રચનાવલી/૧૪૩: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ) |}} {{Poem2Open}} કોઈ પ્રશ્ન કરે કે સંસ્કૃત સાહિત્યની સુન્દરતા કોઈ એક સ્થાને જોવી હોય તો કયાં જોવી? તો, એનો જવાબ કાલિદાસનું નાટક ‘શાકુન્તલ’ કે એનું મહાકાવ્ય ‘ક...")
 
No edit summary
Line 10: Line 10:
૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંગાળનો સેનવંશનો છેલ્લો હિન્દુ રાજા લક્ષ્મણસેન હતો અને એની સભામાં જયદેવ કવિ હતો. મહાકવિ જયદેવની આસપાસ ઘણી દંતકથાઓ રચાયેલી છે પણ જગન્નાથપુરી પાસેના ઉત્કલ પ્રદેશમાં કેન્દ્રબિલ્વ ગામે તેનો જન્મ થયો હતો એ વાત સ્વીકારવામાં આવી છે. જયદેવ અને એના પત્ની પદ્માવતી બંને એકતાન થઈ ગીત અને નૃત્ય દ્વારા કૃષ્ણનું સંકીર્તન કરતાં એ વિગતમાં જયદેવની ઉત્કટ કૃષ્ણભક્તિ સ્પષ્ટ થાય છે. બીજી બધી દંતકથાઓમાંથી પણ કવિનું કૃષ્ણભક્તનું ચિત્ર જ ઊપસી આવે છે. ‘ગીતોવિન્દ'ની શરૂઆતમાં તેથી જ જયદેવે પોતે ગાયેલા શૃંગાર અંગે કોઈ ગેરસમજ ન કરે એ માટે કહ્યું છે કે જો હરિસ્મરણમાં મન રમતું હોય, જો કૃષ્ણની વિલાસ કલા માટે કૌતુક હોય તો જ જયદેવની સરસ્વતીને શ્રવણે ધરવી અને એ સરસ્વતી પણ કેવી? મધુર, કોમળ અને કાન્ત પદાવલી સાથેની સરસ્વતી! કદાચ ‘ગીતગોવિંદ’નો આથી વધુ સારો કોઈ પરિચય હોઈ ન શકે. આ કાવ્યમાં જે કાન્ત (સુન્દર) છે તે મધુર અને કોમળ સાથેનું સુન્દર છે.  
૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંગાળનો સેનવંશનો છેલ્લો હિન્દુ રાજા લક્ષ્મણસેન હતો અને એની સભામાં જયદેવ કવિ હતો. મહાકવિ જયદેવની આસપાસ ઘણી દંતકથાઓ રચાયેલી છે પણ જગન્નાથપુરી પાસેના ઉત્કલ પ્રદેશમાં કેન્દ્રબિલ્વ ગામે તેનો જન્મ થયો હતો એ વાત સ્વીકારવામાં આવી છે. જયદેવ અને એના પત્ની પદ્માવતી બંને એકતાન થઈ ગીત અને નૃત્ય દ્વારા કૃષ્ણનું સંકીર્તન કરતાં એ વિગતમાં જયદેવની ઉત્કટ કૃષ્ણભક્તિ સ્પષ્ટ થાય છે. બીજી બધી દંતકથાઓમાંથી પણ કવિનું કૃષ્ણભક્તનું ચિત્ર જ ઊપસી આવે છે. ‘ગીતોવિન્દ'ની શરૂઆતમાં તેથી જ જયદેવે પોતે ગાયેલા શૃંગાર અંગે કોઈ ગેરસમજ ન કરે એ માટે કહ્યું છે કે જો હરિસ્મરણમાં મન રમતું હોય, જો કૃષ્ણની વિલાસ કલા માટે કૌતુક હોય તો જ જયદેવની સરસ્વતીને શ્રવણે ધરવી અને એ સરસ્વતી પણ કેવી? મધુર, કોમળ અને કાન્ત પદાવલી સાથેની સરસ્વતી! કદાચ ‘ગીતગોવિંદ’નો આથી વધુ સારો કોઈ પરિચય હોઈ ન શકે. આ કાવ્યમાં જે કાન્ત (સુન્દર) છે તે મધુર અને કોમળ સાથેનું સુન્દર છે.  
‘ગીતગોવિન્દ’માં બાર સર્ગો છે અને એ બાર સર્ગોમાં ચોવીસ પ્રબંધો છે. આ પ્રબંધો ગીત સ્વરૂપનાં છે. અન્ય ગોપીઓ સાથે રમમાણ રહેવાથી કુપિત રાધા અને કુપિત રાધાથી વ્યથિત કૃષ્ણ અહીં જુદી જુદી ભાવદશામાંથી પસાર થાય છે; અને અંતે સહચરીના દૂતીકાર્યથી બંનેનું મિલન થાય છે એની કથા અહીં રજૂ થઈ છે. ઘણાખરા પ્રબંધો રાધાની, કૃષ્ણની કે સહચરીની ઉક્તિઓ રૂપે રજૂ થયા છે, તેથી એમાં સંવાદનું તત્ત્વ દાખલ થતાં કાવ્ય નાટ્યાત્મક બનતું લાગે છે. વળી કૃષ્ણને કેન્દ્રમાં રાખી દરેક સર્ગને અલાયદું નામ આપ્યું છે. કોઈમાં આનંદિત, કોઈમાં વ્યથિત, કોઈમાં મુગ્ધ, કોઈમાં સ્નિગ્ધ, કોઈમાં ઉત્કંઠ, કોઈમાં નાગર, કોઈમાં ચતુર – એમ કૃષ્ણની વિવિધ ભાવભંગીઓ એમાં સૂચવાય છે.  
‘ગીતગોવિન્દ’માં બાર સર્ગો છે અને એ બાર સર્ગોમાં ચોવીસ પ્રબંધો છે. આ પ્રબંધો ગીત સ્વરૂપનાં છે. અન્ય ગોપીઓ સાથે રમમાણ રહેવાથી કુપિત રાધા અને કુપિત રાધાથી વ્યથિત કૃષ્ણ અહીં જુદી જુદી ભાવદશામાંથી પસાર થાય છે; અને અંતે સહચરીના દૂતીકાર્યથી બંનેનું મિલન થાય છે એની કથા અહીં રજૂ થઈ છે. ઘણાખરા પ્રબંધો રાધાની, કૃષ્ણની કે સહચરીની ઉક્તિઓ રૂપે રજૂ થયા છે, તેથી એમાં સંવાદનું તત્ત્વ દાખલ થતાં કાવ્ય નાટ્યાત્મક બનતું લાગે છે. વળી કૃષ્ણને કેન્દ્રમાં રાખી દરેક સર્ગને અલાયદું નામ આપ્યું છે. કોઈમાં આનંદિત, કોઈમાં વ્યથિત, કોઈમાં મુગ્ધ, કોઈમાં સ્નિગ્ધ, કોઈમાં ઉત્કંઠ, કોઈમાં નાગર, કોઈમાં ચતુર – એમ કૃષ્ણની વિવિધ ભાવભંગીઓ એમાં સૂચવાય છે.  
શરૂમાં ‘જય જગદીશ હરે'માં દશ અવતારના વર્ણન પછી ‘જય જયદેવ હરે'માં કૃષ્ણનું વર્ણન થયું છે. ત્યારબાદ ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે' જેવી મધુર લયાન્વિત પંક્તિઓમાં વસંતનું વર્ણન થયું છે. એક બાજુ રીસાયેલી રાધા કહે છે ‘કરોમિ કિમ્’ – ‘હું શું કરું?’ તો બીજી બાજુ વ્યથિત કૃષ્ણ કહે છે : ‘હરિ હરિ અનાદરભરી ગઈ ધરીને ખીજ' કૃષ્ણ આગળ સહચરી રાધાની દશા વર્ણવે છે : ‘તવ વિરહે અતિ દીન / મનસિજશરનો ભય ઉર ધરતી, માધવ સ્મરણે લીન' અને ઉમેરે છે વિરહે મરણ શરણ અભિલષતી / હરિ હરિ હરિ હરિ સંતત જપતી.' આ પછી સહચરી રાધા પાસે આવીને કૃષ્ણની દશા વર્ણવે છે ‘તવ વિરહે વનમાલી સખી તલસે.' કહે છે : ધીર સમીરે યમુના તીરે, અધીર કુંજવિહારી' ફરી સહચરી કૃષ્ણ પાસે જઈ કહે છે : ‘નાથ, હરે, ઝૂરત રાધા કુંજવને' અંતે રાધા સહચરી પોતાને ભોળવી ગઈ છે એવું માની કૃષ્ણની વાટ જોતાં થાકી જાય છે : ‘વેળ વીતી ગઈ, હરી ન આવ્યા હજી / વિકલ મુજ રૂપ યૌવન : અરણ્યે તજી / જાઉં રે કવણ શરણે હવે, સહચરી ભોળવી?' છેવટે કૃષ્ણ આવે છે પણ રાધા ગુસ્સે છે : જાવ જાવ હરિ જાઓ માધવ, કેશવ સઘળી વાત જવા દો.' પણ કલહ કર્યા પછી રાધા પલળે છે. સહચરી રાધાને કહે છે : ‘મોંઘી ન થા એ ય માનુનિ માધવથી.' કૃષ્ણ પણ અભિમાન મૂકી દેવાનું કહેતા કહે છે : ‘તું મુજ પરમ ધન, તું જ મુજ પ્રાણ પણ.' સહચરી વિનવે છે : ‘આવ, આવ, માધવને મળ રાધે’ આખરે, કૃષ્ણને સમર્પિત થતી રાધિકા સાથેનો સમાગમ ઉપસંહાર બનીને આવે છે.  
શરૂમાં ‘જય જગદીશ હરે'માં દશ અવતારના વર્ણન પછી ‘જય જયદેવ હરે'માં કૃષ્ણનું વર્ણન થયું છે. ત્યારબાદ ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે' જેવી મધુર લયાન્વિત પંક્તિઓમાં વસંતનું વર્ણન થયું છે. એક બાજુ રીસાયેલી રાધા કહે છે ‘કરોમિ કિમ્’ – ‘હું શું કરું?’ તો બીજી બાજુ વ્યથિત કૃષ્ણ કહે છે : ‘હરિ હરિ અનાદરભરી ગઈ ધરીને ખીજ' કૃષ્ણ આગળ સહચરી રાધાની દશા વર્ણવે છે : ‘તવ વિરહે અતિ દીન / મનસિજશરનો ભય ઉર ધરતી, માધવ સ્મરણે લીન' અને ઉમેરે છે: વિરહે મરણ શરણ અભિલષતી / હરિ હરિ હરિ હરિ સંતત જપતી.' આ પછી સહચરી રાધા પાસે આવીને કૃષ્ણની દશા વર્ણવે છે: ‘તવ વિરહે વનમાલી સખી તલસે.' કહે છે : ધીર સમીરે યમુના તીરે, અધીર કુંજવિહારી' ફરી સહચરી કૃષ્ણ પાસે જઈ કહે છે : ‘નાથ, હરે, ઝૂરત રાધા કુંજવને' અંતે રાધા સહચરી પોતાને ભોળવી ગઈ છે એવું માની કૃષ્ણની વાટ જોતાં થાકી જાય છે : ‘વેળ વીતી ગઈ, હરી ન આવ્યા હજી / વિકલ મુજ રૂપ યૌવન : અરણ્યે તજી / જાઉં રે કવણ શરણે હવે, સહચરી ભોળવી?' છેવટે કૃષ્ણ આવે છે પણ રાધા ગુસ્સે છે : જાવ જાવ હરિ જાઓ માધવ, કેશવ સઘળી વાત જવા દો.' પણ કલહ કર્યા પછી રાધા પલળે છે. સહચરી રાધાને કહે છે : ‘મોંઘી ન થા એ ય માનુનિ માધવથી.' કૃષ્ણ પણ અભિમાન મૂકી દેવાનું કહેતા કહે છે : ‘તું મુજ પરમ ધન, તું જ મુજ પ્રાણ પણ.' સહચરી વિનવે છે : ‘આવ, આવ, માધવને મળ રાધે’ આખરે, કૃષ્ણને સમર્પિત થતી રાધિકા સાથેનો સમાગમ ઉપસંહાર બનીને આવે છે.  
ભારતની કલાસાહિત્યસંસ્કૃતિમાં ‘ગીતગોવિંદ’નો વિવિધ સમયે વિવિધ રૂપે આવિષ્કાર થયા કર્યો છે.
ભારતની કલાસાહિત્યસંસ્કૃતિમાં ‘ગીતગોવિંદ’નો વિવિધ સમયે વિવિધ રૂપે આવિષ્કાર થયા કર્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits