શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
<center>પુસ્તક પ્રકાશક અને વિક્રેતા</center>
<center>પુસ્તક પ્રકાશક અને વિક્રેતા</center>
<center>'''‘સારસ્વત સદન’'''</center>
<center>'''‘સારસ્વત સદન’'''</center>
ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદવાદ ૩૮૦૦૦૧
<center>ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદવાદ ૩૮૦૦૦૧</center>


Line 34: Line 34:
<center>*</center>
<center>*</center>
<center>મૂલ્ય રૂ. ૭૫-૦૦</center>
<center>મૂલ્ય રૂ. ૭૫-૦૦</center>
*
<center>*</center>
મુદ્રક
<center>મુદ્રક</center>
મહાવિદેહ ફાઉન્ડેશન
<center>મહાવિદેહ ફાઉન્ડેશન</center>
પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ઇન્કમટેક્ષ,
<center>પાર્શ્વનાથ ચેમ્બર્સ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ઇન્કમટેક્ષ,</center>
અમદાવાદ ૩૮૦ ૦૧૪
<center>અમદાવાદ ૩૮૦ ૦૧૪</center>
 
<br>
 
<br>
<br>
<br>
<br>
<br>
<br>


Line 48: Line 53:




સહુ સ્વજનોને
<center><big>સહુ સ્વજનોને</big></center>
જેના કલકોલાહલમહીં નિત મન મુજ મુદિત પ્રશાન્ત
<center>'''જેના કલકોલાહલમહીં નિત મન મુજ મુદિત પ્રશાન્ત'''</center>


-રાજેન્દ્ર શાહ  
{{Right|-રાજેન્દ્ર શાહ}}<br>


<center>'''શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી'''</center>
શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી
ટી. એસ. એલિયટે એના ‘What is a Classic ?’ નિબંધમાં જણાવ્યું છે:
ટી. એસ. એલિયટે એના ‘What is a Classic ?’ નિબંધમાં જણાવ્યું છે:
“A classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind.”
“A classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind.”
જ્યારે સભ્યતા-સંસ્કૃતિમાં, ભાષા અને સાહિત્યમાં પરિપક્વતા આવે ત્યારે પ્રશિષ્ટ કૃતિ સિદ્ધ થાય છે. અને એવી કૃતિ અનિવાર્યતયા પરિપક્વ માનસનું સર્જન બની રહે છે. આવી કૃતિઓમાં ચિરન્તન સૌન્દર્યતત્ત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે.
જ્યારે સભ્યતા-સંસ્કૃતિમાં, ભાષા અને સાહિત્યમાં પરિપક્વતા આવે ત્યારે પ્રશિષ્ટ કૃતિ સિદ્ધ થાય છે. અને એવી કૃતિ અનિવાર્યતયા પરિપક્વ માનસનું સર્જન બની રહે છે. આવી કૃતિઓમાં ચિરન્તન સૌન્દર્યતત્ત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે.
આદર્શ પ્રકાશને ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે.
આદર્શ પ્રકાશને ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે.
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દ્વારા સન્માનિત ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકાર શ્રી રાજેન્દ્ર શાહે ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહ આ શ્રેણીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ અમે તેમના આભારી છીએ.
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર દ્વારા સન્માનિત ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકાર શ્રી રાજેન્દ્ર શાહે ‘શાંત કોલાહલ’ કાવ્યસંગ્રહ આ શ્રેણીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ અમે તેમના આભારી છીએ.
આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
-પ્રકાશક
{{Right|-પ્રકાશક}}<br>


બંધ હોઠે
<centerબંધ હોઠે</center>
આ સંગ્રહનાં, કોક અપવાદ સિવાયનાં, બધાં કાવ્યો કુમાર, સંસ્કૃતિ, કવિલોક, કવિતા, વિશ્વમાનવ, ક્ષિતિજ, પ્યારા બાપુ, ગૃહમાધુરી ઈત્યાદી સામયિકોમાં અગાઉ પ્રસિદ્ધિ પામ્યાં છે એનો આ સ્થળે સાભાર ઉલ્લેખ કરું છું.
આ સંગ્રહનાં, કોક અપવાદ સિવાયનાં, બધાં કાવ્યો કુમાર, સંસ્કૃતિ, કવિલોક, કવિતા, વિશ્વમાનવ, ક્ષિતિજ, પ્યારા બાપુ, ગૃહમાધુરી ઈત્યાદી સામયિકોમાં અગાઉ પ્રસિદ્ધિ પામ્યાં છે એનો આ સ્થળે સાભાર ઉલ્લેખ કરું છું.
પ્રૂફવાચન તથા સંદર્ભ તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી સુરેશ દલાલ તથા આવરણચિત્રના આલેખક શ્રી અમૃત ગોહેલના મિત્રઋણનો પણ મારે સ્વીકાર કરવો જ રહ્યો.
પ્રૂફવાચન તથા સંદર્ભ તૈયાર કરવામાં મદદરૂપ થનાર શ્રી સુરેશ દલાલ તથા આવરણચિત્રના આલેખક શ્રી અમૃત ગોહેલના મિત્રઋણનો પણ મારે સ્વીકાર કરવો જ રહ્યો.
ઓક્ટોબર ૧૯૬૨ -રાજેન્દ્ર શાહ
ઓક્ટોબર ૧૯૬૨
{{Right|-રાજેન્દ્ર શાહ}}<br>




અનુક્રમ
<center>'''અનુક્રમ'''</center>
રાજેન્દ્ર શાહ : આસ્તિકતા, સાત્વિકતા ને વેશ્વિકતાના કવિ : ચંદ્રકાંત શેઠ
રાજેન્દ્ર શાહ : આસ્તિકતા, સાત્વિકતા ને વેશ્વિકતાના કવિ : ચંદ્રકાંત શેઠ
રાગિણી
રાગિણી
Line 164: Line 169:
પુણ્યભારતભૂમિ
પુણ્યભારતભૂમિ
રાજેન્દ્ર શાહની કૃતિઓ
<center>રાજેન્દ્ર શાહની કૃતિઓ</center>
કાવ્યસંગ્રહ
'''કાવ્યસંગ્રહ'''
ધ્વનિ(૧૯૫૧, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૯૬)
ધ્વનિ(૧૯૫૧, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૮, ૧૯૭૨, ૧૯૭૫, ૧૯૯૬)
આંદોલન(૧૯૫૧)
આંદોલન(૧૯૫૧)
Line 183: Line 188:
વિરહમાધુરી (૧૯૯૮), સ્મૃતિ-સંવેદના (૧૯૯૮)
વિરહમાધુરી (૧૯૯૮), સ્મૃતિ-સંવેદના (૧૯૯૮)
હા...હું સાક્ષી છું (૨૦૦૩)
હા...હું સાક્ષી છું (૨૦૦૩)
સંચયન-સંકલન
 
'''સંચયન-સંકલન'''
નિરુદ્દેશે (ચયન કરેલા કાવ્યો - ૧૯૭૩)
નિરુદ્દેશે (ચયન કરેલા કાવ્યો - ૧૯૭૩)
સંકલિત કવિતા (પ્રથમ ૧૬ સંગ્રહ સંકલિત ૧૯૮૩)
સંકલિત કવિતા (પ્રથમ ૧૬ સંગ્રહ સંકલિત ૧૯૮૩)
રાજેન્દ્ર શાહનાં કાવ્યો : સં. ધીરુ પરીખ (૧૯૮૮, ૨૦૦૩)
રાજેન્દ્ર શાહનાં કાવ્યો : સં. ધીરુ પરીખ (૧૯૮૮, ૨૦૦૩)
બાળકાવ્યો
 
'''બાળકાવ્યો'''
મોરપીંછ (૧૯૫૯, ૧૯૮૫, ૨૦૦૪)
મોરપીંછ (૧૯૫૯, ૧૯૮૫, ૨૦૦૪)
આંબે આવ્યા મોર (૧૯૮૫, ૧૯૮૮)
આંબે આવ્યા મોર (૧૯૮૫, ૧૯૮૮)
Line 193: Line 200:
અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)
અમોને મળી પવનની પાંખ (૧૯૮૯)
રાજેન્દ્ર શાહ
<center>રાજેન્દ્ર શાહ</center>
આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ
<center>આસ્તિકતા, સાત્વિકતા ને વૈશ્વિકતાના કવિ</center>
-----------------------------------------------------------
-----------------------------------------------------------
ચંદ્રકાન્ત શેઠ
<center>ચંદ્રકાન્ત શેઠ</center>


૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ
'''૧.જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા કવિ'''


ગુજરાતી કાવ્યસાહિત્યનો ઈતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણીલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ- નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઉઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ.
ગુજરાતી કાવ્યસાહિત્યનો ઈતિહાસ જાણે કવિબેલડીઓમાં આગળ વધતો હોય એવું આપણને લાગે ! મધ્યકાલીન કવિતાની વાત કરતાં નરસિંહ-મીરાં, અખો-પ્રેમાનંદ, શામળ-દયારામ જેવી કવિબેલડીઓનું સ્મરણ થાય છે તો અર્વાચીન કવિતાની વાત કરતાં દલપત-નર્મદ, મણીલાલ-બાળાશંકર, કાન્ત-કલાપી, ન્હાનાલાલ-બ.ક.ઠા, સુન્દરમ્-ઉમાશંકર, રાજેન્દ્ર શાહ-નિરંજન જેવી કવિબેલડીઓનું. આ ધારા આગળ વધારતાં ઉશનસ્-જયન્ત પાઠક, હરીન્દ્ર દવે-સુરેશ દલાલ, લાભશંકર-સિતાંશુ, ચિનુ-મનહર મોદી જેવી કવિબેલડીઓનુંયે સ્મરણ થાય ! રાજેન્દ્ર શાહ- નિરંજનનું કામ ગાંધીયુગ અને અનુગાંધીયુગના સંધિકાળે ઉઘડેલું પમાય છે. રાજેન્દ્ર શાહ ને નિરંજનને ગાંધીજી સ્પર્શ્યા છે, પરંતુ તેમની કવિતા ગાંધીજીની સીમારેખામાં બદ્ધ રહી નથી. ભાવનાપ્રીતિ ઉભયની છે; પરંતુ ભાવનાગ્રસ્તતા બેમાંથી કોઈનીયે નથી. રાજેન્દ્ર શાહ ને નિરંજન ભગત (૧૯૨૬) બંનેય વીસમી સદીનાં ફરજંદ. રાજેન્દ્ર શાહની ગતિ, ગામ-સીમથી નગર ભણીની છે; નિરંજન ભગત પૂરા નગરકવિ છે. પ્રકૃતિ ને સંસ્કૃતિની સાથેની નિસબત બંનેની મજબૂત. બંનેયનો માનવવિકૃતિઓ સામેનો મોરચો સંગીન. બંનેમાંથી એક રાજેન્દ્ર શાહ આજે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પોંખાયા, ખરેખર તો આ કવિબેલડી જ પોંખાવી જોઈતી હતી જ્ઞાનપીઠ પુરસ્કાર માટે ! આમ તો સુન્દરમ્ કે દર્શક જેવા સાહિત્યકરો સુધી જ્ઞાનપીઠ ન પહોંચી શક્યો એમાંય મર્યાદા તો જ્ઞાનપીઠ પુરસ્કારની જ લેખાય. ખેર ! પણ ઉમાશંકર જોશી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ (૧૯૮૫) પછી રાજેન્દ્ર શાહ (૨૦૦૩) આ પુરસ્કાર-વિજેતાઓની હરોળમાં સામેલ થયા તેથી જ્ઞાનપીઠ પુરસ્કારનું ગૌરવતેજ વધ્યું છે એમ જ કહેવું જોઈએ. આ જ્ઞાનપીઠ પુરસ્કાર માટે રાજેન્દ્ર શાહને અભિનંદન આપવા સાથે જ્ઞાનપીઠ પુરસ્કારના નિર્ણાયકોનેય યોગ્ય નિર્ણય માટે અભિનંદન આપવાં જોઈએ.
Line 228: Line 235:
તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો - પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે.
તત્ત્વજ્ઞાન અને કવિતાનો સુમેળ સાધતી, એ ઉભયની સમૂળતા ને અસલિયત દાખવતી એમની કવિતા દ્વારા આપણે રાજેન્દ્ર શાહના વધુ અર્થપૂર્ણ ને ઊંડા પરિચય માટે સક્રિય થઈએ. ૧૯૨૯થી અજસ્ર ચાલતી એમની આજદિન પર્યંતની કાવ્યધારાનું પાન કરતાં આપણે આપણામાંના દૈવતને સમજવાનો - પામવા-માણવાનો ઉપક્રમ રચીએ એમાં જ સર્જક-અનુવાદક અને અધ્યાત્મસાધક એવા કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપુરુષાર્થ ને જીવનપુરુષાર્થનીયે સાર્થકતા હશે.
૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની
'''૨. રાજેન્દ્ર શાહની કાવ્યબાની'''


કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું- સર્વ મનુષ્યો સાથેનું જે સ્નેહપ્રેરિત સંવાદપૂર્ણ સહજીવન, એનું જે સમર્પણ- ભાવપ્રેરિત યજ્ઞજીવન, એનું સમસ્ત વૈશ્વિક અને આંતરિક ચૈતસિક રહસ્યો માટેની અભીપ્સાથી પ્રેરિત યોગનિષ્ઠ આંતરજીવન અને સાંસારિક ધર્મપ્રેરિત દાંપત્યજીવન – આ સર્વ જીવન-રસે પ્રેરાયેલું ને પોષાયેલું  કલાજીવન એ રાજેન્દ્ર શાહ માટે એક અધ્યાત્મજીવન છે, જેને એમના કવિજીવનના સ્પષ્ટ પર્યાયરૂપે પણ અવલોકી શકાય. રાજેન્દ્ર શાહની કાવ્યબાની આ અધ્યાત્મજીવનમાંથી સ્ફુરતી બાની છે એ આપણે યાદ રાખવું ઘટે.
કવિ રાજેન્દ્ર શાહની આકૃતિ, પ્રકૃતિ અને વાક્-કૃતિમાં આર્યત્વની એક વિલક્ષણ દીપ્તિ જોવા મળે છે. આ આર્યત્વ કોઈ જાતિગત બાબત નથી; સંસ્કારગત, શીલગત બાબત છે. આ આર્યત્વ તે માનવમનમાં અંતર્હિત જે ભદ્રતા શુચિતા ને રસિકતા, એના સંકેતરૂપ છે. મનુષ્યનું પ્રકૃતિ સાથેનું- સર્વ મનુષ્યો સાથેનું જે સ્નેહપ્રેરિત સંવાદપૂર્ણ સહજીવન, એનું જે સમર્પણ- ભાવપ્રેરિત યજ્ઞજીવન, એનું સમસ્ત વૈશ્વિક અને આંતરિક ચૈતસિક રહસ્યો માટેની અભીપ્સાથી પ્રેરિત યોગનિષ્ઠ આંતરજીવન અને સાંસારિક ધર્મપ્રેરિત દાંપત્યજીવન – આ સર્વ જીવન-રસે પ્રેરાયેલું ને પોષાયેલું  કલાજીવન એ રાજેન્દ્ર શાહ માટે એક અધ્યાત્મજીવન છે, જેને એમના કવિજીવનના સ્પષ્ટ પર્યાયરૂપે પણ અવલોકી શકાય. રાજેન્દ્ર શાહની કાવ્યબાની આ અધ્યાત્મજીવનમાંથી સ્ફુરતી બાની છે એ આપણે યાદ રાખવું ઘટે.
18,450

edits