છંદોલય ૧૯૪૯/જલધિને આરે

જલધિને આરે

જા, જનહીન તહીં જલધિને આરે,
એ ના કેવળ સુણશે,
કિન્તુ આ તવ અધીર વ્યથાને વારેવારે
ગભીર ઘેરી નિજ વાણીમાં સહસ્રશતવિધ ગુણશે!

૧૯૪૮