યોગેશ જોષીની કવિતા/કવિ

કવિ

સાતેય અશ્વોને
અચાનક જ થંભેલા જોઈ
સૂરજે મને કહ્યું :
ચાવી આપો તમારી ઘડિયાળને
જેથી હું
આગળ ચલાવી શકું રથ.