યોગેશ જોષીની કવિતા/ધતૂરો

From Ekatra Wiki
Revision as of 00:32, 20 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધતૂરો

કોઈ મને
ઘરના
કે
નગરના
બગીચામાં
ન રોપે
તો કંઈ નહિ;
પ્રિયજનને
ભલે આપે
ગુલાબ
કે અન્ય ફૂલો...

મારે તો
મારો વગડો ભલો
ને
મારા શિવ.

નમઃ
શિવાય...