પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions

()
()
Line 330: Line 330:
માણસ માત્રની
માણસ માત્રની
પાંચેય ઇન્દ્રિયોમાં.
પાંચેય ઇન્દ્રિયોમાં.
</poem>
'''ઇયળ-૧'''
<poem>
ઇયળબેન, શું પૂછ્યું તમે?
કવિનું કામ શું એમ?
કવિનું સૌ પહેલું કામ તે
ચિત્રગુપ્તનાં પાપપુણ્યોનો હિસાબ રાખવાનું;
એમ કરતાં સમય બચે
એમાં ધરતીકંપોને કક્કો અને બારાખડી
અને જ્વાળામુખીઓને સોએકડી શીખવવાનું;
અને એમ કરતાં પણ સમય બચે તો એમાં
ગોકળગાયના કે વઢવાડિયા ફૂલના કે શ્રીમંત બાવળના
સનેડા લખવાનું.
ઓહ્, તમારે પણ કવિ થવું છે એમ?
ઇયળબેન, બહુ અઘરું છે કવિ બનવું.
એ માટે સૌ પહેલાં તો તમારે
રૂઢિપ્રયોગોનું ધાવણ ધાવવું પડે;
પછી કહેવતોને
હોજરીમાં રાજ્યાશ્રય આપવો પડે;
ખીલાઓને ફૂલ જેમ ખીલવાનું મન થાય તો એમને
જીભ પર રોપી ખાતરપાણી આપવું પડે.
આ બધું કરી શકશો તમે?
તો પછી તમે કવિ ન બની શકો.
તમતમારે ખાએ જાઓ પાંદડાં
ઊકેલ્યે જાઓ તાણાવાણા
બ્રહ્માંડના.
જો એમ કરતાં વચ્ચે ગાંઠ આવે તો મને કહેજો
હું બેઠો છું અહીં અનરાધાર આભની નીચે
શ્રી સવાની કાતર લઈને.
</poem>
</poem>
26,604

edits