સંજુ વાળાનાં કાવ્યો/સૂરદાસ

From Ekatra Wiki
Revision as of 01:40, 21 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સૂરદાસ

         શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

         કનક-જવાહીર લગીર ન ચાહું
         મનસા મુકિત વિષય નિરીચ્છ
         બહુ બડભાગી મળે મુકૂટમાં,
         સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હુંને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

         હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
         વલ્લભ પરસ ભયો હિતકારી
         સૂર : કહાં પાઉં, ક્યા ગાઉં?
         જનમ જનમ જાઉં બલિહારી

રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વા રેણાં!
પલકવાર નવ અણગો જાણું નિશદિન વાજત હિરદે વેણા!

ગઝલ

સવા ગજ ઊંચું છળે છે તો એમાં શું અચંબો છે? કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ