જનાન્તિકે/સાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાત|સુરેશ જોષી}} {{Poem2Open}} આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવુ...")
 
(+નેવિગેશન ટૅબ)
 
Line 5: Line 5:
આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાજી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીની પાછી લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો – લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર-વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાની ય અજબ માયા હોય છે! કેટલી ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐશ્વર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.
આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાજી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીની પાછી લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો – લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર-વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાની ય અજબ માયા હોય છે! કેટલી ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐશ્વર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = છ
|next = આઠ
}}

Latest revision as of 01:28, 8 August 2023


સાત

સુરેશ જોષી

આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાજી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીની પાછી લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો – લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે. અષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્ર-વૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાની ય અજબ માયા હોય છે! કેટલી ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐશ્વર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ.