પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.

From Ekatra Wiki
Revision as of 09:51, 21 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ |પાંચમી ગુજરાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ

પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ: સુરત
મે ૧૯૧૫


સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)

“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”