સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ધર્મશાળા બનવું ન પાલવે

Revision as of 13:14, 24 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. ઇતિહા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. ઇતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાવી દેવાં હોય, તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે, તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.