મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 628: Line 628:


૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫
૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫
{{Poem2Close}}
== ખેવના ==
{{Poem2Open}}
‘ખેવના’નો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઊમટી પડે. હાશ હવે કંઈક નવું – એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના’ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડું. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના', ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ' જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે.
બાબુલાલ ગોર ખેવના, ૮૩, સપ્ટે., ૨૦૦૪
‘ખેવના’ને કાનફૂસિયાંમાં રસ નથી. સાહિત્યની કશાપણ પ્રકારની ચિંતા કરનારને માટે ‘ખેવના' સદા ખુલ્લું છે.
સુમન શાહ ખેવના, ૨, મે-જૂન, ૧૯૮૭
'''<big>ખેવના</big>'''
‘શબ્દસૃષ્ટિ’ અને ‘સન્ધાન' જેવી સામયિક પ્રવૃત્તિથી ધ્યાન ખેંચનારા સુમન શાહનું વિશેષ પ્રદાન તો ‘ખેવના' રૂપે આપણી સામે આવ્યું છે એ વાત જાણીતી છે. કોઈ સામયિકને બાવીસ વર્ષ જેટલા લાંબા પટ પર સફળતાપૂર્વક ચલાવવું અને એમાં સાહિત્યના કેટલાક અત્યંત મહત્ત્વના સાહિત્યપ્રશ્નોને ચર્ચાની એરણે ચઢાવવા પોતાનું એક સામયિક જોઈએ એમ સંપાદકે માન્યું હશે. આશ્ચર્ય થાય કે આપણી ભાષાના સામયિકોમાં નોંધ લેવી પડે એવા લખાણો આ સામયિકમાં પ્રગટ થયા હોવા છતાં જાહેરમાં એમની ભાગ્યે જ નોંધ લેવાઈ છે ! પરિષદના સરવૈયાઓ કે તૂટકછૂટક નોંધ સિવાય ‘ખેવના’ના પ્રદાન વિશે આપણે ત્યાં કોઈ નોંધ પ્રાપ્ત નથી એનું એક કારણ એના પ્રકાશક લેખે પાર્શ્વ પ્રકાશનના બાબુભાઈ શાહ હતા. એના લીધે ‘ખેવના’ને હાઉસમેગેઝિન તરીકે જ લોકોએ ગણી લીધું. પ્રારંભથી એ ઓળખ છેક સુધી ભૂંસાઈ ન હોય એનું ઉદાહરણ ‘ખેવના’ બન્યું. ‘ઉદ્ગાર’ કે ‘ઓળખ’ જેવા સામયિકને વાચક કેવળ નવા પ્રકાશનોની જાણ ખાતર નજર ફેરવી બાજુએ મૂકે એમ ‘ખેવના’ને બાજુએ મૂકાયું છે. એ જ રીતે આપણે ત્યાં સામયિકસંદર્ભે થતા અભ્યાસલેખનો કે સમીક્ષાનો પણ ‘ખેવના’ને કોઈ લાભ મળ્યો નથી. પરંતુ એના પ્રકાશિત સો અંકોમાં એવી કેટલીક નોંધપાત્ર સામગ્રી મળી આવશે જેને કારણે એક સાહિત્ય સામયિક લેખે ‘ખેવના'નું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. ‘ખેવના’ના પ્રદાનને ચીંધવાનો ને એ રીતે આપણા ઘરદીવડાઓએ રેલાવેલા સહેજઅમથા તોયે અલભ્ય પ્રકાશનો મહિમા કરવાનો અહીં પ્રયાસ છે.
‘ખેવના’ના આરંભના અંકોમાં ‘સાહિત્ય અને સમૂહમાધ્યમોના દ્વૈમાસિક' તરીકે એમની ઓળખ આપવામાં આવેલી. સાહિત્ય ઉપરાંત સિનેમા, પત્રકારત્વ અને દૂરદર્શન સંબંધી લેખો એમાં પ્રકાશિત થયા છે. પણ ઉત્તરોત્તર સાહિત્ય પદાર્થની ખેવના પર ઝોક વધતો ગયો અને અંત લગી ‘ખેવના'નો એજ ધ્યેયમંત્ર બની રહ્યો.
તંત્રીનો સાહિત્યિક પત્રકારત્વ વિશે વિચાર :
તંત્રીએ ‘ખેવના’માં તેમ અન્ય સામયિકોમાં લખેલા લેખો પરથી પોતાની સાહિત્યિક પત્રકારત્વની વિભાવના રજૂ કરી છે. સાહિત્યકારો અને સાહિત્યની સમજ દાખવતા સામયિકો સતત વિકાસશીલ રહેવા જોઈએ એમ માનનારા આ તંત્રીએ સર્જન, વિવેચન અને સંશોધનની ત્રિવિધ ભૂમિકાએ ‘શબ્દસૃષ્ટિ'ને કેવળ ચલાવવા ખાતર નહીં પણ નવપરિવર્તનની દિશાએ લઈ જવાના પ્રયત્ન રૂપે હાથમાં લીધેલું. એ છોડી દીધા પછી ગુજરાત સહિત્ય અકાદમીને ‘ખેવના’માં એક લાંબાલેખરૂપે તેઓ જે વિવિધ સૂચનો કરે છે એમાં અકાદમીના સામયિક ‘શબ્દસૃષ્ટિ’ વિશે કશું ન હોય તો જ નવાઈ પામવા જેવું ગણાય. ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી રૂપે કોઈ વિદ્વાન માણસને પૂરા કદની સેવાના ધોરણે સોંપવાનું ને કોઈ બીજા વિદ્વાનને સંપાદનને સ્થાને એ જ ધોરણે નીમવાની તેઓએ વાત કરી છે જેથી જતે દિવસે તન્ત્રી ના હોય તો આ કાર્ય સીધું જ સામયિકને સોંપી શકાય કેમકે સામયિકનું સંચાલન એ પાકો અનુભવ માગી લેતું ગંભી૨ કાર્ય છે એમ એમણે વખતોવખત પ્રગટ કર્યું છે. સાહિત્યિક સામયિક કોઈ સંસ્થાના પીઠબળથી ચાલતું હોય તો પણ એને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા, સ્વાયત્ત રાખવામાં જ તેઓ સામયિકનું હિત જુએ છે. સામયિકની સતત સમીક્ષા થાય જેથી એ ઘરેડમાં બંધાઈ ન રહે, વિકસવાના રસ્તાઓ સૂઝી આવે અને સંસ્થા દીધી મોકળાશનો તંત્રીએ કેવો અને કેટલો લાભ અંકે કર્યો એ તપાસવા નિષ્પક્ષ ભૂમિકા રચવાની તેઓએ જિકર કરી છે. સંસ્થાના સામયિક તંત્રી અને સંપાદક કેવળ માનદ્ ન હોવા ઘટે પણ એવા મહત્ત્વના કામ માટે તંત્રી અને સંપાદકનું સયુક્તક ગૌરવ કરવા ને નોંધપાત્ર રકમ ચૂકવવા પણ તેઓ ભારપૂર્વક કહે છે. અકાદમીએ ચીલાચાલું સામયિકને બદલે કેવા સામયિકો કરવાની જરૂર છે એ વાત કરતા તેઓ એક સામયિક ‘નવનીતસમર્પણ’ જેવું, જે ઉમદા ડાયજેસ્ટ સ્વરૂપનું હોય ને વળી, પ્રજાના વધારે મોટા સમુદાય માટેનું બની રહે. બીજું ‘ગ્રંથ’ જેવું અવલોકનસમીક્ષાનું, વિવેચનના સિદ્ધાંત અને પ્રત્યક્ષ પક્ષોનો સમાવેશ કરતું સામયિક હોવું જોઈએ એવી વાત તેઓ મૂકે છે. આપણે ત્યાં સંસ્થાના સામયિકો આવા વિશિષ્ટ સામયિકો પ્રકાશિત કરે એ વાત રોમાંચક લાગે. ‘પરબ’ જેવા માસિક સાથે ‘ભાષાવિમર્શ’ ચલાવનારી પરિષદને આખરે એ અભ્યાસ ત્રૈમાસિક નાછૂટકે બંધ કરવું પડેલું. અકાદમી ‘લોકગુર્જરી’ જેવા અનિયતકાલીન સામયિકનું પ્રકાશન કરી રહી છે પરંતુ અહીં તંત્રી ચીંધ્યા સામયિકો કોઈ સંસ્થા કરી શકી નથી. અન્ય જગાએ પણ આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે : આપણું દરેક સામયિક પોતાની રીતે બરાબર જણાય છે છતાં આપણે એમ પૂછતા નથી કે ગુજરાતી સાહિત્યમાં આટલાં બધાં સામયિક શું કામ છે - ? એક ઉત્તર એ છે કે આપણા દરેક જરાક મોટા થયેલા સાહિત્યકારને પોતાની ધજા ફરકાવવી હોય છે. લગભગ દરેક જૂથ પોતાનું વાજિંત્ર ઝંખે છે. કેટલાક સામયિકને એક કરી દઈએ તો ?’ એવો પ્રશ્ન કરીને ‘એતદ્', ‘ખેવના', ‘ગદ્યપર્વ’, ‘કંકાવટી’ અને ‘પ્રત્યક્ષ’ જેવા સામયિકોને તેઓએ લગભગ એક પ્રયોજનથી ચાલતા, સમાન હેતુઓવાળા ગણાવ્યા છે. આ પછી તેઓ જુદા સ્વરૂપના પ્રકાર વિષયક સામયિકો પ્રસિદ્ધ કરવાની વાત મૂકે છે. તેઓની ઝંખના છે કે આટઆટલા સામયિકોને બદલે માત્ર કવિતાનાં અને નાટકનાં છે તેમ એક ટૂંકીવાર્તાનું, એક સિદ્ધાંતવિવેચનનું, એક પ્રત્યક્ષ વિવેચનનું, સાહિત્યની વાત કરનારું, એક માત્ર ભારતીય સાહિત્ય વિશેનું, એક માત્ર અનુવાદ માટેનું, એક મધ્યકાલીન સાહિત્યને માટેનું, એક માત્ર સંશોધનને માટેનું તો વળી એક નાજુક-નમણી એકલી ગઝલને માટેનું સામયિક હોવું ઘટે. જોઈ શકાશે કે સાહિત્યિક સામયિકો માટેની આ એક આદર્શ સ્થિતિ છે પણ આપણે ત્યાં એકથી વધુ સામયિકો બેવડાયા કરતા હોય છે અને નિરૂપાય બની આપણે એને જોતા રહેવાના હોય છે કેમકે બધુ એની એ ગુણવત્તાવાળું હોવા છતાં એની એ રીતભાતમાં જ હોવાનું. લખનારો વર્ગ જ્યારે એનો એ જ હોય એમાંયે અર્થભર્યો પ્રગતિપ્રેરક ફર્ક ઊભો કરનાર તો ગણ્યાંગાંઠ્યા જ હોય ત્યારે મોટાભાગના તંત્રીઓ એમને નિરુદ્દેશે બેસી રહેલા કોઈ દુકાનદાર જેવા લાગે છે. તેમાં એ તંત્રીઓનો વાંક એટલો જ છે કે તેઓ બેસી રહ્યા છે. આમ કહીને એક ઉમદા તંત્રીનું હોવું એ સામ્પ્રતમાં બહુ વસમી વસ્તુ તરીકે તેઓ ઘટાવે છે, દુનિયાભરની સાહિત્યિક ગતિવિધિ સાથે નિરન્તર જોડાયેલા રહી પોતાની ભાષાના સઘળા સાહિત્યિક સંદર્ભોને જોનાર, તપાસનાર અને પ્રેરનાર તંત્રીકાર્ય, ગતિશીલ તંત્રીકાર્યની ઝંખના એમના લખાણમાંથી બહાર આવે છે, ‘શબ્દસૃષ્ટિ’ જેવા જનઅકાદમીના સામયિકનું સુકાન પશ્ચિમના અભ્યાસી અને કલાવાદી ગણાયેલા સુમન શાહને ઑક્ટો., ૧૯૮૩માં સોંપવામાં આવેલું. સને ૧૯૮૭માં એ છોડ્યું ત્યાં લગી એક સંપાદક લેખે વ્યાપક સ્વરૂપની સાહિત્યિકતાની ખોજ સંપાદકની કસોટી બની રહી હતી. નીવડેલા વિશિષ્ટ લેખકોને ગુમાવ્યાં વિના નવા લેખકોને શોધવા, કશા છોછ વિના એવા લેખકોને આવકારવા અને ધોરણોને ભોગે કશું ન કરવાના પુરુષાર્થથી ‘શબ્દસૃષ્ટિ’ની વાચકકેન્દ્રી છબિને એક ઘાટ મળ્યો. નવા સામયિકની રીતિનીતિ તંત્રીએ આકારવાની હોય ત્યારે એમાં પ્રમાદને, ઉદાસીનતાને અવકાશ નથી કેમકે એમ કરવાથી તો તંત્રી ખાલી તન્ત્રવાહક કે મુદ્રક બની રહે એમ તેઓએ સ્પષ્ટ માન્યું છે. તંત્રીના અપર્યાપ્ત સાહિત્યકલાજ્ઞાનને કારણે થતા નુકસાનોની તો ભાગ્યે જ કોઈને ખબર પડવાની. મુદ્રક સમાન તંત્રીનું સામયિક ગામ-ચોરો બની રહે. સામયિક વાચકો કે લેખકોનું ઘડતર કરવાને બદલે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું લાગવા માંડે. આવી સ્થિતિને ટાળવાના ઉપાય લેખે સામયિક શરૂ કરનાર કે સામયિક ચલાવનારા માટે એક મહત્વની વાત તેઓ ઉપસાવે છે કે નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચુરણિયું ન હોઈ શકે. એ જુદું જ હોય. ‘શબ્દસૃષ્ટિ’ના ઘડતર અંગેની મથામણને સ્પષ્ટ કરતાં તેઓએ નોંધ્યું છે : ‘આજે તો બેથી વધુ સામયિક સરખેસરખાં લાગે છે. જાણે એમાં ય નકલખોરી ! એક સારા કુંભારની જેમ ‘શબ્દસૃષ્ટિ'ને મારે ટીપીટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપ કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન- આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીકઠીક પ્રવર્તતી હતી. વગર સમજની હૂંસાતૂંસી, પ્રયોગખોર વાંઝિયા લખાણોથી અને સાથોસાથ અતિસામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી ‘શબ્દસૃષ્ટિ'ને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો.' તંત્રી લેખે કેવી કેવી કામગીરીની અપેક્ષા રહે છે એ વાત અહીં ઉપસી આવી છે. લેખકો, વાચકો અને ખાસ તો રાઈનો પહાડ કરતા ઉગ્ર ચર્ચાપત્રીઓને કુશળતાથી સંભાળવા-સાચવવાના રહે. ઉત્તરોત્તર સામગ્રીના ભરાવા અને ન-ઉત્તમ ઘણી સામગ્રીના કંટાળાજનક વાચનની કસોટીમાંથી પસાર થવાનું રહે. મોહમ્મદ માંકડે તો મજાકિયા લહેકામાં તંત્રીને કહેલું કે : ‘આટલા વર્ષો ઉત્તમ ઉત્તમ જ વાંચ્યા કર્યું છે તે લો..! એ જથ્થાની વચ્ચેથી સાંગોપાંગ કૃતિઓ તારવવી અને એ રીતે ટોળાઓમાં પોતાના સામયિકને જુદું પાડવું, સામયિકનો એક વિશિષ્ટ ચહેરો ઘડવો એમાં સુકલ્પિત અને સુગઠિત નીતિરીતિના અમલને તેઓએ ચીંધ્યો છે. તંત્રી તરીકેના આ ત્રણ વર્ષના ગાળામાં તંત્રી લેખ લખવાનો એમને અપાર આનંદ આવ્યો છે. સમયપ્રસ્તુત અને દૃષ્ટિપૂત એવા આ તંત્રી લેખોમાં સમીક્ષાનો સૂર તીખો રહે એ અંગે પણ તંત્રીએ ખેવના રાખી છે. સાહિત્યિક સામયિકના તંત્રી લેખો ઉશ્કેરે એવા હોય, ખાંખતથી લખેલા હોય અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા ન હોય એની સતત કાળજી રાખવાનું પણ એમાં સૂચવાય છે. ‘શબ્દસૃષ્ટિ' માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. એમ કહેતા તંત્રીએ સામયિક સાથેના જીવંત નાતાને પ્રગટ કરી આપ્યો છે. સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતા રહેલા સામયિકો પરખાઈ જતા હોય છે એમ કહી સામગ્રી સ્વીકાર નીતિરીતિ અનુસાર હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પર એમણે ખાસ્સો ભાર મૂક્યો છે. એ ઉપરાંત કોઈપણ સામયિક તંત્રીને મળેલા લેખકોના શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારુ સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે આમ નોંધીને એમણે તંત્રીકાર્યની સાથોસાથ લેખકોનું પણ યોગ્ય સન્માન કર્યુ છે. (શબ્દસૃષ્ટિ, ઑક્ટો.-નવે., ૨૦૦૮) છાપામાં કોઈપણ કોલમ લખવાથી જેમ પત્રકાર થવાતું નથી એમ સાહિત્યનું કશું ચોપાનિયું કાઢયે સાહિત્યિક પત્રકાર પણ થઈ જવાતું નથી. એવો મત આગળ ધરીને એના વૈશિષ્ટ્યને તેઓ આપણી સામે મૂકે છે. સાહિત્યના દરેક સામયિકમાં તેનો તંત્રી શું લખે છે એ બાબત એમને અત્યંત મહત્વની જણાઈ છે. અવારનવાર તંત્રીને કશું કહેવા જોગું જણાય છે ખરું ? એ જ રીતે, સામયિકના વાચકોનો પ્રતિભાવ શો છે ? કશી તંદુરસ્ત પત્રચર્ચા કે ઊહાપોહ તંત્રી કે વાચકો જગવી શકે છે ખરા? તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સાભાર સ્વીકાર અને સાહિત્યવૃત્ત જેવી માહિતીથી મોંઘાપાનાં ભરવાનું મુશ્કેલ નથી પણ દરેક સામયિકને એનો પોતાનો એક ચહેરો હોવો ઘટે છે. વ્યક્તિત્વ હોવું ઘટે છે. એ વડે એ ન્યૂઝ પ્રસરાવીને બેસી ન રહે, ન્યૂઝ પણ ઘડી શકે. આવી ઉપકારક દૃષ્ટમતિના આપણે ત્યાંના અભાવની તેઓએ આકરી ટીકા કરી છે અને આપણાં અનેક સામયિકોનાં પાછલા પાના ઈદમ્ તૃતીયમથી ખચિત, નગણ્ય હોવાનો રંજ પ્રગટ કર્યો છે.
પોતાના ૩૫ વર્ષના ગાળામાં કરેલા સંપાદનો અને તંત્રીકાર્યથી સંતોષ-અસંતોષની બંને બાજુઓને તેઓએ પ્રગટ કરીને આટલા લાંબા સમયના તંત્રીકાર્યમાં કર્યું શું ? - આ પ્રશ્નનો તેમનો જવાબ છે – પસંદગી. જે સામગ્રી મળી, જે સામગ્રી માગી, સમ્પાદિત કરી તેમાંથી આવડી તેવી છતાં પોતીકી દૃષ્ટિના સાહિત્યહેતુઓ સિધ્ધ થાય એ રીતની પસંદગી કરી. આ પસંદગીના ધોરણમાં નીવડેલા સાહિત્યનાં ગ્રંથાકારે મળતા સંપાદનો પાછળના પસંદગી ધોરણો કડક હોવા જોઈએ એમ કહે છે જ્યારે તાજા સાહિત્યને રજૂ કરતાં સામયિકોના ઓછા કડક ધોરણો રાખવાની વાત કરીને તેઓ આપણને આશ્ચર્યમાં મૂકે છે. એ પાછળનો તર્ક રજૂ કરતા તેઓ કહે છે કે : ‘સરજાતું સાહિત્ય છે માટે ધોરણોને અભરાઈએ મેલવાની વાત નથી. નથી જ. પરન્તુ સામયિકનો દરેક અંક વર્તમાનને સુપરત થઈ ભૂતકાળને સમર્પિત થવાનો હોય છે વળી સાથોસાથ ‘વ્હોટ નેક્સ્ટ’ની દિશામાં તે તેના પસંદગીકારને સજ્જ થવા પણ કહેતો હોય છે. સામયિકો ભવિષ્ય તરફ મીટ માંડીને જ વર્તમાનમાં જીવી શકે છે. સમજુ તંત્રી એ છે કે નીવડેલાને વિશે અનુદાર રહે છે, નીવડેલા નીકળેલાને વિશે ઓછો અનુદાર રહે છે.' તેઓ અહીં નીવડવા નીકળેલા સાહિત્યને સહૃદયી મનોભાવથી જોવાની વાત કરે છે. વાચકો એ માટે સમભાવ દાખવે અને ચુકાદા આપી દેવાની ઉતાવળ ન કરે એ જરૂરી છે. વાચકનો ધર્મ તો પ્રકાશિત વસ્તુની સમીક્ષાપૂર્વકની ચર્ચા કરવાનો છે. એમાં સપાટી પરના આ ગમ્યું ને તે ના ગમ્યું જેવા પ્રતિભાવોને, ગાળાગાળીને સ્થાન નથી એ સ્પષ્ટ છે. ‘સાહિત્યિક સામયિક જો ગંભીરતાને વરેલું હોય, તો શું આપણા દેશમાં કે વિદેશમાં, ક્યારેય લે-વેચની વસ્તુ નથી હોતું. એ કમર્સિયલ એક્ટિવીટી નથી. એ તો એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. એમાં નફો કદી હોઈ શકે નહીં, ધ્યેય તરીકે તો નહીં જ, એમાં ખોટ હોઈ શકે અને ખર્ચ સમેતની સઘળી ૨કમ સરભર કરવાની જવાબદારી સાહિત્યકારોની હોય.’ આમ કહીને એમણે સામયિક એક જાતનું સહિયારું સાહસ છે એ વાતને દર્શાવી આપી છે. સામયિક કેવળ તંત્રીના વૈયક્તિક સાહસ પર ચાલતું ન હોય, કેવળ દાતાઓ, જાહેરખબર આપનારા પર નભી જતા સામયિકો હરહંમેશ માગીતાગીને પૂરું કરી શકે નહીં. સામયિકોમાં સર્જન- વિવેચન કરનારો સર્જક જ એ સામયિકને લવાજમ આપી ટકાવતો હોવો ઘટે. વાચક અને સર્જકની એમાં ભાગીદારી હોવી ઘટે. આપણા હયાત સાહિત્યિક સામયિકોના ગ્રાહકોને, એટલે કે લવાજમ ભરીને થયેલા વાચકોના આંકડાઓ શોભાસ્પદ છે ખરા ? એ તરફ તેઓએ લંબાણથી ચર્ચા કરી છે. દળીદળીને કુલડીવાળા આ ઘાટને એમણે અત્યંત ચિંત્ય સ્થિતિ ઘટાવી લેખકો-વાચકોના સહભાગ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે.
‘ખેવના’ના ટૂંકી વાર્તા અને એના પ્રતિભાવ વિશેષાંક (૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭)માં પ્રગટ થયેલી વાર્તાકલા અને તંત્રીદૃષ્ટિના એકબાજુએ વખાણ થયા છે બીજી બાજુ કોઈએ સામા છેડે જઈ આજની ટૂંકી વાર્તા અને એની ભાષા જોઈને અરેરાટી ઉપજી હોવાની વાત નોંધી છે. કેટલાકે કૃતિ પસંદ કરવા બાબતે તંત્રી સામે જ પ્રશ્નો કર્યા છે ત્યારે તંત્રી તરીકેનું પોતાનું વલણ વાસ્તવદર્શી હોવાનું એમણે કહ્યું છે. ‘તંત્રી રૂપે હું મને જડ્જ નથી ગણતો પરંતુ સિક્યોરીટી ગાર્ડ સમજું છું. મારું કામ સૌને ભાવપૂર્વક આવકારવાનું છે. શંકા પડે ત્યાં આઇ.ડી. કે ઇન્વિટેશન કાર્ડ બતાવવા કહુ ખરો.' સામયિક અને સનાતન, સરજાતા જતા અને નીવડતા આવતા, સ્થિર અને દ્યુતિ જેવા ભેદોને તેઓએ સતત નજરમાં રાખ્યા છે એની વચ્ચે જ તંત્રીધર્મ વસે છે એમ કહી સર્જકતાને ભાવપૂર્વક આવકારતો સમુદાર તંત્રી કેવો હોવો ઘટે એનું દિશાદર્શન તેઓ આપે છે. સામયિકોની સમીક્ષા બાબતે લખેલા તંત્રીલેખમાં (જુઓઃ ચિંતા બરાબ૨, ઈલાજ ચિંતાજનક, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૧-૪) સરજાતા સાહિત્યના સ્વરૂપને ઉચિત દૃષ્ટિમતિથી જોવા એ ચેતવે છે. સામયિકોને એમણે ઈસ્પિતાલ જેવા ગણાવ્યા છે અને એમાં જન્મતી સાહિત્યસામગ્રી નવજાત શિશુઓ જેવી કહી છે. સ્વાભાવિક રીતે બધા શિશુ સશક્ત અને સુંદર ન પણ હોય. એ બધા એમના લેખકો-જનકો વડે ભવિષ્યમાં ઘડાય, વિકસે, અળગા કરાય એમ ઘણું બધું બનવાની શક્યતા તેઓ જુએ છે. આ બધાને વિવેચકો, વાચકો, ભાવકો કેટલું વહાલ કરે છે એનો આખી વાતમાં ઉપકારક મહિમા છે. ચૂંટલા ભરવા, ઝપાટિયા મારવા, અંગૂઠા પકડાવવા વગેરેનો ય મહિમા નથી એમ નહીં, છતાં વસ્તુલક્ષી સામયિક સમીક્ષા વધારે કરણીય અને શોભનીય છે એમ કહી આખરે પામવાનું શું છે ? એ તરફ આંગળી ચીંધે છે. કલાના ધોરણોએ જે ત્યાજ્ય છે તેના વિશે મૌન ધરીને પણ સબળ વિવેચન થઈ શકે આમ કહી સાહિત્યજગતમાં જે ઉપેક્ષણીય છે એમને વિસારે પાડવાનું તેઓ કહે છે. પુસ્તક સમીક્ષાની નેસેસીટીનું જ આપણે ત્યાં જ્યારે ઠેકાણું નથી ત્યારે સામયિક સમીક્ષાને તેઓએ લક્ઝરી ગણી છે ને ઉભડક નહીં પણ ઊંડી સામયિક સમીક્ષાઓને એમણે ઝંખી છે.
સામયિકોને કશું સમુચિત ન મળે તો નહીં છાપીને ય ઉપકાર કરાય આવો ગર્ભિત ટોણો માર્યા પછી નિસાસા રૂપે જે વાક્ય મળે છે તે આ છે કે – ‘પણ તેમ કરવા કોઈ તૈયાર નથી.’ તંત્રીઓએ કરવાના નકાર કે અસ્વીકાર જે ઘટતા ચાલ્યાં છે એ સ્થિતિને તેઓ યોગ્ય રીતે જ ચિંત્ય ગણે છે. કોઈપણ વ્યક્તિનું સામયિક કાઢી બેસવું, એ પીઢ છે કે નવોદિત છે એનો તોલ ન કરવો ને એ સૌને નસીબ પ્રમાણે લેખકો-વાચકોનું મળી રહેવું આ સ્થિતિમાં તેઓ કહે છે કે ‘સામયિક કાઢવાનો કોઈ ખાસ હેતુ નામનો ખૂંટો ઊખડી ગયો છે. લેખક પછીની મોટી ઑથોરિટી તંત્રી છે. લેખક જેટલો જ જવાબદાર ગણાય પણ એમાં નરી હળવાશ આવી ગઈ છે.' આ વિધાન દર્શાવે છે કે કૃતિઓ તેમજ સામયિકોના સબ ચલતા હૈ વાતાવરણને બદલે ઉચ્ચ ધોરણને તેઓએ સતત ઝંખ્યું છે ને એ ખેવનાની હંમેશા જિકર કર્યા કરી છે.
આમ, સાંપ્રત સાહિત્યિક વાતાવરણના મરમી સંપાદકે સામયિકોની સ્થિતિથી માંડીને સામયિકોના અંતરંગ પાસા વિશે ઊંડાણથી વિચાર્યુ છે અને એમાં સાહિત્યિક સામયિકના એક તંત્રી તરીકેનો એમનો નિષ્ઠાપૂત અવાજ સંભળાય છે.
જો કે મણિલાલ પટેલે ‘ખેવના’ની સામગ્રીના સંદર્ભે સુમન શાહના તંત્રીપણાની આકરી સમીક્ષા કરી છે. તેઓ કહે છે કે : ‘ખેવના'નો કવિતા વિભાગ ધ્યાનપાત્ર હતો. જો કે એમાં છંદોલય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ નબળી રચનાઓ – તંત્રીના વિશેષ આગ્રહને કારણે આવતી રહેલી. કેટલાક ઉલ્લેખ પણ ન કરીએ એવા શિખાઉ લોકોની ગઝલગંધી તથા અન્ય કૃતક રચનાઓની સપાટતાને કારણે ‘ખેવના’ ટીકાને પાત્ર બનેલું. અને એમ ચર્ચાતુ રહેલું કે ‘ખેવના’ના તંત્રીને કવિતાનો કાન નથી ! ‘ખેવના’ના તંત્રવાહક રાજેન્દ્ર પટેલ સક્ષમ કવિ હોવા છતાં એની કવિતાનો પ્રવેશ ખૂબ મોડો થયો હતો. એ વાતની યાદ કરાવી ‘ખેવના’ના વાર્તા તેમજ અછાંદસ વિશેષાંકની નબળાઈઓ મણિલાલ ચીંધે છે. ‘ખેવના’ એ અન્ય કળાઓને સામે ચાલીને ખાસ આવકારી નથી આમ કહી તેઓ મુખપૃષ્ઠની એકવિધતા વિશે જે ટીકા કરે છે એ સાચી છે. (જુઓ : મણિલાલ હ. પટેલ, સાહિત્યિક સામયિકો-પરંપરા અને પ્રભાવ, સં.હસિત મહેતા, રન્નાદે, ૨૦૧૨)
‘ખેવના’ સર્વસ્વરૂપલક્ષી સામયિક રહ્યું છે. કવિતા, વાર્તા અને લલિત નિબંધો એમાં પ્રકાશિત થતા રહ્યા છે જેમાં કવિતા નહીં, મુખ્યત્વે તો વાર્તાઓનું પ્રકાશન, વાર્તાકારો અને વાર્તાઓના વિશેષાંકો ‘ખેવના’નું એક નોંધનીય પ્રદાન છે. કવિતાઓમાં લાભશંક૨ ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્રથી માંડીને રમણીક અગ્રાવત, મીરાં આસીફ જેવી એકાધિક પેઢીઓની કાવ્યરચનાઓ અહીં પ્રગટ થઈ છે. બહુ ઓછા કવિઓ એવા છે કે જેમની કેવળ એકાદ રચના છપાયા પછી તેઓ ‘ખેવના’માં દેખાયા ન હોય. અછાંદસ અને ગીત રચનાઓ પછી ગઝલરચનાઓનું પ્રભુત્વ વધતું ગયું છે પરંતુ સર્જકો પાસે કરાવેલા આસ્વાદો, નોંધપાત્ર રચનાઓના કાવ્યઆસ્વાદો દર્શાવે છે કે ‘ખેવના'ને સામાન્ય રચનાઓમાં રસ ન હતો. ‘ખેવના’માં કાવ્યસંગ્રહોની પણ નિયમિત સમીક્ષાઓ થતી રહી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહોની આવી નિર્ભીક સમીક્ષાઓ એનું ધ્યાનાર્હ પાસુ છે.
‘ખેવના’નો મૂળભૂત રસ વાર્તાસ્વરૂપ અંગેનો છે. દરેક અંકમાં બે કે બેથી વધુ વાર્તાઓ અહીં પ્રગટ થતી રહી હતી. ‘ખેવના’ના વાર્તાઅંકો અને વાર્તાકારના પ્રતિભાવો, સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ શિબિર હેઠળ લખાયેલ વાર્તાઓના અહીં થયેલા પ્રકાશનો એ સ્વરૂપના રસને ઘૂંટે છે. નવનીત જાની, રાજેન્દ્ર પટેલ, નીતિન ત્રિવેદી, પરેશ નાયક, દીવાન ઠાકોર, દશરથ પરમાર જેવા વાર્તાકારોને ‘ખેવના’એ ઉમળકાથી સત્કાર્યા અને એ સર્જકોને મોકળાશભરી જગા આપી. પ્રાણજીવન મહેતાની ‘નવલશા હીરજીની આજકાલ' જેવી પ્રયોગશીલ રચનાઓની એક આખીયે શ્રેણી ‘ખેવના’માં પ્રગટ થઈ એ પાછળ પણ સંપાદકની વિશેષ રસરુચિ કારણરૂપ બની રહી છે. પુરુરાજ જોષીની  ‘ઘાસ ઘાસ ઘાસ', મણિલાલ હ. પટેલની ‘પી.ટી.સી. થયેલી વહુ', મોહન પરમારની ‘ચૂવો, ‘ઘોડાર’ અને ‘વાવ’ જેવી રચનાઓ, વીનેશ અંતાણીની ‘ચીસ’ અને ‘પોપટ, અને હું’ જેવી વાર્તા, શિરીષ પંચાલની ‘આ ઝુબેદા, આ કલ્લોલ', ‘ગતિ-અવગતિ- ગતિ’ જેવી વાર્તા અહીં પ્રકાશિત થઈ છે. સુમન શાહની ‘ફટફટિયું’ ઉપરાંત લગભગ મોટાભાગની વાર્તાઓ અહીં પ્રગટ થઈ છે. ૧૪ જેટલી આ વાર્તાઓએ વાર્તાકાર તરીકેની એમની ઓળખને સ્થાપિત કરી. અન્ય વાર્તાકારોની વાર્તાઓ અંગેની આસ્વાદલક્ષી તંત્રીનોંધ, ‘ટૂંકી વાર્તાની ભાષા' જેવા લેખો વડે સંપાદક સાંપ્રત વાર્તાકારોને દિશાસૂચન આપતા ગયા છે. હિમાંશી શેલત, યોગેશ જોષી, રમેશ ર. દવે જેવા અનેક ખ્યાત વાર્તાકારોની વાર્તાઓ સમયાંતરે મૂકી આપીને આ સ્વરૂપની સતત સમીક્ષા કરી છે. અહીં વાર્તાના અનુવાદો અધિક સંખ્યામાં મળતા નથી. એનું કારણ પણ આજની સરજાતી ગુજરાતી વાર્તાના વહેણ અને વલણને પકડવાનું રહ્યું છે. ડોનાલ્ડ બાર્થેલ્મ, આલ્બેર કામૂ જેવા સર્જકોની વાર્તાઓના જે અનુવાદો અહીં પ્રાપ્ત થયા છે એના અનુવાદક ખુદ સંપાદક છે. વાર્તાપ્રતિભાવ અંકમાં (સપ્ટે.-ડિસે.,૨૦૦૭) સંપાદકે તમામ વાર્તાઓ અંગે આસ્વાદલક્ષી નોંધ આપવાનું વલણ દાખવ્યું છે. અહીં અન્ય આસ્વાદકોનો પણ લાભ મેળવવા જેવો હતો એમ લાગે છે. કાવ્યઆસ્વાદોમાં જેમ રાજેન્દ્ર શાહના કાવ્યો વિશે એકાધિક સર્જકો પાસેથી આસ્વાદો મેળવવાનું સાહસ સંપાદકે કર્યું છે એજ રીતે સુરેશ જોષીની ‘થીંગડું‘ વાર્તાના સંદર્ભમાં સર્જકોની આસ્વાદશ્રેણી રચીને આપણી ભાષાની એક ખ્યાત વાર્તા અંગેનો વિમર્શ થયો છે. જે વાર્તા-પ્રતિભાવ અંકમાં પણ થવો જોઈતો હતો. વાર્તા કે વાર્તાઆસ્વાદો ઉપરાંત તાજેતરમાં પ્રકાશિત વાર્તાસંગ્રહોની સમીક્ષાઓ, નવલકથાના અંશો, નવલકથા સમીક્ષાઓ, નાટ્યસંગ્રહ કે સ્વતંત્ર નાટ્ય સમીક્ષાઓ, નિબંધ અને નિબંધ આસ્વાદ, નિબંધસંગ્રહની સમીક્ષાઓ ‘ખેવના'માં સમયાંતરે પ્રકાશિત થયા કરી છે. અહીં સમીક્ષિત કેટલીયે એવી કૃતિઓ છે જે આપણા સાહિત્યમાં નીવડી આવી હોય. જેમકે કિશોર જાદવની ‘રિક્તરાગ' નવલકથાની ત્રણ સમીક્ષાઓ અહીં જુદાજુદા અભ્યાસીઓ પાસેથી જુદાજુદા અંકે પ્રાપ્ત થતી રહી છે. એક જ કૃતિને આ રીતિએ તપાસવામાં ને એકથી વધુ અભિપ્રાય મેળવી તંદુરસ્ત વાદ-વિવાદમાં ‘ખેવના’એ ભારે રસ દાખવ્યો છે. ‘વળામણાં’ (પન્નાલાલ પટેલ)ની ભરત મહેતા લિખિત સમીક્ષા, ‘પશુપતિ’ (સતીશ વ્યાસ)ની પરેશ નાયકે કરેલી સમીક્ષા કે ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘દેવોની ઘાટી’ની મણિલાલ હ.પટેલે કરેલી સમીક્ષા દર્શાવે છે કે ‘ખેવના’એ સાહિત્યની વિશિષ્ટ કૃતિઓને સમીક્ષાના દાયરામાં લીધી છે અને એ રીતે સમીક્ષાના અંગને ખોડંગાતુ રાખવાને બદલે સતત વહેતું રાખ્યું છે.
સાહિત્યકારોના કેવળ જીવનને કે એમની સિધ્ધિઓને વર્ણવતા વિગતલક્ષી ચરિત્રોને બદલે ‘ખેવના’એ પ્રગટ કરેલા ચરિત્ર અભ્યાસો, ખાસ કરીને પરદેશી સર્જકોની ‘ગ્રંથકાર પરિચય શ્રેણી' અહીં ધ્યાન ખેંચે છે. સંપાદકે અહીં વિશ્વવિખ્યાત સર્જકોનો વિશદ્ પરિચય આપીને એ સર્જકચરિત્રોના વિશેષને ચીંધી આપ્યા. આલ્બેર કામૂ, એસ્કિલિસ, દેરીદા, પોલ વાલેરી, બોદલેર, યુરિપિડિસ, રામ્બો, સુસાન સોન્ટાગ અને સોફોકિલસ જેવા સર્જકોની પ્રતિભાનું મૂલ્યાંકન અહીં મળે છે. ગુજરાતી ભાષાના સર્જક ચરિત્ર અભ્યાસો પણ જે-તે પ્રતિભાઓના વિશેષને ખોલી આપનારા છે.
‘ખેવના’નો આરંભ ૧૯૮૭થી થયો હતો. ખાખી રંગના પૂંઠા અને સાવ સામાન્ય જણાતી છપાઈથી તે કોઈ માંદલા સામિયક જેવું લાગતું હતું. કવિ સુન્દરમે એમના પ્રથમ અંકને જોઈ બહુ ઉત્સાહપ્રેરક વાત કરી નથી. તેઓ નોંધે છે : ‘ખેવના થોડું થોડું જોયું. તમે પૂરતી મહેનત કરી છે. વધુ મહેનત માગશે. જુઓ ભાવ. કેવું બને છે ? ખેવનાનું મુદ્રણ ઝાંખુ છે. પ્રેસ કયું છે ? અંદરનો મિર્ચમસાલો સારો છે.' સુન્દરમે પહેલા જ અંકને થોડોથોડો જોઈને પણ મુદ્રણની બાબતે જે ટકોર કરી છે એ કેટલી સૂચક છે ! ‘ખેવના’નો બીજો તબક્કો જ વધુ ધ્યાનાર્હ બન્યો. ૨૦૦૦ની સાલમાં ‘ખેવના’ પાર્શ્વ પ્રકાશનનું હાઉસ મેગેઝિનનું રૂપ ત્યજીને ‘ટ્રસ્ટ ખેવના'નું સ્વતંત્ર સામયિક બન્યું. ડબલ ક્રાઉન સાઇઝમાં નવી સામગ્રી સમાવવાની અનુકૂળ સ્થિતિ સરજાઈ. ‘ખેવના' હવે માંદલું ન રહ્યું.
‘ખેવના’માં પ્રકાશિત સિદ્ધાંતચર્ચાઓ, કૃતિ અને સર્જકોની ચર્ચા કરતા લેખો, પ્રવાહદર્શનના લેખો, દેરિદા વિશેની સુમન શાહની અને ‘દિગ્ભેદ’ જેવી ચન્દ્રકાન્ત ટોપીવાળાની લેખમાળા, સર્જક-વિવેચકના કામની સમીક્ષા કરતી મણિલાલ હ. પટેલની લેખશ્રેણી, યુરોપીય, ભારતીય અને ગુજરાતી ભાષાની કૃતિઓ અને સર્જકો વિશેના અભ્યાસલેખો સતત પ્રકાશિત થયા છે. મધ્યકાલીન સાહિત્ય, બાળસાહિત્ય, સમૂહમાધ્યમો અને સાંપ્રત સાહિત્યપ્રવાહોને પ્રગટ કરતી સમીક્ષાઓ ‘ખેવના'ને એક ગંભીર સ્વરૂપના સામયિક તરીકે સ્થાપી આપે છે. દરેક અંકે બેથી ત્રણ લેખોના પ્રકાશન દ્વારા ખેવનાએ અભ્યાસ સામયિક તરીકેની ઓળખને દૃઢ કરી હતી.
નવે-ડિસે.૧૯૯૭ના અંકમાં થયેલી જાહેરાત મુજબ તંત્રીના વિદેશગમનને કારણે ‘ખેવના’નું હવે પછીના અંકોનું પ્રકાશન ઑગસ્ટ-૧૯૯૮થી થવાની ગ્રાહકોને વિનંતી કરવામાં આવી હતી. તંત્રીના પ્રવાસને લીધે આઠેક માસ સુધી સામયિકનું પ્રકાશન મુલતવી રહે એવો આ બનાવ સાંપ્રતમાં નોખો તરી આવે છે જો કે એ પછી કેટલાક વર્ષો બાદ ફરી વિદેશ પ્રવાસે જવાનું થતા વ્યવસ્થાપક રાજેન્દ્ર પટેલ ‘ખેવના’ની જવાબદારી લે છે પણ મુદ્રણની બાબતે ત્યાં બેઠાં બેઠાં તંત્રીને ક્ષમા માગવાનો વખત આવે છે સામયિક ઈતિહાસમાં એકને બદલે બીજા જવાબદાર વ્યક્તિએ સામયિક વ્યવસ્થાનો ભાર પોતાના માથે લીધો હોય એવા ઘણા ઉદાહરણો આપણી સામે છે. જાણીતું ઉદાહરણ ‘વસંત’નું છે. આનંદશંકરને બનારસ જવાનું થતાં બાર વર્ષ જેટલા લાંબા ગાળા સુધી એનું સંપાદન રમણભાઈ નીલકંઠે સંભાળેલું. ‘ખેવના’થી દૂર રહેવાનું થતાં એના અંક ૯૫-૯૮ (સપ્ટે.- ડિસે., ૨૦૦૭)માં મુદ્રણ અને છપાઈની અપાર ભૂલો તંત્રીને અકળાવનારી બની રહી હતી એ નોંધ જુઓ : મેં યૂરોપ અમેરિકાથી મોક્લેલી તંત્રીનોંધોના પ્રૂફ જે રીડરે જોયા હશે એણે જોયાં જ છે. વાંચ્યાં નથી, મને કહેતા બહુ દુઃખ થાય છે કે એમાં અઢળક ભૂલો છે. -અ-ઢ-ળ-ક. લગભગ દરેક લીટીમાં છે એમ કહું તો બરાબર કહ્યું ગણાય. બીજી રીતે કહું કે ‘ભૂલસુધા૨' મૂકતા પણ શરમ આવે એટલું બધુ વરવું છે. ટ્રસ્ટ ખેવના પૈસાદાર હોત તો હું આખો અન્ક ફરી છપાવત.’ આખાયે અંકમાં પ્રવર્તતી જોડણીની, લેઆઉટની અને પુનર્મુદ્રણ બાબતની બેદરકારીથી ત્રસ્ત તંત્રીનો ઉદ્ગાર છે કે : ‘મારી કશીપણ મહેનતની એ લોકોને જાણે કશી કિમ્મત જ નથી ! આ નિરાશા અંકરૂપી સન્તાનને માટેની એમણે ગણાવી છે એમાં એમનો સામયિકપ્રેમ કેવો પ્રગટ થઈ જાય છે !
માર્ચ, ૧૯૯૯થી ‘ખેવના’ની કાયાપલટ થઈ. એ ડિમાઇ સાઇઝમાં પ્રકાશિત થતું હતું એને બદલે ડબલક્રાઉનમાં પ્રકાશિત થવા લાગ્યું. એના મુખપૃષ્ઠ પર ચિત્રો, સર્જકોની તસવીરો અને સૂચક અવતરણોથી એ શોભવા લાગ્યું. સુમન શાહના લખાણોથી જ સંપૂર્ણ થઈ જતા અંકોમાં હવે કેટલાયે નવા અભ્યાસીઓને તંત્રીએ અહીં પ્રવેશ કરાવ્યો છે. સાવ નવા નામોને પણ અહીં તંત્રીએ સત્કાર્યા છે ને એમની રચનાઓને પ્રમાણી છે. સમૃદ્ધ અભ્યાસ લેખો, સર્જનાત્મક સામગ્રીમાં આવેલા આ પરિવર્તનને કારણે રામચન્દ્ર પટેલ એને જસતની થાળી સમું કહે છે. સાહિત્યિક સામયિક તરીકેની એની છબિ આ નવા રૂપરંગને કારણે સૌના ધ્યાનમાં આવી. સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ, વિવેચનની સાંપ્રત નિદ્રાધીન સ્થિતિ, વાંઝણી ફરિયાદો, આતંકવાદ જેવા સંપાદકીય મુદ્દાઓમાં અનેક પ્રતિભાવકોને એમણે જોડ્યા અને એમની પ્રતિક્રિયાઓને પણ સ્થાન આપ્યું. કેવળ સાહિત્યિક જ નહીં પણ એક સમૃધ્ધ વિચાર-ચર્ચારસિક સામયિક તરીકેની ઓળખ ઊભી કરવાની મથામણ કરી. આવા ધારદાર મુદ્દાઓ અંકોમાં ઝિલાયા, પરંતુ આવા વિવાદોને સતત ચીંધવાનું ને એનો ચર્ચાચોતરો ઘડવાનું અહીં બની શક્યું નહીં, કેટલીક વાર સ્વસ્થાપનાના આવેશમાં તંત્રીથી વિવેક ચૂકાયો હોય એમ પણ બન્યું છે. ‘નિદ્રાધીન અને નિર્દોષ વિવેચનાના દિવસોમાં’ના પ્રતિભાવરૂપે ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલી ભરત મહેતાની ચર્ચાથી ઉશ્કેરાઈ તંત્રીએ એક અંકમાં (૫૪ નવે., ડિસે., ૧૯૯૬) ૨૯ પૃષ્ઠોનો જવાબ આપ્યો છે ! મૌન રહેવું એ જવાબ આપવા બરાબર છે એમ માનનાર તંત્રી અહીં એ સૂત્રને વિસરી ગયા છે. આવા ઉદાહરણથી તો સામ્પ્રત વિભાગની શ્રધ્ધેયતા સામે પ્રશ્નો ઊભા થાય. ‘સુવર્ણમાળા’ અને ‘વસંત’માં આનંદશંકર ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા વચ્ચે ચગેલી ઉગ્રચર્ચાને જોઈને એક વાચકના પત્ર સાથે ‘સાહિત્ય’ના તંત્રીએ લખેલી નોંધ અહીં યાદ કરવી જોઈએ. તંત્રીએ નોંધ્યું છે કે : આપણા સમર્થ પંડિતો આવી ચર્ચાઓમાં વખત ગાળે એના કરતાં કળા અને સાહિત્યનાં ગૂઢ તત્ત્વો સમજાવનારા સુંદર લેખો લખવામાં કાળ વ્યતીત કરે તો કેવું સારું ? (અંક : ૧, ૧૯૨૭)
સામયિકમાં પ્રગટ થયેલી સામગ્રીના વિશેષોને દર્શાવી આપતો, એમની મર્યાદાઓને ચીંધી આપનારો ‘આ અંકની તન્ત્રીનોંધ' જેવો વિભાગ આ સામયિકને અન્યથી જુદું પાડે છે. જોકે એનું ખાસ સાતત્ય રહ્યું નથી પણ આવી તંત્રીનોંધથી સરેરાશ વાચકો કૃતિના વાચનનો તાળો મેળવતા રહેતા. સર્જનાત્મક સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કૃતિની રચનાગત વિશેષતાઓને તેઓ અહીં ચીંધી આપતા હતા એટલે કે પ્રકાશિત સામગ્રી પર તંત્રીની એક જુદા જ અર્થમાં નજર રહેતી હતી ને એમ કૃતિઓ સમીક્ષાતી હતી. કિશારે જાદવે આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે : ‘તંત્રીની પ્રાસ્તાવિક પ્રસાદી તો ખરી જ પણ હવે તેમાં afterwords તરીકે વિશેષરૂપે તંત્રીનોંધ ઉમેરાઈ છે ત્યાં તમારી ધારદાર અને તેજસ્વી કલમનો પરિચય કોઈપણ સુજ્ઞ જનને થયા વિના રહેશે નહીં.’ (૬૨, જૂન, ૧૯૯૯) આસ્વાદલક્ષી બે-ચાર પંક્તિઓમાં સર્જનના વિશેષને ને એમાં રહેલી શક્યતાઓને તેઓ અહીં ઉઘાડી આપતા હોઈ સર્જકોને પણ પોતાના લખાણ માટે તંત્રીએ કેવો રિમાર્ક માર્યો છે એની જિજ્ઞાસા ચોક્કસ રહેતી હશે.
‘ખેવના’ના આરંભથી તંત્રીના સક્રિયતાસભર લખાણોનો પરિચય મળે છે. રાધેશ્યામ શર્મા યોગ્ય જ કહે છે કે : ‘સુવિખ્યાત વિવેચક અને સંપ્રતિષ્ઠ વાર્તાકાર સુમન શાહ ‘ખેવના’ નામના સામયિકના ખંતખાંખતથી ઊભરાતા તંત્રી પણ છે. આધુનિકતાના પ્રખર આચાર્ય સુરેશ હ. જોષી પણ અગ્રતાક્રમે વિવેચક, વાર્તાકાર અને વિવિધ સામયિકોના તંત્રી હતા-સુમનભાઈની માફક. હા, સુમન શાહની માફક કેમકે સ્વ. સુરેશભાઈના માફકના માર્ગે સુમન વિધાયક રીતે-ભાતે ચાલ્યા છે ! સુરેશ જોષીએ એલાર્મ-બેલ જેવા ‘ઊહાપોહ’ ઊભા કરી અદ્યતન સાહિત્યવિચાર-વિવેચનની ‘ક્ષિતિજ’ ચીંધી તો સુમને એ પ્રશસ્ય પરંપરાને પ્ર-ગતિ અર્પી. સમગ્ર સાહિત્યદૃશ્યને સાંકળી કલાતત્વના જતનની ચાનકપૂર્વક ખેવના-કાળજી રાખી' અહીં તંત્રીલેખ, અભ્યાસલેખો, લેખશ્રેણી અને સર્જનાત્મક સ્વરૂપોમાં સૌથી વધુ લખાણો તંત્રીના ખુદના છે ને ક્યારેક તો તંત્રીઅંક થઈ શકે એટલા લખાણો એમણે અહીં ઠાલવ્યા છે. અંકોમાં આ લખાણોનો દાબ જોઈ નીતિન મહેતાએ એક પ્રતિભાવમાં લખ્યું છે : ‘તારા પર જો કે સારો એવો લખાણનો ભાર રહે છે.’ લખાણોના આ દાબને કારણે તંત્રીએ કેટલાક અંકોમાં વિભાવસમજ, ગ્રંથકાર પરિચય શ્રેણીઓમાં અન્ય અભ્યાસીઓને લખવાનું ઈજન આપ્યા કર્યું છે પણ આપણે ત્યાં હંમેશાં બને છે એમ એનો કોઈ પ્રોત્સાહક જવાબ તંત્રીને સાંપડ્યો લાગતો નથી. ગુજરાતી અધ્યાપકો અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને માટે વિભાવસમજની એક આખીયે શ્રેણી સંપાદકે જાતે લખી છે ને એમાં આપણી પારિભાષિક સંજ્ઞાઓ વિશેની સમજને ચોખ્ખી કરવાનો આશય છે. અર્થઘટન, કલાનુભવ, અર્થબોધ, અભિવ્યક્તિ, આત્મલક્ષી અને પરલક્ષી, પ્રભાવદોષ અને આશયદોષ જેવા અનેકવિધ વિભાવ વિશે અહીં ચર્ચા મળે છે. સુરેશ જોષીના સામયિકો ‘વાણી’ અને ‘મનીષા'માં સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યની સંજ્ઞાઓને ચર્ચા પર લાવવાનો જે ઉદ્યમ થયેલો છે એની એ યાદ અપાવે છે.
‘ખેવના’ના તંત્રીલેખો આ સમયગાળામાં લખાયેલા લેખોમાં ખૂબ નોંધપાત્ર છે. આ લેખોમાં સોઈ ઝાટકીને લખનારા સંપાદકે સાહિત્યની નિસબતને જ હંમેશ આગળ કરી છે ને એમાં ગુજરાતી સાહિત્યના સાંપ્રત પ્રશ્નોની ધારદાર અને માર્મિક ચર્ચા થઈ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ શું કરવું બાકી રહે છે એ માટે એમણે નામ પાડીને સૂચવ્યું છે. પરિષદના પ્રાણપ્રશ્નોને પણ મોકળા દિલથી ચર્ચ્યા છે. રાજેન્દ્ર શાહના જ્ઞાનપીઠ પારિતોષિક પછી સમૂહમાધ્યમોએ લીધેલી એમની મુલાકાતના કેટલાક વિધાનોને વળ ચઢાવવામાં આવ્યા. જવાબદાર સમૂહમાધ્યમોની નકારાત્મક ભૂમિકા અને આપણી નિષ્ક્રિયતાને આડે હાથ લઈ તંત્રીએ કવિની સર્જકતાનું બહુમાન કર્યું છે. સાંપ્રત સાહિત્ય સંદર્ભના, અધ્યયનના તેમ સાહિત્ય વલણોના તબક્કાવાર મુદ્દાઓ કરીને એકપણ વિગતને અહીં એમણે, પોતાની નજર બહાર જવા દીધી નથી. ‘કેમનું છે આજકાલ ગુજરાતી સાહિત્યમાં ?' જેવા લેખમાં સંપાદકે આકરી વાણીમાં કામ લીધું છે. સાંપ્રતમાં પ્રવર્તતી ખિન્નતા અને ઉદાસી જુદાજુદા સાહિત્યજૂથોને કારણે છે. એ જૂથની સંકીર્ણતાને સંપાદક ઉલ્લંઘી જવા કહે છે. સાહિત્યના મૂળભૂત પ્રશ્નોને ચર્ચવાની તત્પરતા અને સામયિકના ધ્યેયમંત્ર સાહિત્યપદાર્થની ખેવનાને પ્રત્યક્ષ કરતા આ લેખો ‘ખેવના’નું અત્યંત મહત્ત્વનું અંગ રહ્યું છે. સમયસરની આ વિશદ્ પરિચર્ચામાં નિષ્પક્ષપણે, અન્ય સાહિત્યકારોને સંડોવતી આવી ચર્ચાઓ એક સમયે ખૂબ ધ્યાનપાત્ર બની હતી. ‘નિર્દોષ નિદ્રાધીન વિવેચનાના દિવસોમાં' જેવા લેખો એનું ઉદાહરણ છે. નિંદાત્મક અને ખંડનાત્મક નહીં, પણ સર્જક અને સર્જકતા સંલગ્ન આ લેખો આજે પણ એટલા જ વિચારણીય જણાય છે. જો કે નરોત્તમ પલાણે ‘ખેવના’ના તંત્રીલેખોને નિષ્પ્રાણ અને લાંબા હોવાથી કંટાળાજનક લેખાવ્યા છે, (જુઓઃ એક અધ્યાપકની ડાયરી, ગૂર્જર, ૨૦૦૯, પૃ. ૪૬) તો બીજી બાજુએ લખવામાં સૌથી પ્રિય તંત્રીલેખોને આગળ કરી જરૂરિયાત મુજબના જ પોતે લખાણ કરતા હોવાનો તંત્રીએ દાવો કર્યો છે.
નવા રંગરૂપથી પ્રસિધ્ધ થયેલા ‘ખેવના’એ વર્ષાન્તે લેખકોને પુરસ્કારનું ચલણ દાખલ કરેલું. ગ્રાહકોની વાર્ષિક લવાજમની પદ્ધતિમાંથી છૂટકારો મેળવવા આજીવન ગ્રાહકોની યોજનાઓ અને એમાંયે હપ્તાપદ્ધતિની સગવડ તંત્રીએ આપેલી. માત્ર એક જ વર્ષમાં ૧૦૦થી વધારે આજીવન ગ્રાહકો સાંપડતા તંત્રીનો ઉત્સાહ બેવડાયો હશે એ નિઃશંક છે પણ ‘ખેવના’ને વધૂ મૂલ્યવાન, દળદાર બનાવવાની તંત્રી વિનંતીઓ દર્શાવે છે કે અન્ય સામયિકોની જેમ ‘ખેવના’ પણ આર્થિક સંકડામણ અનુભવતું હતું. આરંભે જ આ સામયિક કરકસરથી ચાલનારું સામયિક છે એમ દરેક અંકે કહેવાયું છે અને એના રંગરૂપ આરંભના ‘એતદ્’ની માફક અત્યંત સાદા હતા. કાયાપલટ પછી માર્ચ-૨૦૦૭માં એ ઘણા સમયથી ખોટમાં ચાલતું હોવાની નોંધ છે. એ માટે ‘ખેવના’ના ચાહકો–ગ્રાહકોને આર્થિક સહાય માટે વિનંતી કરવામાં આવી છે એ દર્શાવે છે કે સાહિત્યિક સામયિક લેખે એમને વાચકોનો ઝાઝો સહકાર મળ્યો નથી. વાર્તા પ્રતિભાવના (સપ્ટે.,-ડિસે., ૨૦૦૭) ૨૬૦ પૃષ્ઠોના અંકને વ્યવસ્થાપકે બે અંકો ગણાવેલા. તંત્રીએ એને ચાર અંકો ગણવાનો આગ્રહ કર્યો છે. તંત્રી આ હિસાબ એટલે ગણાવે છે કે આપણે નાણાંભીડમાં તો ક્યારના છીએ ને આમ દીવાળી કરી બેઠા...! તંત્રીએ ‘ખેવના’ને બંધ કરવાના એવા કોઈ ચોક્કસ કારણો અંતિમ અંકે રજૂ કર્યા નથી. પણ વારંવારના વિદેશપ્રવાસ, લાંબાસમય સુધી સામયિકને ચલાવવાનો થાક, વાચકોની ઉદાસીનવૃત્તિ જેવા એકથી વધારે કારણોએ એમાં ભાગ ભજવ્યો હશે. સંપાદનમાં મણિલાલ હ, પટેલ અને રાજેન્દ્ર પટેલ જેવા મિત્રોના સહકારથી ‘ખેવના'ના પાછલા અંકો ખૂબ યાદગાર બન્યા. એક સામયિક વીસ વર્ષ જેટલું ચાલે, એમના સો જેટલા અંકો પ્રગટ થાય એ તો બરાબર, પણ, એમાં પ્રકાશિત સામગ્રીનું મૂલ્ય કેટલું ? એ તપાસીએ ત્યારે ‘ખેવના’એ આપેલા સંતોષકારક હિસાબ આપણા સ્મરણમાં રહેવો જોઈએ. એક આધુનિક સર્જક, વિવેચકે ચલાવેલી સામયિક પ્રવૃત્તિ એ રીતે ધ્યાનાર્હ બની રહે છે. વાચકોએ પ્રગટ કરેલી આ સામયિકની અનિવાર્યતા ‘ખેવના’ના ઘણા અંકોમાં જોવા મળે છે. એમાંનો એક પ્રતિભાવ અહી પૂરતો છે. સાહિત્યિક સામયિકના એક નિયમિત વાચક અને નિયમિત પ્રતિભાવક બાબુલાલ ગોરે લખ્યું છે : ‘ખેવનાનો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઉમટી પડે. હાશ ! હવે કંઈક નવું-એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના'ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડુ. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના’, ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ’ જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે. (ખેવના, ૮૩, સપ્ટે:, ૨૦૦૪)
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits