પરિષદ-પ્રમુખનાં ભાષ૨ણો/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 14: Line 14:


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = પ્રકાશન માહિતી
|previous = [[પરિષદ-પ્રમુખનાં ભાષણો૨/પ્રકાશન માહિતી|પ્રકાશન માહિતી  ]]
|next = ૧૪
|next = [[પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૪|૧૪. કવિશ્રી અરદેશર ફરામજી ખબરદારનું ભાષણ]]
}}
}}

Latest revision as of 06:11, 24 February 2022

નિવેદન

ગુજરાતી સાહિત્ય પરિષદના ૧થી ૧૩ અધિવેશનોના પ્રમુખોનાં ભાષણોનો ગ્રંથ અગાઉ ૧૯૪૧માં પ્રસિદ્ધ થયો હતો. તેનું પુનર્મુદ્રણ પણ હમણાં જ પ્રકાશિત કર્યું છે. હવે ૧૪મા અધિવેશનથી હમણાં જ મળી ગયેલા વલ્લભવિદ્યાનગરના ૨૭મા અધિવેશન સુધીના પ્રમુખોનાં ભાષણો “પરિષદ પ્રમુખોનાં ભાષણો, ગ્રંથ-૨” રૂપે પ્રસિદ્ધ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. ૧૯૫૯ પછી નિયમિત રીતે દર બેવ ર્ષે પરિષદનાં અધિવેશનો યોજાતાં રહ્યાં છે. તે પૂર્વેના ૧૯૪૧માં યોજાયેલા ચૌદમા અધિવેશનના પ્રમુખશ્રીના ભાષણથી આ ગ્રંથનો પ્રારંભ થાય છે. એટલે ચૌદમા અને સત્તાવીશમા અધિવેશન વચ્ચે વર્ષોનો લાંબો ગાળો જોવા મળે છે. આ બધા સમયગાળા વચ્ચેનાં અધિવેશનોના પ્રમુખોનાં ભાષણો સાહિત્યાન અભ્યાસીઓ તેમજ સાહિત્યરસિકોને માટે ઉપકારક બની રહેશે એવો વિશ્વાસ છે. આ ગ્રંથપ્રકાશનમાં જેમણે સહાય કરી છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. કેટલાંક અનિવાર્ય કારણોસર ૧૬મા અધિવેશનના વ્યાખ્યાન પછી ૧૮મા અધિવેશનનું વ્યાખ્યાન છપાયું છે ને પછી ૧૭મા અધિવેશનનું. આ ફેરફારની નોંધ લેવા વિનંતી છે. મંત્રીઓ
મહાશિવરાત્રી તા. ૨૦-૨-’૭૪