જાળિયું/નિવેદન

From Ekatra Wiki
Revision as of 01:24, 15 April 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

નિવેદન

કેટલાક અનુભવો કવિતાના નથી હોતા,
એવા અનુભવોની અભિવ્યક્તિ-મથામણનું પરિણામ તે
આ વાર્તાઓ...
આ ક્ષણે–
પ્રિય કિરીટ, બિપિન અને બિન્દુ સાથેની
‘કથામૈત્રી’ને સલામ કરું છું.
અજિત-મણિલાલ, કાનજી, ભરત-ગીતા નાયક અને
‘સાહચર્ય’ના સર્વ મિત્રોને સ્મરું છું.
આદરણીય ભોળાભાઈએ આ વાર્તાઓ વિશે
પ્રેમપૂર્વક પ્રતિભાવ આપ્યો એ માટે ઋણી છું.
ચિત્રકાર અને મિત્ર જેવા ભત્રીજા તરુણ ભટ્ટને કેમ ભૂલું?
મુરબ્બી તો છે જ, પણ બહુ થોડા સમયમાં
મિત્ર બની ગયા એ ‘વાચના’કાર
રાધેશ્યામ શર્માનો આભાર માનીશ તો એમને નહીં ગમે…
આ વાર્તાઓને પ્રથમ ‘પ્રકાશિત’ કરનાર સામયિકોના
તંત્રી-સંપાદકોનો આભારી છું.
બાબુભાઈ સાહસિક છે જ, એમના વધુ એક સાહસનું
નિમિત્ત બન્યાનો આનંદ છે.
ગુજરાતી વાર્તાના બે તબક્કા સ્વરૂપ
‘ઘર’ અને ‘શેરી’ વચ્ચેનું આ ‘જાળિયું’
ભલે થોડાં, પણ
હવા-ઉજાસ ફેલાવશે એવી આશાએ....

હર્ષદ ત્રિવેદી

આ બીજી આવૃત્તિ પ્રસંગે આનંદ અને આભારની લાગણી સાથે શ્રી જયેશ ભોગાયતને સ્મરું છું.

તા. 17-02-2006
– હર્ષદ ત્રિવેદી