ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/તપસ્વીની તેજ-ધારાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તપસ્વીની તેજ-ધારાઓ|}} {{Poem2Open}} ​મહર્ષિજીનું જીવનચરિત્ર વીરત્...")
 
(No difference)

Latest revision as of 08:28, 17 January 2022

તપસ્વીની તેજ-ધારાઓ

​મહર્ષિજીનું જીવનચરિત્ર વીરત્વની વિધ વિધ ઘટનાઓથી ભરપૂર છે. મણિ-રત્ન જેવું એ માનવ-જીવન પોતાના પ્રત્યેક પાસામાંથી કેવું ઝલકી રહ્યું છે! જગતના રોષ, તિરસ્કાર અને વિદ્વેષનું ઝેર પાળી પાળીને પીતાં પીતાં, તેના બદલામાં, એ યોગીવરે પોતાના આત્મ-મંથનમાંથી કેવું અમૃત વલોવી વલોવીને આપ્યું છે, તેની સાક્ષી દેતા આ જીવન-પ્રસંગો ઊભા છે. આચરણની ઝીણવટમાં જ મહત્તાની કસોટી છે. એ કસોટીની જ્વાળા વચ્ચે સળગતા મહર્ષિ કેવા દીપી ઉઠે છે! એના સિદ્ધાંતો સાથે મતભેદ સેવનારાઓને પણ એની મહાનુભાવતાની આ ઘટનાઓ સત્યનું ભાન કરાવે છે. મતભેદો તો જગતમાં પડ્યા રહેશે. ગગનમાં ચડશે કેવળ આવી જીવન-ફોરમો.