યુગવંદના/કાળનું વંદન

કાળનું વંદન

કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી!
કોણે કહ્યું મૃત્યુ સડાવનારું!
कालोऽस्मि लोकक्षयकृत કહન્દો,
અહીં ખડો અંજલિ જોડી બંદો
સિંહાસનો સલ્તનતો ઉખેડે,
વાસુકિ-ફેણેથી ખીલી ખસેડે,
પટ્ટણ કરે દટ્ટણ સે’જ હાસે,
એ કાળ જો આંહીં ઝૂકી ઉપાસે
લોકોત્તરોના
પદપદ્મ પાસે.
૧૯૩૮