રચનાવલી/૫૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૫૦. યુગવંદના (ઝવેરચંદ મેઘાણી)|}} {{Poem2Open}} કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણીનો પરિચય ત્રણ ઉદ્ગારોમાં આપ્યો છે ઃ ‘બુલંદ અવાજ, બુલંદ ભાવના, બુલંદ પ્રવૃત્તિ.' મેધાણી બુલંદ અવાજથી, મુખમુ...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણીનો પરિચય ત્રણ ઉદ્ગારોમાં આપ્યો છે ‘બુલંદ અવાજ, બુલંદ ભાવના, બુલંદ પ્રવૃત્તિ.' મેધાણી બુલંદ અવાજથી, મુખમુદ્રાઓ અને હાવભાવથી ચિત્તાકર્ષક શૈલીએ લોકસમુદાય પર, મોટી મેદની ૫૨ છવાઈ જતાં. એમની રચનાઓની રજૂઆતમાં એમનો બુલંદ અવાજ આગળ તરી આવતો. બીજી બાજુ એમના યુગની રાષ્ટ્રીય જાગૃતિને, રાષ્ટ્રીય ભાવનાને ગાવાનો એમનો નિરધાર બુલંદ હતો. તો ત્રીજી બાજુ ગાંધીજીના ગ્રામાભિમુખ વલણને કારણે તળપ્રજાના આકર્ષણથી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને લોકસંસ્કૃતિના નમૂનાઓને એકઠા કરવાની, લોકગીતો અને કથાગીતોને સંપાદિત કરવાની એમની પ્રવૃત્તિ પણ એટલી જ બુલંદ હતી.  
કાકા કાલેલકરે ઝવેરચંદ મેઘાણીનો પરિચય ત્રણ ઉદ્ગારોમાં આપ્યો છે: ‘બુલંદ અવાજ, બુલંદ ભાવના, બુલંદ પ્રવૃત્તિ.' મેધાણી બુલંદ અવાજથી, મુખમુદ્રાઓ અને હાવભાવથી ચિત્તાકર્ષક શૈલીએ લોકસમુદાય પર, મોટી મેદની ૫૨ છવાઈ જતાં. એમની રચનાઓની રજૂઆતમાં એમનો બુલંદ અવાજ આગળ તરી આવતો. બીજી બાજુ એમના યુગની રાષ્ટ્રીય જાગૃતિને, રાષ્ટ્રીય ભાવનાને ગાવાનો એમનો નિરધાર બુલંદ હતો. તો ત્રીજી બાજુ ગાંધીજીના ગ્રામાભિમુખ વલણને કારણે તળપ્રજાના આકર્ષણથી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને લોકસંસ્કૃતિના નમૂનાઓને એકઠા કરવાની, લોકગીતો અને કથાગીતોને સંપાદિત કરવાની એમની પ્રવૃત્તિ પણ એટલી જ બુલંદ હતી.  
નવાઈની વાત એ છે કે લોકસાહિત્યના સંપર્કને કારણે એમનો એક પગ જો ભૂતકાળમાં હતો, તો દેશને આઝાદ કરવા ઈચ્છતી રાષ્ટ્રીય ચળવળના સંપર્કને કારણે એમનો એક પગ વર્તમાનમાં હતો. અને તેથી એ બેની સમતુલા જાળવીને લોકઢાળ અને લોકલયના ભૂતકાલીન ચાલી આવેલા વારસામાં એમણે વર્તમાનના જરૂરી યુગ-સંદેશાઓને વહેતા કર્યા. આ કારણે ગુજરાતી કવિતા લોકવાહન દ્વારા લોકોના હૃદય સુધી સીધી અને ઝડપથી પહોંચી શકી. દેશદાઝથી ફાટુ ફાટુ વાતાવરણની વચ્ચે પ્રજાએ વશીભૂત થઈને એને ઝીલી પણ ખરી, મેઘાણીને બરાબર ખબર હતી કે જતું આપણને પ્રેરણા આપે, વાટ દેખાડે, પોતાનું કલેવર આપણને વાપરવા માટે આપે પણ તેમાં પ્રાણ તો નવો પૂરવો જ જોઈએ. મેઘાણીએ જૂનામાં, ઉછીનું જે કાંઈ લીધું હોય એમાં પ્રાણ પૂર્યા કર્યો.  
નવાઈની વાત એ છે કે લોકસાહિત્યના સંપર્કને કારણે એમનો એક પગ જો ભૂતકાળમાં હતો, તો દેશને આઝાદ કરવા ઈચ્છતી રાષ્ટ્રીય ચળવળના સંપર્કને કારણે એમનો એક પગ વર્તમાનમાં હતો. અને તેથી એ બેની સમતુલા જાળવીને લોકઢાળ અને લોકલયના ભૂતકાલીન ચાલી આવેલા વારસામાં એમણે વર્તમાનના જરૂરી યુગ-સંદેશાઓને વહેતા કર્યા. આ કારણે ગુજરાતી કવિતા લોકવાહન દ્વારા લોકોના હૃદય સુધી સીધી અને ઝડપથી પહોંચી શકી. દેશદાઝથી ફાટુ ફાટુ વાતાવરણની વચ્ચે પ્રજાએ વશીભૂત થઈને એને ઝીલી પણ ખરી, મેઘાણીને બરાબર ખબર હતી કે જતું આપણને પ્રેરણા આપે, વાટ દેખાડે, પોતાનું કલેવર આપણને વાપરવા માટે આપે પણ તેમાં પ્રાણ તો નવો પૂરવો જ જોઈએ. મેઘાણીએ જૂનામાં, ઉછીનું જે કાંઈ લીધું હોય એમાં પ્રાણ પૂર્યા કર્યો.  
ચિરકાલને માટે નિર્માણ થતી કૃતિ એક્કેય કાલની નહિ રહે એવી શ્રદ્ધા સાથે મેઘાણી સમકાલીન પ્રજાને ન સમજાય એવું સર્જવામાં નહોતા માનતા. ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર કહે છે કે છાલ ઉશેટીને કેળું ખાવા જેવું સાહિત્યનું છે. તત્કાલીન આવતો સ્વાદ અને એમાંથી જન્મતો આનંદ, ભંગુર તો ભંગુર, મહત્ત્વનો છે. મેઘાણીની સર્જકતાએ તત્કાલીન બળોનાં સ્ફુરાવેલાં સમયજીવી ગીતો હોંશથી ગાયાં છે. ‘વેણીનાં ફૂલ', 'કિલ્લોલ', ‘એક તારો' ઉપરાંત એક જમાનામાં અત્યંત લોકપ્રિય એમના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ (૧૯૩૫)માં એ સંગ્રહિત છે.  
ચિરકાલને માટે નિર્માણ થતી કૃતિ એક્કેય કાલની નહિ રહે એવી શ્રદ્ધા સાથે મેઘાણી સમકાલીન પ્રજાને ન સમજાય એવું સર્જવામાં નહોતા માનતા. ફ્રેન્ચ ફિલસૂફ સાર્ત્ર કહે છે કે છાલ ઉશેટીને કેળું ખાવા જેવું સાહિત્યનું છે. તત્કાલીન આવતો સ્વાદ અને એમાંથી જન્મતો આનંદ, ભંગુર તો ભંગુર, મહત્ત્વનો છે. મેઘાણીની સર્જકતાએ તત્કાલીન બળોનાં સ્ફુરાવેલાં સમયજીવી ગીતો હોંશથી ગાયાં છે. ‘વેણીનાં ફૂલ', 'કિલ્લોલ', ‘એક તારો' ઉપરાંત એક જમાનામાં અત્યંત લોકપ્રિય એમના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’ (૧૯૩૫)માં એ સંગ્રહિત છે.  
26,604

edits