રચનાવલી/૧૦૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) |}} {{Poem2Open}} ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૦૦. જાગરી (સતીનાથ ભાદુડી) |}}
{{Heading|૧૦૨. ઈમા (રાજકુમાર શીતલજિત) |}}


{{Poem2Open}}
{{Poem2Open}}
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં થાણું નાખ્યું ત્યારથી બંગાળ વધુ સંવેદનશીલ રહ્યું છે. બંગાળ એ ભારતનું ઍન્ટેના છે. ઘણાંખરાં આંદોલનો ત્યાંથી શરૂ થાય છે. કલકત્તાને તો સરઘસોનું શહેર કહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોર અને શરદચન્દ્ર જેવા સાહિત્યકારો તો ભારતની અન્ય ભાષાઓમાં જાણે એના પોતાના જ લેખકો હોય એમ ગોઠવાઈ ગયા છે. આધુનિકતાનો વાયરો પણ પહેલો બંગાળમાં વાયો છે. આથી એના બુદ્ધદેવ બસુથી માંડી સમરેશ બસુ (‘કાલકૂટ') અને સતીનાથ ભાદુડી જેવા સાહિત્યકારોએ નવા નવા પ્રયોગોથી બંગાળી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમાં સતીનાથ ભાદુડીએ તો નવલકથામાં બહારને બદલે અંદરના, મનના પ્રવાહોને પકડીને નાની સરખી ઘટનાનો એવો વિસ્તાર કર્યો કે આજ લગી એમની નવલકથા ‘જાગરણ’ (જાગરી) મહત્ત્વની નવલકથા રૂપે સ્થાન પામતી રહી છે. એમ તો એમની રામચરિતમાનસને ધ્યાનમાં રાખીને લખેલી ‘ઢોળાઈ ચરિતમાનસ', અસ્તિત્વવાદનો સ્પર્શ આપતી ‘સંકટ’ કે ‘અચિનરાગિની' વગેરે એમની જાણીતી નવલકથાઓ છે અને ૧૯૫૯ની યુરોપયાત્રામાં ફ્રાન્સનિવાસ વખતે પેરિસને યથાતથ રજૂ કરતી એમની પ્રવાસકથા ‘સત્યભ્રમણકાહિની' પણ પ્રસિદ્ધ છે, છતાં એમનાં સર્જનોમાં ‘જાગરી’ ઊંચા આસને બેસે છે. કારણ આ નવલકથા એક રીતે જોઈએ તો આત્મકથાત્મક છે. લેખકની રાજકીય કારકિર્દી અને એમનો બિહારનો જનસંપર્ક એમાં રચનાત્મક રીતે ઊતર્યો છે.  
મણિપુર શબ્દ કાને પડતાં જ ભારતનું મણિપુરી નૃત્ય નજર સામે તરવરી રહે, ભારતની નૃત્યપરંપરામાં એનું અનોખું સ્થાન છે. ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના સીમા૨ાજ્ય માટે પણ જાણીતું છે. યુવાન સ્ત્રીઓ ઘરમાં બાળકોની સારસંભાળ રાખે અને વૃદ્ધ માતાઓ વેપારવણજ ચલાવતી હોય એવી એની પ્રથા સાથેનું ત્યાં રાજધાની ઈમ્ફાલમાં મોટું ‘ઈમા બજાર' છે. કહેવાય છે કે મા ઈમા બજા૨નું રક્ષણ કરે છે. ‘ઈમા'એ મણિપુરી ભાષાનો ‘મા' અંગેનો આદરવાચક શબ્દ છે. સ્ત્રીના ગૌરવને અને માના ઉત્તમ ચારિત્ર્યને રજૂ કરતી આ જ કારણે ‘ઈમા' નામની નવલકથા મણિપુરી ભાષાના લેખક રાજકુમાર શીતલજિત તરફથી મળે છે તો એમાં નવાઈ પામવા જેવું નથી.  
બિહારમાં પુર્ણિયામાં ૧૯૦૬માં જન્મી ૧૯૬૫માં અવસાન પામેલા સતીનાથ ભાદુડી માટે પુર્ણિયા હંમેશનું કાર્યક્ષેત્ર રહ્યું છે. પટના યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયેલા આ લેખક શરૂમાં ગાંધીવાદી અને પછી કોંગ્રેસ સોસ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય રહ્યા છે. પોતાના વતનપ્રાન્તમાં એ લોકો વચ્ચે રખડ્યા છે; નજીકથી લોકોને જોયા છે. સ્વાતંત્ર્યસેનાની રહ્યા છે, અનેકવાર ધરપકડ વહોરી છે, જેલમાં ગયા છે અને જેલમાં પણ ‘સી’ ક્લાસના કેદી તરીકેના જુદા જુદા અનુભવો લીધા છે. જેલમાં એમની સાથે હિન્દીના ખ્યાતનામ નવલકથાકાર ફણીશ્વરનાથ રેણુ એમના સહકેદી હતા. જેલમાં રહ્યે રહ્યે જ એમણે નવલકથા ‘જાગરી' લખી છે. ૧૯૪૯માં ‘જાગરી’ને રવીન્દ્ર પારિતોષિક મળ્યું છે.  
૧૯૧૩માં ઈમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજિત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે. તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે. ‘કેતકી' (૧૯૪૫), ‘વાલ્મીકિ’ (૧૯૫૦), ‘શકુન્તલા’ (૧૯૭૨) જેવા કાવ્યસંગ્રહો અને કેટલાક વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. નેતાજી સુભાષચન્દ્ર પરનો એક ઇતિહાસગ્રન્થ પણ એમને નામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નો અનુવાદ તેમજ ‘ચૈતન્ય ચરિતામૃત’ના આઠ ભાગ પણ એમને રચેલા છે. રાજકુમાર શીતજિતની ‘થાદોપા’ (૧૯૪૧), ‘રોહિણી’ (૧૯૪૮) વગેરે નવલકથાઓમાં ‘ઈમા’ (૧૯૪૭) જાણીતી છે. ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ.  
‘જાગરી’માં કથા બહુ પાંખી છે. ‘જાગરી' રાજનીતિક નવલકથા છે. અને માત્ર એક રાતર્નો વાતને એમાં રજૂ કરે છે. કેન્દ્રવર્તી ઘટના ફાંસીની છે. અને એની સાથે સંકળાયેલા ચાર મનુષ્યનાં મનની ગતિઓને એમાં ઝડપી છે.  
નવલકથા નિર્ધન દંપતી મધુચન્દ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી બે વર્ષનું બાળક જડે છે, ત્યાંથી શરૂ થાય છે. આવા કસમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે. બાળકનાં માબાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં. છેવટે દંપતી પોલિસ સ્ટેશને પહોંચે છે. જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે. મેઘચન્દ્ર રાધાને કહે છે : ‘રાધા આપણું કોઈ સંતાન નથી. ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે.' દંપતી ઘેર પહોંચે છે. રાધા બાળકને ક્બોફ્ (ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ) આપી રાજી કરે છે. મેઘચન્દ્ર એનું નામ રણજિત પાડે છે. દંપતીને થાય છે કે એનાં કોઈ માતાપિતા પૂછપરછ કરતાં આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે.  
માસ્તર સાહેબ પુર્ણિયાના સૌથી મોટા નેતા છે. પહેલાં સ્થાનિક સરકારી સ્કૂલમાં હેડમાસ્ટર હતા. પણ પછી નોકરીમાંથી રાજીનામું આપી ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. નવલકથા ૧૯૪૩ની મે મહિનાની એક રાતે પુર્ણિયાની જેલમાં ઘટેલી ઘટનાની આસપાસ ગૂંથાયેલી છે. જેલમાં અલગ અલગ વોર્ડ છે અને અલગ અલગ વોર્ડમાં માસ્તરના પરિવારજનો છે. કોંગ્રેસ સોસ્યાલિસ્ટ પાર્ટીનો સભ્ય મોટો દીકરો બીલૂ ૧૯૪૨ના આંદોલનમાં રેલ્વેલાઈન ઉડાડી દેવાના આરોપસર પકડાયેલો છે અને એને ફાંસી મળવાની છે. માસ્તર ગાંધીજીના શિષ્ય છે અને અપર ડિવિઝન વોર્ડમાં છે, જ્યારે માસ્તરનાં પત્ની પણ પતિને પગલે દેશસેવાનો રસ્તો લઈ, ધરપકડ વહોરી સૌની મા જેવી, જેલના સ્ત્રીવોર્ડમાં છે. માસ્તરનો નાનો દીકરો નીલૂ બહાર છે. એ સામ્યવાદી પાર્ટીનો કાર્યકર છે અને મોટાભાઈ બીલૂની ધરપકડ કરાવવામાં એનો જ હાથ છે. આજે મોટાભાઈને ફાંસી મળવાની છે અને એ જેલના દરવાજા આગળ સવારે ભાઈના શબ માટે રાહ જોઈ રહ્યો છે. નવલકથા ઘટના સાથે જોડાયેલા ચાર જણના મનમાં ઊતરીને ચાલે છે.  
બાજુ જમાદારે ઢંઢેરો પીટાવ્યો પણ બાળકનાં માતાપિતા થવાવાળું કોઈ આવ્યું નહીં. તેથી જમાદાર દંપતી પાસે પહોંચ્યો. જમાદારને ઓચિંતો બારણે આવેલો જોઈ દંપતીને ફાળ પડી. પણ જમાદારે આવીને કહ્યું કે ‘આ બાળક તમે ઇચ્છો તો દત્તક લઈ શકો છો.’ દંપતી પ્રસન્ન મને બાળકનો સ્વીકાર કરે છે. ‘દેવલોકના અમૃતનું પાન કરી રહ્યા હોય' એવો અનુભવ કરવા લાગ્યું. રણજિત મોટો થતો ગયો. આગળ અભ્યાસ અર્થે કલકત્તા જવાનું થયું. પરંતુ રાધાનું મન રણજિતને દૂર જવા દેવા તૈયાર નથી. ત્યાં, ઘણીવાર દંપતી પાસે ચોખા ખરીદવા કે શાકભાજી લેવા આવતી એક પર્વતીય વૃદ્ધા હાઓતોમ્બી આવી પહોંચે છે અને હાથ જોવાનું જાણતી હોય એવું બતાવી ‘તારો પુત્ર ભણવામાં તેજસ્વી થશે' કહી દંપતીનું મનોબળ વધારે છે.  
બીલૂને વાળ ખરીને મોટી થઈ ગયેલી પાંથીમાં સિન્દૂર ભરેલું માનું ખાદીની સાડીમાં વીંટાયેલું મોં યાદ આવે છે. બીલૂને જિતેનની કાકી, નાનો ભાઈ નીલૂ, નીરેશની નાની કાકી, કપિલની બહેન સરસ્વતી યાદ આવે છે. બીલૂને થાય છે કે મા અે સમયે સ્ત્રીવોર્ડમાં શું કરતી હશે? નીલૂએ મારી વિરુદ્ધ જુબાની આપી એની માને ખબર હશે? માર્જ કોઈ તકલીફ થઈ હશે? એકવાર કૅમ્પ જેલસ્ક્રુ લાઠીચાર્જ વચ્ચે નાનાભાઈ નીલૂએ મોટાભાઈ બીલૂને કેવો બચાવ્યો હતો, એ સાંભરે છે. બીલૂને થાય છે કે નીલૂને એની માન્યતાથી અલગ કરવો અશક્ય છે. શક્ય છે કે પાર્ટીના આદેશને કારણે નીલૂએ જુબાની આપી હોય. બીલૂને પિતા પણ યાદ આવત. જ્યારે જ્યારે મન અશાંત થાય ત્યારે ત્યારે શાંતિ માટે ચરખો કાંતતા પિતાની મૂર્તિ પ્રત્યક્ષ થઈ.
નવલકથા આ તબક્કે ‘હાઓતોમ્બી'નો ભૂતકાળ ઉખેળે છે. હાઓતોમ્બી ખરેખર તો ‘થમ્બાલ’ છે. અત્યંત રૂપવતી થમ્બાલ પોતાના પતિ નિતાઈને અનહદ ચાહતી હતી. પણ એના મહોલ્લામાં રહેલા લાંચિયા કૃષ્ણચન્દ્ર નામના ન્યાયધીશનો ભાઈ ગૌરહરિ જુગારી અને લંપટ હતો. ગૌરહિરની નજર થમ્બાલ પર બગડે છે. એક રાત્રે ઠંડા મારી થમ્બાલના પતિ નિતાઈને એ મારી નાખે છે પણ કૃષ્ણચન્દ્રની ધાર્ક આ પ્રસંગ દટાઈ જાય છે. આ પછી પણ થમ્બાલ ગૌરહરિને વશ ન થતાં ગૌરહરિ એના પુત્રને ક્યાંક સૂમસામ જગ્યાએ છોડી આવે છે. વ્યાકુળ થમ્બાલને ખબર પડતાં વેશપલટો કરી થમ્બાલ ગૌરહરિની હત્યા કરી ચૂપચાપ ચાલી નીકળે છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્ર પણ લોકલાજે કિસ્સાને દબાવી દે છે.
આ બાજુ માસ્તર પોતે પિતા તરીકે દીકરાઓ સાથે ગાઢ સંબંધ બાંધી શક્યા નથી એનો એમને રંજ છે. એમને લાગે છે કે રાજનીતિક વિચાર વારે વારે સ્વાભાવિક પ્રેમસંબંધમાં આડો આવ્યો છે. બીલૂમાં ખૂબ શક્તિ છે. પણ મૃત્યુને દ્વારે ઊભો છે. બીલૂને માટે જે કરવું જોઈતું હતું તે નહીં કરી શક્યા હોવાનો એમને અહેસાસ થાય છે.  
થમ્બાલ હાઓતોમ્બીને નામે દંપતીના સંપર્કમાં રહી પુત્રના ઉછેરને ધ્યાનથી જોતી રહી છે. છેવટે રણજિત ન્યાયધીશ બને છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની દીકરી મણિ સાથે એનું લગ્ન ગોઠવાય છે. એ વખતે હાઓતોમ્બી ખબર ન પડે એમ નનામી ચિઠ્ઠીથી દંપતીને રણજિતના મૂળ ગોત્રની જાણ કરે છે અને દંપતીને પાપમાં ન પડવા વીનવે છે. લગ્ન વખતે પુરોહિત જુદા ગોત્રનો ઉલ્લેખ કરે છે તે સાથે રણજિત ચોકે છે; અને પોતાનાં અસલ માતાપિતાની શોધમાં નીકળે છે.  
મા સ્ત્રીના વોર્ડમાં એકદમ વ્યાકુળ છે. બીલૂના બાળપણની ઘણી વાતો એના મનમાં રમી રહે છે. એના સોના જેવા દીકરાને આ હાલત માટે પોતાના પતિ જવાબદાર છે. એને થાય છે કે એમનું ગૃહજીવન પતિને કારણે જ ધૂળમાં મળી ગયું. ઇચ્છતી નથી તો પણ વિચાર એ વળે છે. માતા, પિતા અને બીલૂ ત્રણે જણ ફાંસીનો હુકમ રદ થાય એવી કલ્પનાનો કર્યે રાખે છે પણ ત્રણેને ખબર છે કે કલ્પના કલ્પના જ છે. ફાંસીનો સમય ધીમે ધીમે નજીક આવતો જાય છે.
કોઈ વીગત મળતી નથી, ત્યારે બીજી અનામ ચિઠ્ઠી દ્વારા જાણ થાય છે કે આ વિગત એને હાઓતોમ્બી પાસેથી મળશે. હાઓતોમ્બી ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની હાજરીમાં પોતે થમ્બાલ છે એ જાહેર કરી રણજિતને પોતા પર થયેલા, અત્યાચારની અને પોતે કરેલી હત્યાની વાત કરે છે. વળી, દીકરા રણજિત પાસે વચન લે છે કે ‘તારી માતા હત્યારી છે. તું ન્યાયધીશ છે. તું સોગંદ લે કે ન્યાયીશ થઈને તારી માતાને બચાવવા પ્રયત્ન નહીં કરે.' રણજિત મોટા દ્વન્દ્વમાં જઈ પડે છે : એક તરફ માને બચાવવાનું પુત્ર તરીકેનું કર્તવ્ય બજાવવું અને બીજી બાજુ માની આજ્ઞાનું પાલન કરવું. છેવટે રણજિત માતાને ન્યાયાલયમાં ફેંસલો સંભળાવે છેઃ ‘તમે જાણીને હત્યા કરી છે. આથી તમે ખૂની સાબિત થાવ છો. તમારો ચિત દંડ છે, ફાંસી.
નીલૂ જેલબહાર ઊભો છે. એને વીતેલા દિવસો સ્મરણમાં આવે છે. મોટાભાઈ એને ખૂબ વહાલા છે. પણ એમણે જે કર્યું તે બરાબર નથી. ભાઈ વિરુદ્ધ જુબાની આપી એની એને પરવાહ નથી. એણે તો પોતાનો આદર્શ પૂરો કર્યો છે. મોટાભાઈનો રસ્તો ખોટો હતો એનો એને વિશ્વાસ છે. પણ તેમ છતાં વાસ્તવિકતા સામે એનો તર્ક અને મનને મનાવવાની યુક્તિ ઢીલાં પડતાં હોય એવું લાગે છે.  
નવલકથામાં મહોલ્લા મધ્યે ભજવાતી ‘ગૌરલીલા'માં શ્રીગૌરાંગ મહાપ્રભુની કથાના સંન્યાસગ્રહણના પ્રસંગ વખતે પાલકમાતા રાધા અને અસલ માતા હાઓતોમ્બીને હાજર રાખી એ બંનેની મમતાના જુદા પ્રતિભાવો નવલકથાકારે કુશળતાથી પ્રગટ કર્યા છે. આ પ્રસંગ તેમજ ત્યાંની કેટલીક કહેવતોની પાછળ ધબકતી જનરૂઢિઓ મણિપુરી વાતાવરણને રચી એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે.  
નીલૂની આંખની સામે મોટરગાડી આવે છે. જેલર આવે છે, સુપ્રિન્ટેન્ડન્ટ આવે છે, ડૉક્ટર આવે છે, સિવિલ સર્જન આવે છે, મેજિસ્ટ્રેટ આવે છે અને કામ પૂરું કરીને બધા જતા રહે છે. પણ એમાંથી ડૉક્ટરે આવીને કહ્યું કે એના મોટાભાઈને ફાંસી નથી આપી. પણ કોઈ સાધારણ કેદીને ફાંસી અપાઈ છે. મોટાભાઈની ફાંસી મુલ્તવી રખાયેલી છે. અંગ્રેજ સરકારે રાજનીતિક કેદીઓની ફાંસીના હુકમ હમણા તો રોકી લીધા છે. નીલૂ જેલના દરવાજા પર અચાનક ઉષાની લાલ સુરખીને જુએ છે.  
આ મણિપુરી નવલકથા ‘ઈમા’નો રમેશ દેવમણિએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થવાનો છે. અનુવાદને કારણે ભારતના પૂર્વોત્તર જીવનનું ગુજરાતી અવતરણ થયું છે એ આનંદની વાત છે.
ઘટનાને કારણે વિચારતા અને એકબીજાના સંબંધને તપાસતા માણસોના મનની અંદરની હલચલને નવલકથાએ આબાદ રીતે પકડી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}



Revision as of 15:25, 3 May 2023


૧૦૨. ઈમા (રાજકુમાર શીતલજિત)

મણિપુર શબ્દ કાને પડતાં જ ભારતનું મણિપુરી નૃત્ય નજર સામે તરવરી રહે, ભારતની નૃત્યપરંપરામાં એનું અનોખું સ્થાન છે. ભારતને પૂર્વ સીમાડે નાગાલેન્ડની દક્ષિણે બર્માને અડીને આવેલું આ મણિપુર રાજ્ય એના સીમા૨ાજ્ય માટે પણ જાણીતું છે. યુવાન સ્ત્રીઓ ઘરમાં બાળકોની સારસંભાળ રાખે અને વૃદ્ધ માતાઓ વેપારવણજ ચલાવતી હોય એવી એની પ્રથા સાથેનું ત્યાં રાજધાની ઈમ્ફાલમાં મોટું ‘ઈમા બજાર' છે. કહેવાય છે કે મા ઈમા બજા૨નું રક્ષણ કરે છે. ‘ઈમા'એ મણિપુરી ભાષાનો ‘મા' અંગેનો આદરવાચક શબ્દ છે. સ્ત્રીના ગૌરવને અને માના ઉત્તમ ચારિત્ર્યને રજૂ કરતી આ જ કારણે ‘ઈમા' નામની નવલકથા મણિપુરી ભાષાના લેખક રાજકુમાર શીતલજિત તરફથી મળે છે તો એમાં નવાઈ પામવા જેવું નથી. ૧૯૧૩માં ઈમ્ફાલમાં જન્મેલા લેખક રાજકુમાર શીતલજિત ઇતિહાસના વિષયમાં સ્નાતક છે. તેઓ થોઈબી પુરસ્કાર, મણિપુર સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ગિરિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત છે. ‘કેતકી' (૧૯૪૫), ‘વાલ્મીકિ’ (૧૯૫૦), ‘શકુન્તલા’ (૧૯૭૨) જેવા કાવ્યસંગ્રહો અને કેટલાક વાર્તાસંગ્રહો એમણે આપ્યા છે. નેતાજી સુભાષચન્દ્ર પરનો એક ઇતિહાસગ્રન્થ પણ એમને નામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા'નો અનુવાદ તેમજ ‘ચૈતન્ય ચરિતામૃત’ના આઠ ભાગ પણ એમને રચેલા છે. રાજકુમાર શીતજિતની ‘થાદોપા’ (૧૯૪૧), ‘રોહિણી’ (૧૯૪૮) વગેરે નવલકથાઓમાં ‘ઈમા’ (૧૯૪૭) જાણીતી છે. ધનિક વર્ગને હાથે અત્યાચાર પામેલી એક સ્ત્રીની ધીરજ અને એના વાત્સલ્યની આ કથા મણિપુરના જનજીવન વચ્ચે આપણને મૂકે છે અને છતાં ભારતના દૂરના છેડે ભારતીયતાને ધબકતી આપણે એમાં અનુભવીએ છીએ. નવલકથા નિર્ધન દંપતી મધુચન્દ્ર અને રાધાને ગલીની સીમના આછા અંધારામાંથી બે વર્ષનું બાળક જડે છે, ત્યાંથી શરૂ થાય છે. આવા કસમયે બાળકને કોણ છોડી ગયું હશે એની ચિંતામાં દંપતી પડે છે. બાળકનાં માબાપની મહોલ્લામાં શોધ કરી પણ કોઈ જાણકારી મળી નહીં. છેવટે દંપતી પોલિસ સ્ટેશને પહોંચે છે. જમાદાર વિગતો નોંધી બાળકને લઈ જવા સૂચવે છે. મેઘચન્દ્ર રાધાને કહે છે : ‘રાધા આપણું કોઈ સંતાન નથી. ઈશ્વરે જ આપણને આ બાળક ભેટ આપ્યું છે.' દંપતી ઘેર પહોંચે છે. રાધા બાળકને ક્બોફ્ (ચોખા, તેલ, ચોળા અને ગોળમાંથી બનેલી મણિપુરી મીઠાઈ) આપી રાજી કરે છે. મેઘચન્દ્ર એનું નામ રણજિત પાડે છે. દંપતીને થાય છે કે એનાં કોઈ માતાપિતા પૂછપરછ કરતાં આવે નહીં અને બાળક હંમેશ માટે પોતા પાસે રહે. આ બાજુ જમાદારે ઢંઢેરો પીટાવ્યો પણ બાળકનાં માતાપિતા થવાવાળું કોઈ આવ્યું નહીં. તેથી જમાદાર દંપતી પાસે પહોંચ્યો. જમાદારને ઓચિંતો બારણે આવેલો જોઈ દંપતીને ફાળ પડી. પણ જમાદારે આવીને કહ્યું કે ‘આ બાળક તમે ઇચ્છો તો દત્તક લઈ શકો છો.’ દંપતી પ્રસન્ન મને બાળકનો સ્વીકાર કરે છે. ‘દેવલોકના અમૃતનું પાન કરી રહ્યા હોય' એવો અનુભવ કરવા લાગ્યું. રણજિત મોટો થતો ગયો. આગળ અભ્યાસ અર્થે કલકત્તા જવાનું થયું. પરંતુ રાધાનું મન રણજિતને દૂર જવા દેવા તૈયાર નથી. ત્યાં, ઘણીવાર દંપતી પાસે ચોખા ખરીદવા કે શાકભાજી લેવા આવતી એક પર્વતીય વૃદ્ધા હાઓતોમ્બી આવી પહોંચે છે અને હાથ જોવાનું જાણતી હોય એવું બતાવી ‘તારો પુત્ર ભણવામાં તેજસ્વી થશે' કહી દંપતીનું મનોબળ વધારે છે. નવલકથા આ તબક્કે ‘હાઓતોમ્બી'નો ભૂતકાળ ઉખેળે છે. હાઓતોમ્બી એ ખરેખર તો ‘થમ્બાલ’ છે. અત્યંત રૂપવતી થમ્બાલ પોતાના પતિ નિતાઈને અનહદ ચાહતી હતી. પણ એના મહોલ્લામાં રહેલા લાંચિયા કૃષ્ણચન્દ્ર નામના ન્યાયધીશનો ભાઈ ગૌરહરિ જુગારી અને લંપટ હતો. ગૌરહિરની નજર થમ્બાલ પર બગડે છે. એક રાત્રે ઠંડા મારી થમ્બાલના પતિ નિતાઈને એ મારી નાખે છે પણ કૃષ્ણચન્દ્રની ધાર્ક આ પ્રસંગ દટાઈ જાય છે. આ પછી પણ થમ્બાલ ગૌરહરિને વશ ન થતાં ગૌરહરિ એના પુત્રને ક્યાંક સૂમસામ જગ્યાએ છોડી આવે છે. વ્યાકુળ થમ્બાલને ખબર પડતાં વેશપલટો કરી થમ્બાલ ગૌરહરિની હત્યા કરી ચૂપચાપ ચાલી નીકળે છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્ર પણ લોકલાજે કિસ્સાને દબાવી દે છે. થમ્બાલ હાઓતોમ્બીને નામે દંપતીના સંપર્કમાં રહી પુત્રના ઉછેરને ધ્યાનથી જોતી રહી છે. છેવટે રણજિત ન્યાયધીશ બને છે. ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની દીકરી મણિ સાથે એનું લગ્ન ગોઠવાય છે. એ વખતે હાઓતોમ્બી ખબર ન પડે એમ નનામી ચિઠ્ઠીથી દંપતીને રણજિતના મૂળ ગોત્રની જાણ કરે છે અને દંપતીને પાપમાં ન પડવા વીનવે છે. લગ્ન વખતે પુરોહિત જુદા ગોત્રનો ઉલ્લેખ કરે છે તે સાથે રણજિત ચોકે છે; અને પોતાનાં અસલ માતાપિતાની શોધમાં નીકળે છે. કોઈ વીગત મળતી નથી, ત્યારે બીજી અનામ ચિઠ્ઠી દ્વારા જાણ થાય છે કે આ વિગત એને હાઓતોમ્બી પાસેથી મળશે. હાઓતોમ્બી ન્યાયધીશ કૃષ્ણચન્દ્રની હાજરીમાં પોતે થમ્બાલ છે એ જાહેર કરી રણજિતને પોતા પર થયેલા, અત્યાચારની અને પોતે કરેલી હત્યાની વાત કરે છે. વળી, દીકરા રણજિત પાસે વચન લે છે કે ‘તારી માતા હત્યારી છે. તું ન્યાયધીશ છે. તું સોગંદ લે કે ન્યાયીશ થઈને તારી માતાને બચાવવા પ્રયત્ન નહીં કરે.' રણજિત મોટા દ્વન્દ્વમાં જઈ પડે છે : એક તરફ માને બચાવવાનું પુત્ર તરીકેનું કર્તવ્ય બજાવવું અને બીજી બાજુ માની આજ્ઞાનું પાલન કરવું. છેવટે રણજિત માતાને ન્યાયાલયમાં ફેંસલો સંભળાવે છેઃ ‘તમે જાણીને હત્યા કરી છે. આથી તમે ખૂની સાબિત થાવ છો. તમારો ચિત દંડ છે, ફાંસી.’ નવલકથામાં મહોલ્લા મધ્યે ભજવાતી ‘ગૌરલીલા'માં શ્રીગૌરાંગ મહાપ્રભુની કથાના સંન્યાસગ્રહણના પ્રસંગ વખતે પાલકમાતા રાધા અને અસલ માતા હાઓતોમ્બીને હાજર રાખી એ બંનેની મમતાના જુદા પ્રતિભાવો નવલકથાકારે કુશળતાથી પ્રગટ કર્યા છે. આ પ્રસંગ તેમજ ત્યાંની કેટલીક કહેવતોની પાછળ ધબકતી જનરૂઢિઓ મણિપુરી વાતાવરણને રચી એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ ઊભું કરે છે. આ મણિપુરી નવલકથા ‘ઈમા’નો રમેશ દેવમણિએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થવાનો છે. આ અનુવાદને કારણે ભારતના પૂર્વોત્તર જીવનનું ગુજરાતી અવતરણ થયું છે એ આનંદની વાત છે.