પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big>'''જેને ‘મારું’ કહી શકું'''</big></big></center> <poem> મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું, જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું. ભલેને એનામાં મારા જેવી અધૂરપો હો...")
 
No edit summary
 
Line 18: Line 18:
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = તમે જો ન હોત
|previous = તમે જો ન હો
|next = મે ધ્રુવ, તમે ધરી
|next = તમે ધ્રુવ, તમે ધરી
}}
}}

Latest revision as of 00:12, 29 March 2024

જેને ‘મારું’ કહી શકું


મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

૨૦૦૭