26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 23: | Line 23: | ||
આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? | આપણે ત્યાં એ સવાલ ઉત્પન્ન થયો છે કે આવી વાતોથી શું? એનો સમય હવે છે કે નહિ? આજે હવે ‘પાઘડિયાળા પુત્ર’ની વાત જંગલી મનાશે : એનો એક જ પ્રત્યુત્તર છે કે તમે એવું શું અદ્ભુત તત્ત્વ મેળવ્યું છે કે આ જંગલીપણામાંથી દૂર ખસવા માગો છો? ‘ક્રિસ્ટમસ કાર્ડ’ પાછળની ફૅશન જો ઘેલછા નથી મનાતી પણ સુધરેલી મનોદશા મનાય છે, તો થોડા ખર્ચે જીવનમાં ઉલ્લાસ પણ પૂરે ને આદર્શ પણ ઘડે એવી આ વ્રતકથાઓ શું ખોટી છે? | ||
તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. | તરત જ જવાબ મળશે કે આપણો આદર્શ હવે એ પ્રમાણે રહી શકે : પુત્ર ને વહુ આવ્યાં એટલે જીવન જીત્યાં એ વાત આજે ચાલી ગઈ છે. | ||
પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે. | પરંતુ નવો આદર્શ તો હજુ સ્થિર થયો નથી ત્યાં સુધી, જેમાંથી આદર્શો ઘડી શકવાની કંઈક પણ આશા છે એવી આ ભૂમિકાને વિચારો : એની સામાજિક રીતે સમાલોચના કરો : એમાં વહેતું માનસ જુઓ : તંદુરસ્તીભર્યો વૈભવ નિહાળો : અને પછી આજે ફેરવાયેલી પરિસ્થિતિને અનુકૂળ એટલું તમારું બનાવો. કોઈ પણ પ્રજા પોતાનામાંથી જેટલું સરજે તેટલું જ તેને તારશે.<ref>એમના એક પત્ર માંથી.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 231: | Line 231: | ||
::મારા છાણનો ચોકો થાય | ::મારા છાણનો ચોકો થાય | ||
::મારા ઘીનો દીવો બળે | ::મારા ઘીનો દીવો બળે | ||
::મારું દૂધ મહાદેવને ચડે | ::મારું દૂધ મહાદેવને ચડે<ref>‘આંબરડા-ફોફરડા’ વ્રતની અંદર આ પછીની આડંબરી અને કઠોર વૈરાગ્ય ભરી પંક્તિ ઓ અર્થ શૂન્ય અને અસંબદ્ધ લાગે છે. પેસી ગઈ હશે!</ref> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 306: | Line 306: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે. કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી — | સાચાં ને સ્વાભાવિક બંગાળી કુમારિકા-વ્રતોમાં પણ આવી રીતે કૌટુંબિક જીવનની જ માંગણી હોય છે.<ref>બંગાળી સેંજૂલી વ્રતમાં તો કન્યા ને મુખે સચોટ માગણી મૂકી છે : | ||
હે હર શંકર, દિ નકર નાથ, | |||
કખનો ના પડિ જેને મૂર્ખે ર હાત.</ref> કુટુમ્બજીવનની એ પ્રીતિને જાણે કે પ્રકૃતિના ધાવણમાંથી જ ધાવતી ગુર્જર કન્યાઓ ગાતી — | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
Line 459: | Line 461: | ||
<center>'''પૃથ્વીનું મમત્વ'''</center> | <center>'''પૃથ્વીનું મમત્વ'''</center> | ||
{{Poem2Open}} | |||
આર્યો અને આર્યોના પૂર્વગામીઓ’ એ બન્નેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બન્ને પ્રજાની મનોકામનાઓ પણ ઘણુંખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે; એટલે કે ધન, ધાન્ય, સૌભાગ્ય, લાંબું આયુષ્ય — એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જડાયેલો દેખાય છે. આ વાત તેઓનાં વ્રતોમાં છુપાયેલી છે. ઉદાહરણ તરીકે વેદના સૂક્તો વાટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે | |||
‘ઈન્દ્ર અમને સહાય આપો! એ અમને વિજય અપાવો! શત્રુઓ દૂર નાસી જાઓ!’ ઇત્યાદિ. | |||
અને બંગાળી વ્રતો વાટે નારીજાતિના પ્રાણે યાચના કરી કે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રને રને એયો હવ | |||
::જને જને સૂયો હવ | |||
::આકાલે લક્ષ્મી હવ | |||
::સમયે પુત્રવતી હવ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક-ફળની વાંછના જુઓ : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::વસુમાતા દેવી ગો! કરી નમસ્કાર | |||
::પૃથિવીતે જન્મ જેન ના હય આવાર! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે, તે નથી વેદની, વા તો નથી વ્રતોની. વેદનાં સૂક્તો અને વ્રતોનાં જોડકણાં બન્ને આપણી રૂપકથા માંહેલા ગરૂડપંખી અને ગરૂડપંખણી સાથે સરખાવી શકાય. બન્ને પૃથ્વી પરનાં છે, છતાં વેદનાં સૂક્તો ઉન્મુક્ત ને સ્વતંત્ર છે; અરણ્યોની નીલિમા પર આસમાનમાંથી વરસતા નર-પંખીના ગાન સરખાં છે; વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષકંઠના લલકાર સમાં છે; જ્યારે વ્રતોનાં જોડકણાં, જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટ સરીખાં છે. છતાં બન્ને ગાન આ ધરતીના જ સૂરમાં બંધાયેલાં છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''વિધિની રહસ્યમયતા'''</center> | |||
{{Poem2Open}} | |||
શાસ્ત્રીય વ્રતોમાં, દરેકને લગતી મનકામના ભલે ભિન્ન ભિન્ન હોય, છતાં તેની ક્રિયા વા વિધિ બ્રાહ્મણ એક જ તરેહની કરાવે : એક જ મંત્ર! માત્ર તેમાં દેવ કે દેવીનાં નામ બદલાય; અને અન્ય વિધિઓ પણ એક જ સરખી. સાચાં લોક-વ્રતોમાં એમ નથી. ત્યાં તો જે મનકામના હોય, તેની સાથે બંધબેસતી ક્રિયામાં જ અંતરેચ્છા પ્રગટ થાય. દૃષ્ટાંત : વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય, ગરમીમાં વૃક્ષો મરી ન જાય, તેવી પ્રાર્થનાને પ્રકટ કરવા માટે ‘પૂર્નિપુકુર વ્રત’ની અંદર, સરોવરની રચના કરવી જોઈએ, તેમાં બીલી-વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ, સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે. એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંછનાને અનુરૂપ રચના થાય છે. | |||
{{Poem2Close}} | |||
<center>'''દટાયેલો ઇતિહાસ'''</center> | |||
{{Poem2Open}} | |||
આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલી નથી. ઋતુઓના પરિવર્તનની સાથોસાથ માનવદશામાં જે પલટો આવે છે, એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે. નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ જેટલા જ પુરાતન બલકે તેથીયે પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે. | |||
આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરઘેર આજ પર્યંત શી રીતે ચાલુ રહી ગઈ? ઉત્તર એ છે કે આપણાં સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો, પણ આપણું અંત:પુર તો તેની સાથે નથી જ પલટાયું. એ તો ગઈ કાલે, પરમ દિવસે, બલકે તેથીયે અને તેનાથીયે પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે. એટલે જ આ નારીવ્રતો ત્યાં જળવાઈ રહ્યાં. માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો. અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી, તેમ છતાં તેઓનું શિલ્પ, તેઓનાં મંદિરો, મઠો અને તેઓનાં ઘરબાર, કંઈક માટીની અંદર, કંઈક માટીના પડને માથે અરણ્યોમાં, અને વળી કેટલાંક લોકસ્મૃતિની અંદર અંત:પુરમાં સચવાઈ રહ્યાં : મરનારાઓને મુખેથી જ મરનારાઓનો ઇતિહાસ બોલાવવાને માટે! બંગાળનાં આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈવાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે, ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઇતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, ઉપાખ્યાન પર્યંતની સામગ્રી સાંપડી રહી છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવા જેવાં નથી. | |||
{{Poem2Close}} | |||
<center>'''જંગલી નથી'''</center> | |||
{{Poem2Open}} | |||
અને જેની અંદરથી સભ્ય જાતિનાં આવાં સુલક્ષણો મળી આવે છે, એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ? આર્યો જેઓને જંગલી વ્રતો કરનારા અને નિરુદ્યમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે, તેઓનું તો આ વ્રતોની અંદરથી અને શિલ્પચિત્રના ઇતિહાસમાંથી આપણને તદ્દન ઊલટું જ ઓળખાણ થાય છે. જેમ કે વાસ્તુવિદ્યા એ મયશાસ્ત્ર છે. હવે, મય તો દાનવ હતો! વળી આર્યો તો જ્યારે યુદ્ધવિજયની મનકામના ઇંદ્રના હોમહવન વાટે કરતા હતા, ત્યારે બીજી બાજુ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને ગઢકિલ્લા બાંધી રહ્યા હતા — ઈન્દ્રને ખુશ કરવા નહોતા બેસી રહ્યા. તેમજ તેઓની કન્યાઓ પણ કેવાં વ્રતો કરતી! ‘રને રને એયો હવ!’ : જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો, પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઊતરતી હતી એમ ન કહી શકાય. રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતનાં જોડકણાંની અંદર ખડી થાય છે, અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે, તે આદર્શ અને તે મૂર્તિની સરજનહાર પ્રજા જંગલી કેમ હોઈ શકે? | |||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | |||
<small>[ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઊતરે છે. આ અસલી પ્રજાનાં વ્રતો કે જેને અનુસરતાં વ્રતો બોહિમિયામાં, ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીનાં બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિમાહાત્મ્યનાં કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિપ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણરચિત દધિસંક્રાન્તિ, ગુપ્તધન, ધૃમસંક્રાન્તિ, દાડિમસંક્રાન્તિ, બ્રાહ્મણાદર ઇત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળાં આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી. તેમાં તો ઋતુઓના ઉત્સવ છે. પછી તો એની કલમ કાવ્ય વહાવે છે :]</small> | |||
{{Poem2Close}} | |||
<center>'''જીવનયાત્રાની છબી'''</center> | |||
{{Poem2Open}} | |||
વ્રતોનાં જોડકણાં પૂર્વ બંગાળનાંયે જુદાં, પશ્ચિમ બંગાળનાંયે જુદાં, છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાંની, કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણાં અંતરમાં જાગી ઊઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહિ જડે. દૃષ્ટાંત લો : પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે, અને આ વ્રત સવારનું છે. તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે; ગામની ઉપર ઝકુંબેલા મોટાં વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે; પ્રભાત ઝાકળબિન્દુઓથી જરી જરી ભીંજાયેલું હશે; ગામની વાડે વાડે, અને ઘરોને છાપરે છાપરે, સિમ-વૃક્ષનાં લીલાં લીલાં પાંદડા ઝૂલતાં હશે; ખેતરે ખેતરે રાઈ અને સરસવનાં ફૂલ, દૂધ અને હળદરનાં ફીણ સરીખાં ઊજળી રહ્યાં હશે; તે વખતે રામપાતરમાં રીંગણાનું પાંદડું રોપી, માટી ભરી, કુમારિકાઓ ટોળે વળીને ‘તોષલા વ્રત’ ઊજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફૂલો વડે વ્રતનો આ રીતે આદર થયો હશે; પ્રથમ તોષલા (સંતોષ દેનારી, ધાન્ય દેનારી) દેવીનું આવાહન કરે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::તૂષ-તૂષલી, તૂમિ કે | |||
::તોમાર પૂજા કરે જે | |||
::ધને ધાન્યે બાડન્ત | |||
::સુખે થાકે આદિ અંત | |||
::[તોષલા દેવી, કોણ છો તમે? | |||
::તમારી પૂજા જે કરે | |||
::ધને ધાને અભરે ભરાય | |||
::જીવતાં સુધી સુખી થાય.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી વ્રત-સામગ્રી વર્ણવાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ગાઈયેર ગોબર, સરષેર ફૂલ | |||
::આસન પિડિ, એલો ચૂલ | |||
::પૂજા કરિ મનેર સુખે | |||
::સ્વર્ગ હતે દેવી દેખે | |||
::[ગાયનું છાણ, સરસવનાં ફૂલ | |||
::બાજઠ બેસી, છૂટે કેશ | |||
::પૂજા કરીએ મનને સુખે, | |||
::સ્વર્ગેથી જગદમ્બા દેખે.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘બાજઠ બેસી છૂટે કેશ’ : મેક્સિકોની રમણીઓ ‘છૂટે કેશે’ જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે. પછી કન્યાઓ પાતાની મનવાંછના જણાવે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કોદલ-કાટા ગન પા’વ | |||
::ગોહા’લ-આલો ગુરુ પા’વ | |||
::દરબાર-આલો બેટા પા’વ, | |||
::સભા-આલો જામાઈ પા’વ | |||
::મેજ-આલો ઝિ પા’વ | |||
::આડિ-માપા સિંરૂર પા’વ | |||
::[કોદાળીએ ખોદાય એટલું ધન દેજો! | |||
::ગમાણ-દીવો ગોધલો દેજો! | |||
::દરબાર દીવો દીકરો દેજો! | |||
::સભા-દીવો જમાઈ દેજો! | |||
::મેજ-દીવો દીકરી દેજો! | |||
::માણું પાલી હિંગળો દેજો! | |||
::ઊંચા કુળમાં અવતાર દેજો! | |||
::ઘર દેજો નગરમાં | |||
::ને મૃત્યુ દેજો સાગરમાં!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી તો પોષ માસની સંક્રાંતિને દિવસે સૂર્યોદય પહેલાં કન્યાઓ વ્રત વધાવી લઈને, એક કોડિયામાં ઘીનો દીવો પેટાવી, કોડિયાં મસ્તકે મેલી, હારબંધ નદીમાં સ્નાન કરીને તોષલાદેવીને ડુબાવવા જાય છે. પગ તળે ઠંડી માટી છે. ઠંડો વાયુ સૂસવે છે, અને નદીના શીતળ નીરનો સ્પર્શ થતાં કાયા કમ્પે છે. આવાં શીતળ જળ, સ્થળ અને આકાશની સામે કન્યાઓ નદીતીરે જતાં જતાં પડઘો પાડે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::મા’ મહિનાનાં શીતળ પાણી | |||
::છલ છલ રે સોહાગણ રાણી | |||
::શીતળ નીરે નાયાં. | |||
::ગંગામાં જઈ નાયાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ પછી, થર! થર! ઠંડીની અંદર, સૂર્ય અને પૃથ્વીના મિલનની જાણે જરા આકાંક્ષા જાગી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કડ કડ ટાઢે સૂરજ જાગે | |||
::સૂરજરાણો લગન માગે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ પછી ગંગાતીરે પાણીના કલકલ ધ્વનિ અને પંખીઓના કિલકિલાટ રૂપે જાણે કે સૂર્યદેવનાં વાજાં વાગી રહ્યાં છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રમ ઝમ! કલ કલ! ઢમ ઢમ થાય | |||
::સૂરજરાણાના વિવા થાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હજુ વૃક્ષવેલડીનાં ઝાકળભીનાં પાંદડા પોઢેલાં છે; એ વેળા વરરાજાને વેશે સૂર્યરાણા ચાલ્યા આવે છે; જરાક ઝગ! ઝગ! થતા સોનેરી અજવાળા પરથી એ આગમનનું સૂચન થાય છે ને કન્યા ગાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::રીંગણાનાં પાંદડાં ઢોલક બજાવે | |||
::કાને કુંડળ ને સૂરજરાણો આવે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ વખતે નદીમાં ડુબાવેલી તોષલા દેવીની બાકીની માટી અને સૂર્ય : એ બંને વસ્તુઓનો ધાન્ય ઉગાડવામાં મુખ્ય મદદગાર તરીકે આભાર માનીએ કુમારિકાઓ પાણીમાં રેતી છાંટવાની રમત રમે છે. | |||
તે પછી સૂર્યોદયનાં દર્શન કરી, સ્નાન કરી, વ્રતને અંતે નદીતીરે ઊભાં રહી સૂર્યોદયના દર્શન કરે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સૂરજરાણા ચડિયા છે વડી ગંગાને ઘાટ | |||
::કોના હાથમાં તેલ રૂમાલ આપો સૂરજને હાથ | |||
::સૂરજરાણા ચડિયા છે વચલી ગંગાને ઘાટ | |||
::કોના હાથમાં કંકણ સિંદૂર, આપો સૂરજને હાથ | |||
::સૂરજરાણા ચડિયા છે નાની ગંગાને ઘાટ. | |||
::સૂરજ ચડિયા સેજે | |||
::ત્રાંબાવરણે તેજે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ રીતે સૂર્ય-પૃથ્વીનાં લગ્નની છેલ્લી રમ્યતા પણ કલ્પી લેવાય છે. | |||
તોષલા વ્રતની આ તમામ વિધિ : શિયાળાના સવારનાં આ વિવિધ દૃશ્યો : એ તાજી નાહેલી કન્યાઓના મુખ પરનો સિંદૂર અને ત્રાંબાવરણાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત એ સૂર્ય : એ તમામનું વર્ણન આપણને એવા કોઈ ભૂતકાળમાં ખેંચી જાય છે કે જ્યાં માનવીની તથા સચરાચર વિશ્વની વચ્ચે સરસ નિગૂઢ એક સંબંધ જામી પડ્યો હતો; અને જ્યાં શાસ્ત્રીય વ્રતોના તેમ જ આચાર અનુષ્ઠાનના ભાર નીચે ચગદાઈને માનવી ચોગરદમથી આનંદહીન અને પ્રાણવિહીન નહોતો થઈ પડ્યો. | |||
{{Poem2Close}} | |||
<center>'''ભાદૂલી વ્રત'''</center> | |||
{{Poem2Open}} | |||
એ ભાદ્રપદ માસની અંદર પ્રવાસે ગયેલાં સ્વજનોને નદીઓનાં તથા સમુદ્રનાં તોફાનોમાં નિર્વિઘ્ને પાછા પહોંચાડવાની યાચનાથી ભરેલું આ વ્રત છે. જોડકણાંમાંથી પણ એક દૃશ્ય-નાટિકા ગોઠવી કાઢી શકાય છે. પ્રથમ ક્રિયાનો આદર થાય છે : ભાદરવા માસની ભરપૂર નદી : અને એક કાંખમાં ગાગર લઈને જાણે કે બે કન્યાઓ પાણી ચાલે છે : એક નાની કુમારિકા એક ઘૂંઘટવાળી નાની વહુ અને બીજી સહિયરો : એક પછી એક નદીના પાણીમાં ફૂલ નાખીને બોલે — | |||
{{Poem2Close}} | |||
<center>'''કન્યા'''</center> | |||
<poem> | |||
::નદિ! નદિ! કોથા જાઉ? | |||
::બાપ ભાઈયેર વાર્તા દાઉ? | |||
::[નદી રે નદી તું ક્યાં જાય? | |||
::ક્યાં છે મારા બાપ ને ભાઈ?] | |||
</poem> | |||
<center>'''નાની વહુ'''</center> | |||
<poem> | |||
::નદિ! નદિ! કોથા જાઉ? | |||
::સ્વામી શશુરેર વાર્તા દાઉ. | |||
::[નદી રે નદી ક્યાં જાય છે? | |||
::સ્વામી સસરાના ખબર દે.] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે વરસાદનું એક ઝાપટું વરસ્યું. બધી કન્યાઓ ચોમેર ફૂલ છાંટીને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::નદિર જલ વૃષ્ટિર જલ, જે જલ હઉ; | |||
::અમાર બાપ-ભાઈયેર સંવાદ કઉ. | |||
::[નદીનાં નીર, વાદળીનાં નીર, જે નીર હો! | |||
::ભાઈના ને બાપના વાવડ કહો!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વૃષ્ટિને અંતે ઘનઘેરા આકાશની અંદર સફેદ બગલાનું એક વૃંદ ઊડતું ઊડતું ચાલ્યું ગયું. એક કાગડાનું ટોળું પણ કા! કા! કરતું ઝાડ પરથી ઊડીને ગામ ભણી ગયું; ને આકાશ કંઈક સ્વચ્છ થયું. કન્યા બોલે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કાગા રે! બગા રે! કા’ર કપાલે ખાઉ? | |||
::અમાર બાપ ભાઈ જે ગેછેન વાનિજ્યે | |||
::કોથાય દેખલે નાઉ. | |||
::[કાગા ભાઈ! બગા ભાઈ! | |||
::ક્યાં ઊડ્યા ક્યાં બેઠા! | |||
::ભાઈ-બાપ ગ્યા છે વેપારે! | |||
::ક્યાંય ન એને દીઠા!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાં તો વાદળાં ભેદીને સૂર્યે ભરચક નદીના હૈયા ઉપર ઝલક ઝલક કિરણો પાથરી જાણે પાણી સાથે મિલાવી દીધાં. કન્યા ગાય છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચડા! ચડા! ચેયે થેકો | |||
::આમાર બાપ ભાઈકે દેખે હેસો | |||
::[ચડા! રે ચડા! જોતો રે’જે | |||
::ભાઈ-બાપાને ભાળી હસજે!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કોઈ ગામની એક હોડી તણાતી ચાલી જાય છે તેને જોઈને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ભેલા! ભેલા! સમુદ્રે થેકો, | |||
::આમાર બાપ-ભાઈરે મને રેખો. | |||
::[હોડી! હોડી! દરિયે રે’જે! | |||
::ભાઈ-બાપાને જાળવજે!] | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
પછી વ્રત-વિધિનો બીજો પ્રવેશ મંડાય છે. અરણ્યની ગીચ ઝાડીઓ ને પહાડો : અંધારી રાત : અને છેટેથી પ્રાણીઓની તેમ જ દરિયાની ગર્જના સંભળાય છે. ભયભીત સ્વરે કન્યાઓ બોલે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::જંગલના નાર! જંગલના વાઘ : | |||
::પછી સર્વે રડતી રડતી — | |||
::ક્યાં રે હશે મારા ભાઈ ને બાપ! | |||
::ક્યાં રે હશે મારા સસરા ને શ્યામ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વનદેવી જાણે આશ્વાસન આપે છે. ઉદયગિરિના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે. ઉદયગિરિને ફૂલ ચડાવવીને કન્યાઓ આરાધે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ઉદયગિરિ રે ઉદયગિરિ | |||
::સોનાની તારી પાઘલડી. | |||
::આટલી પૂજા જાણજે | |||
::ભાઈ-બાપને ઘેરે આણજે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે સૂર્યોદયનાં અજવાળાં વચ્ચે, મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષારૂપી બે નૌકામાં પગ રાખી, સમુદ્ર પર ભાદૂલી દેવી પ્રકટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સાત સમુદ્ર વાયુ ખેલે, કયે સમુદ્રે છોળ ઉછાળે! | |||
::સાગરને વીંટીને બધી કન્યાઓ બોલે છે : | |||
::દરિયા દરિયા પાય પડું | |||
::તુજ સું મારે બેનપણું : | |||
::ભાઈ બાપ ગ્યા છે વેપારે | |||
::સ્વામી ગ્યા છે વેપારે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ત્યાં તો જાણે આકાશવાણી થાય છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::આજ જ પાછા આવશે! | |||
::આજ જ પાછા આવશે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ એક પછી એક દૃશ્ય ગવાતું આવે છે, ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે, ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે. | |||
{{Poem2Close}} | |||
<center>'''ધાન્યોત્પાદનનો આનંદ'''</center> | |||
{{Poem2Open}} | |||
એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે, અને શરદ ચાલી આવે છે — તેના ઉત્સવ સમું આ ભાદૂલી વ્રત છે. એવું જ શસપાતા વ્રત : એમાં માનવી વિપુલ ધાન્યની વાંછના કરે છે. પણ એ વાંછના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી ‘દો! દો!’ કરવાનું નથી; પણ એ વ્રતની વિધિમાં જ સાચેસાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે, તે આનંદને નાચગાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે. | |||
એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન માટે, ચિત્ર વાટે ને નૃત્ય-અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પુરોગામી પુરાવા | |||
|next = લોકજન્ય સમાજશાસ્ત્ર | |||
}} | |||
<br> |
edits