્યના અભ્યાસથી મળે.7 આપણે ત્યાં એ શક્ય યુરોપ- અમેરિકામાં અશક્ય; કારણ કે આપણે ત્યાં સામાજિક પરંપરાની ધારા હજારો વર્ષથી અતૂટ વહેતી આવી છે. કંઈક સંસ્કારો ને પરિવર્તનો એણે પચાવ્યાં છે. બીજું, આધુનિક સંશોધન-પદ્ધતિઓનો વિનિયોગ કરવા જતાં આપણે ત્યાં, ગ્રામજીવનના અભ્યાસમાં તો ખાસ, મુશ્કેલીઓ પડે એમ છે. દાખલા તરીકે નિરક્ષર પ્રજા પાસે પ્રશ્નાવલિ-પદ્ધતિ નકામી જ! મુલાકાત લેવા જતાં માલિનૉવસ્કીને જે મુશ્કેલી પડી એ અહીંયે પડે. એના ‘ક્રાઈમ ઍન્ડ કસ્ટમ ઇન સેવેજ સોસાયટી’ (પૃ. 120)માં એ કહે છે: ‘When the native is asked what he would do in such a case he answers what he should do...” અમુક સંજોગોમાં એ કેમ વર્તે કહેવાને બદલે કેમ વર્તવું જોઈએ એનો ખ્યાલ કરીને જ એ જવાબ આપે! કોઈ નૃવંશશાસ્ત્રીના માહિતીદર્શક તરીકે પોતે કામ કરતો હોય ત્યારે ઉત્તમ ધોરણને ખ્યાલમાં રાખી, પોતાનાં ગમા-અણગમા, રાગદ્વેષ, ખણખોદવૃત્તિ વગેરે બાજુ પર મૂકી, પોતે અમુક ધોરણની નીચે બોલતોચાલતો નથી એવી છાપ પાડવા એ મથે છે! આવે વખતે એના લોકસાહિત્યનું અવલોકન જો કરેલું હોય તો તે સંશોધકને ખપમાં આવે છે.
લોકસાહિત્યમાં સમાજનાં જે ચિત્રો મળે છે એના અભ્યાસ પર ભાર મૂકતાં, શ્રી ઇન્દ્રદેવ કહે છે કે સામાજિક સંશોધનની નિયત પદ્ધતિઓથી જે ખર્ચ ને કાળવ્યય થાય ને તે પછી પણ જે ન મળે એ પ્રમાણમાં ઓછે ખર્ચે, ઓછા સમયમાં, મૌખિક લાોકસાહિત્યના અભ્યાસથી મળે.7 આપણે ત્યાં એ શક્ય યુરોપ- અમેરિકામાં અશક્ય; કારણ કે આપણે ત્યાં સામાજિક પરંપરાની ધારા હજારો વર્ષથી અતૂટ વહેતી આવી છે. કંઈક સંસ્કારો ને પરિવર્તનો એણે પચાવ્યાં છે. બીજું, આધુનિક સંશોધન-પદ્ધતિઓનો વિનિયોગ કરવા જતાં આપણે ત્યાં, ગ્રામજીવનના અભ્યાસમાં તો ખાસ, મુશ્કેલીઓ પડે એમ છે. દાખલા તરીકે નિરક્ષર પ્રજા પાસે પ્રશ્નાવલિ-પદ્ધતિ નકામી જ! મુલાકાત લેવા જતાં માલિનૉવસ્કીને જે મુશ્કેલી પડી એ અહીંયે પડે. એના ‘ક્રાઈમ ઍન્ડ કસ્ટમ ઇન સેવેજ સોસાયટી’ (પૃ. 120)માં એ કહે છે: ‘When the native is asked what he would do in such a case he answers what he should do...”<ref>7. A Survey of Research in Sociology and Social Anthropology, (G. C. S. S. R.), ‘Folklore Studies’</ref> અમુક સંજોગોમાં એ કેમ વર્તે કહેવાને બદલે કેમ વર્તવું જોઈએ એનો ખ્યાલ કરીને જ એ જવાબ આપે! કોઈ નૃવંશશાસ્ત્રીના માહિતીદર્શક તરીકે પોતે કામ કરતો હોય ત્યારે ઉત્તમ ધોરણને ખ્યાલમાં રાખી, પોતાનાં ગમા-અણગમા, રાગદ્વેષ, ખણખોદવૃત્તિ વગેરે બાજુ પર મૂકી, પોતે અમુક ધોરણની નીચે બોલતોચાલતો નથી એવી છાપ પાડવા એ મથે છે! આવે વખતે એના લોકસાહિત્યનું અવલોકન જો કરેલું હોય તો તે સંશોધકને ખપમાં આવે છે.
લોકસાહિત્યમાં સમાજમાં ફેલાયેલા વિચારો-આચારો, સંપ્રદાયો, માન્યતાઓ, વગેરે વિષેની સામગ્રી પણ હોય છે. એટલે જે તે વિષયના અભ્યાસમાં પણ લોકસાહિત્યનો અભ્યાસ ઉપકારક રઈ શકે. સામાજિક નિયંત્રણ તરીકેની એની કામગીરી પણ નોંધપાત્ર છે. એ માટે યોગ્ય stereotypes અને prototypes એ સર્જે છે. વીરો, ખલનાયકો, વિદુષકો, ડાગલા, ધૂર્તો વગેરેની એકધારી-એકઢાળી મૂર્તિઓ લોકસાહિત્ય દ્વારા પ્રસારિત થાય છે. વાલ્મીકિના એકમુખી રાવણને બાજુ પર રાખી, એ દેશમુખી હંકાર-મૂર્તિ એવી સર્જે છે કે લોક કહેતું થાય છે: અહંકાર તો રાજા રાવણનોય નથી રહ્યો. આવાં પૌરાણિક દૃષ્ટાન્તો અનેક રીતે પ્રસારિત થયાં હોય છે. સામાજિક વ્યવસ્થા સચવાય એમાં આ સામગ્રી પરોક્ષ રીતે ઉપકારક થઈ પડે છે.
લોકસાહિત્યમાં સમાજમાં ફેલાયેલા વિચારો-આચારો, સંપ્રદાયો, માન્યતાઓ, વગેરે વિષેની સામગ્રી પણ હોય છે. એટલે જે તે વિષયના અભ્યાસમાં પણ લોકસાહિત્યનો અભ્યાસ ઉપકારક રઈ શકે. સામાજિક નિયંત્રણ તરીકેની એની કામગીરી પણ નોંધપાત્ર છે. એ માટે યોગ્ય stereotypes અને prototypes એ સર્જે છે. વીરો, ખલનાયકો, વિદુષકો, ડાગલા, ધૂર્તો વગેરેની એકધારી-એકઢાળી મૂર્તિઓ લોકસાહિત્ય દ્વારા પ્રસારિત થાય છે. વાલ્મીકિના એકમુખી રાવણને બાજુ પર રાખી, એ દેશમુખી હંકાર-મૂર્તિ એવી સર્જે છે કે લોક કહેતું થાય છે: અહંકાર તો રાજા રાવણનોય નથી રહ્યો. આવાં પૌરાણિક દૃષ્ટાન્તો અનેક રીતે પ્રસારિત થયાં હોય છે. સામાજિક વ્યવસ્થા સચવાય એમાં આ સામગ્રી પરોક્ષ રીતે ઉપકારક થઈ પડે છે.
<center>  '''9''' </center>
<center>  '''9''' </center>
1,026

edits