છંદોલય ૧૯૪૯/નયન અંધ

Revision as of 00:24, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નયનઅંધ

હાય રે, નયન અંધ!
પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ?
અંતરના અંકાશને જોવી
બ્હારની રંગીન કાય,
નેનતારાના તેજથી લ્હોવી
તિમિરની ઘન છાંય;
ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ!
કોણે રે મારે પોપચે બાંધ્યો
રંગ-પ્રકાશનો પ્રાણ?
નિજથી નિજનો સંગ લાધ્યો
તે રહી ન બ્હારની જાણ;
જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ!
હાય રે, નયન અંધ!

૧૯૪૮