પુનશ્ચ/જેને ‘મારું’ કહી શકું

જેને ‘મારું’ કહી શકું


મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

૨૦૦૭