દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૨. વાણી થકી જાણીએ

From Ekatra Wiki
Revision as of 10:29, 21 April 2023 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૨. વાણી થકી જાણીએ

મનહર છંદ


કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે,
પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે;
સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે,
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે;
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે.