1,026
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading| 36. રાધેશ્યામ શર્મા | (5.1.1936 – 9.9.2021)}} | {{Heading| 36. રાધેશ્યામ શર્મા | (5.1.1936 – 9.9.2021)}} | ||
[[File:36. Radheshyam sharma.jpg|thumb|center|150px]] | [[File:36. Radheshyam sharma.jpg|thumb|center|150px]] | ||
<center> '''સંસ્કારપરાયણ વિવેચનની દિશા''' </center> | <center> '''{{larger|સંસ્કારપરાયણ વિવેચનની દિશા}}''' </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો. | સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો. |
edits