યાત્રા/મેં વાંછ્યું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|મેં વાંછ્યું|}}
{{Heading|મેં વાંછ્યું|}}


<poem>
{{block center| <poem>
મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો
મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો
ફેલાયેલી ચોગમ માહરી રહે,
ફેલાયેલી ચોગમ માહરી રહે,
Line 23: Line 23:
કઠોર એ કંટકની જમાતને
કઠોર એ કંટકની જમાતને
માધુર્ય પેલું ચિરજ્ઞાત બક્ષવું.
માધુર્ય પેલું ચિરજ્ઞાત બક્ષવું.
{{Right|ઑક્ટોબર ૧૯૪૫}}
 
</poem>
<small>{{Right|ઑક્ટોબર ૧૯૪૫}}</small>
</poem>}}


<br>
<br>

Latest revision as of 14:35, 19 May 2023

મેં વાંછ્યું

મેં વાંછ્યું કે ફૂલભરી નજાકતો
ફેલાયેલી ચોગમ માહરી રહે,
માધુર્યના ઘૂંટ ભરી ભરી મને
નવાજતી આ નિત જિન્દગી રહે.

તેં કિન્તુ આ રુક્ષ કઠોરતાનાં
જાળાં વિષે આંહિ મને વસાવ્યો,
ને કંટકોનાં કટુ તિક્ત ટોચણાં-
તણી મને જ્યાફત માત્ર બક્ષી.

છે એ ય હા ઠીક! માધુર્ય શું તે
માણ્યું હશે મેં બહુ પૂર્વ કાળે;
કહે, નહીં તો બસ આટલી બધી
પિછાનથી કેમ શકું જ ઝંખી એ?

હવે રહ્યું જે જગ બાકી, તેને
પિછાનવું પૂર્ણપણે તદાત્મ થૈ;
પિછાનવું, હા, વળી ચાહવું અને
કઠોર એ કંટકની જમાતને
માધુર્ય પેલું ચિરજ્ઞાત બક્ષવું.

ઑક્ટોબર ૧૯૪૫