દલપત પઢિયારની કવિતા/પ્રારંભિક

અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
દલપત પઢિયારની કવિતા



સંપાદન: રાજેશ મકવાણા



શ્રેણી સંપાદન : મણિલાલ હ. પટેલ



એકત્ર ફાઉન્ડેશન(USA)
(ડિજિટલ પ્રકાશન)




દલપત પઢિયારની કવિતા
સંપા. રાજેશ મકવાણા

EKATRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧


ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ
૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭


સંપાદક-પરિચય

મોરબી જિલ્લાના સજનપર મુકામે ૬ જૂન, ૧૯૭૧માં જન્મેલા રાજેશ જેઠાલાલ મકવાણાએ પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ મોરબીમાં કર્યો. ગુજરાતી ભાષા-સાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ., એમ.ફિલ. પૂર્ણ કરીને ડૉ. બળવંત જાનીના માર્ગદર્શનમાં ‘શામળકૃત ‘સિંહાસનબત્રીસી’ અને એનું મૂળ કથાનક : તુલનાત્મક અભ્યાસ’ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૯૮માં તેઓ અધ્યાપક તરીકે મહેસાણાની મ્યુનિસિપલ આટ્ર્સ ઍન્ડ અર્બન બૅન્ક સાયન્સ કૉલેજમાં જોડાયા ત્યારથી જ તેમણે વ્યાપક સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. નેશનલ અને ઇન્ટરનેશલન પરિસંવાદના સફળ આયોજક ડૉ. રાજેશ મકવાણાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અધ્યયન એકમ પ્રકલ્પ (ચૅર)ના અધ્યક્ષ તરીકે આપેલી દીર્ઘકાલીન સેવાઓ નોંધપાત્ર છે. હાલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. યુ.જી.સીના માઇનર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉત્તર ગુજરાતનું સંતસાહિત્ય’ અને યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત અલ્પ ખેડાયેલા ગુજરાતના અલ્પ વિકસિત લોકસમુદાયના કંઠપરંપરાના સાહિત્ય વિશે કાર્ય કર્યું છે. ‘વિમર્શપથ’, ‘લોકવાઙ્મયઃ સ્વરૂપ સંદર્ભ’, ‘ગુજરાતી સાહિત્ય સત્ત્વ અને સમૃદ્ધિ’, ‘ડૉ. આંબેડકરના અમરસૂત્રો’, ‘ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય’, ‘લોકરિદ્ધિ’, ‘ડૉ. બી. આર. આંબેડકર વિચાર અને વિમર્શ’ ઉપરાંત દસ સંપાદનો પ્રાપ્ત થાય છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક અને કરુણામૂર્તિ ભગવાન મહાવીર ફાઉન્ડેશન લોકસાહિત્યનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. દલિતસાહિત્ય, સંતસાહિત્ય, લોકસાહિત્ય અને વિવેચનના વિવિધ સંપ્રત્યયો એમના રસના વિષયો રહ્યાં છે. ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તાદર્થ્ય’, ‘હયાતી’, ‘અભિદૃષ્ટિ’, ‘લોકગુર્જરી’, ‘નિરીક્ષક’ જેવા સામયિકોમાં ગ્રંથસમીક્ષા અને પ્રવાહદર્શન વડે પોતાનો સમીક્ષાત્મક સૂર પ્રગટ કરતા રહે છે.