વિદુલા/-

From Ekatra Wiki
Revision as of 11:34, 23 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


-

સુરેશ જોષી

આજે ફરીથી એમ કહેવાવા લાગ્યું છે કે ભાષા સૌથી મોટું સંહારક શસ્ત્ર છે. કેમ્યૂને જે ચિન્તા થયેલી તે આ જ કે જગતનાં દુ:ખિયારાં જો પોતાના દુ:ખનું મોંજોણું કરાવનારી ભાષાને પામશે નહિ તો માંધાતાઓ તો આપણને એમ જ મનાવશે કે જગતમાં દુ:ખ છે જ નહિ! આથી લોકો પોતાના દુ:ખનો ચહેરો જોઈને વર્ણવે તે જરૂરી છે. વેદનાના આર્ત ચિત્કારની શક્તિ તો એટલી બધી છે કે નિર્વાણને ઉંબરે ઊભેલા બુદ્ધ ત્યાંથી પાછા વળીને દુ:ખતપ્ત લોકો વચ્ચે આવી ગયા. શબ્દને, દીર્ઘ જગતને ને ઈશ્વરને આપણે ઓળખીએ. આજે તો જ્યાં શબ્દનો જ્યોતિ નથી એવા અસૂર્યલોકમાં કેટલાય માનવીઓ મૂંગા મૂંગા કણસીને જીવી રહ્યા છે.
સુરેશ જોષી