સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/રસ્તો કરી જવાના

Revision as of 04:56, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!…
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!…
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!…
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
[‘શૂળ અને શમણાં’ પુસ્તક]