મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વિજોગણ પરમાર્યની ગઝલ

From Ekatra Wiki
Revision as of 00:08, 5 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વિજોગણ પરમાર્યની ગઝલ

નીંદરા આવે નંઈ સૈયર મુંને સાજણ વિન્યા
ક્યાં લગણ આ ઝંખવાશે નેણલાં આંજણ વિન્યા?

સાંભરણ્યનો વાયરો ફૂંકાય આંગણે મોલુમાં
આંગણે વેકુર્ય ઊડે વેળ્યની જો રણ વિન્યા

ને અહુરો ઝાંપલી પેઠે વખત ખખડી જતો
સોણલાં ઝબકી જતાં મધરાતના એ જણ વિન્યા

બાઈ, છાતીને ઊતરડી મોર એવું ગ્હેકતા :
(કે) પાંપણ્યું નેવાં સમી ભીંજાય છે સાવણ વિન્યા

મોતીઓ વેરાઈ ગ્યાં રે આજ મારે ઉંબરે
ખાલીપો ઝૂલ્યા કરે આ ટોડલે તોરણ વિન્યા